આજે મહા વદ એકાદશી [શૈવપંથી]
આજનો સુવિચાર :- આપણે જ્યારે સાંભળવા જેટલા સ્થિર- શાંત હોઈએ છીએ ત્યારે જ ભગવાન બોલે છે. — તથાગત બુદ્ધ
હેલ્થ ટીપ્સ:- કશું કારણ ન પકડાતું હોય અને શરીરમાંઝીણો તાવ રહેતો હોય તો ખારેક, સૂંઠ, કાળી દ્રાક્ષ, સાકર, ઘી, દૂધમાં નાખી દૂધ ઉકાળીને ઠંડુ થયે પીવું. ખારેક [સુકવેલું ખજૂર] લોહીમાંથી પિત્ત કાઢી તેને સ્વચ્છ કરે છે.
‘શોધો’નાં જવાબ
1] ડાકોરમાં રણછોડરાયજીને લાવનાર ભક્ત કોણ?
— ભક્ત બોડાણો
2] હનુમાન કોનો અવતાર ગણાય છે?
— મહાદેવનો
3] બ્રહ્માજી નુ ઉત્પત્તિનું સ્થાન કયુ છે?
—વિષ્ણુભગવાનની ડુંટી
4] શ્રીમદ ભાગવત લખનાર કોણ?
શ્રી વ્યાસજી
5] વામન ભગવાને કયા રાજાને પાતાળમાં મોકલી આપ્યા?
બલિરાજાને
6] ‘વિઠ્ઠલ’ ભગવાને કોને ત્યાં ધરકામ કરેલાં?
સંત સખુબાઈને ત્યાં
7] રામનો પરમ મિત્ર ભીલ રાજા કોણ?
નિષાદ [ભીલ રાજા]
8] કૃષ્ણ કોને ‘કાકા’ કહી બોલાવતા?
વિદુરને
9] વાસુદેવની બીજી પત્નીનું શું નામ?
રોહિણી
10] બાણાસુરની પુત્રી ‘ઓખા’ની સખીનું શું નામ?
ચિત્રલેખા
11] દેવવ્રત [ભીષ્મ] ને ઈચ્છામૃત્યુનું વરદાન કોણે આપ્યું હતું?
રાજા શાંતનુએ
12] કૃપાચાર્યના ભાણેજ કોણ? તેનું નામ શું?
અશ્વથામા
13] અર્જુનને દ્રૌપદી સિવાય બીજી કેટલી પત્નીઓ હતી? તેમનાં નામ?
ચિત્રાંગદા,ઉલુપી અને સુભદ્રા
14] પાંડુરાજાને કેટલી પત્નીઓ હતી? તેમનાં નામ?
કુંતી અને માદ્રી
15] કર્ણના પાલક પિતાનું નામ?
અધીરથ
ૐ નમઃ શિવાય
નીલાબહેન!
તમારો બ્લોગ વિવિધતાસભર છે ….
હરીશ દવે ….. અમદાવાદ
LikeLike
મારા જવાબ ભાગી ગયા? !!
LikeLike
કવીઝમાં 11/15 માંથી મળ્યા.પાસ કરશોને?11 માર્કે..પાસ?
LikeLike
સુરેશભાઈ
તમારા જવાબો તો તમને મળી ગયાં તો પછી ક્યાં ભાગી શકે ખરાં ?
નીલમબેન
પ્રયત્ન કરો તો કોઈ પણ માર્કે પાસ જ થઈયે.
આપ બંનેએ પ્રયત્ન કર્યો એ બદલ આભાર
નીલા
LikeLike