શવાસન

               આજે વૈશાખ સુદ નોમ [સીતા નવમી]

આજનો સુવિચાર:- જીવનમાં દુઃખોને ઈશ્વરની પ્રસાદી માની સ્વીકારી લો.

હેલ્થ ટીપ્સ:- ગરમ પાણી સાથે બે લવિંગ ખાવાથી હેડકી આવતી બંધ થઈ જાય છે.

                           શવાસન

       યોગાસનમાં શવાસન એક એવું આસન છે જેને લીધે શરીરમાં એકએવું આસન છે જેને લીધે શરીરમાં એકઠા થયેલા ઝેરી પદાર્થો શરીરમાંથી બહાર નીકળી જાય છે. ઝેર નીકળતાં શરીરનાં તંતુઓ સક્રિય બને છે અને શરીરનાં ઘસારા દૂર કરે છે.

       શવાસનનો શાબ્દિક અર્થ લઈએ તો શવ+આસન. આ આસન કરવાથી શરીરની સ્થિતિ શવ એટલે કે લાશ જેવી દેખાય છે. આ આસન શરીરમાં જમા થયેલા ઝેરી પદાર્થો દૂર કરવા મદદ કરે છે જેથી શરીરનાં તંતુઓ સક્રિય બને છે અને શરીરના ઘસારાને દૂર કરે છે.

             શવાસન કરવું ખૂબ સહેલું છે.

* પહેલાં જમીન પર ચત્તાપાટ સૂઈ જવું.

* બે પગ વચ્ચે એક ફૂટનું અંતર રાખી પંજાને બહારની તરફ રાખી ઢીલા છોડો.

* ચહેરાના સ્નાયુઓને ઢીલા છોડતાં છોડતાં આખાનાં સ્નાયુને ઢીલા છોડો.

* શ્વાસોચ્છવાસની ક્રિયા સામાન્ય રાખો.

* આ ક્રિયા કરવામાં લગભગ 30 મિનિટ લાગે છે.

* શવાસનમાંથી બહાર આવવા ઊંડા શ્વાસ લેવાનું ચાલુ કરો..

* ધીરેથી ડાબી બાજુ પડખુ લઈ બેસી જાવ.

    યોગાસનની કસરત કરવાથી હૃદયનાં ધબકારા વધી જતા હોય છે. આ આસનો કર્યા બાદ શવાસન કરવાથી શ્વાસોચ્છવાસની ક્રિયા યથાવત થાય છે. આથી દરેક આસન બાદ શવાસન કરવું હિતાવહ છે. શવાસન પાંચથી ત્રીસ મિનિટ સુધી કરી શકાય છે. મનને સ્થિર રાખવામાં અને ચિંતા-તણાવ દૂર કરવામાં શવાસન ઉત્તમ આસન છે. આ આસનથી શરીર, મન, અને આત્માને પણ સંપૂર્ણ વિશ્રામ, શક્તિ, ઉત્સાહ અને આનંદ મળે છે. ધ્યાનની શક્તિ વધશે.

      શવાસન કરવા માટે પાતળું ઓશિકું કે બ્લેંકેટ લઈ શકાય પરંતુ યોગના શિક્ષક તો ઓશિકું કે બ્લેંકેટ લેવાના વિરુદ્ધમાં છે. એનું સાચું કારણ તો એ જ છે કે આ આસન દરમિયાન આખા શરીરમાં એકસરખું લોહીભ્રમણ થવું જોઈયે. વધુ વજનવાળી વ્યક્તિને આ આસન દરમિયાન ઘૂંટણમાં જો ખેંચાણ લાગે તો ઘૂંટણની નીચે પાતળું ઓશિકું કે બ્લેંકેટ મૂકી શકે છે.

      શવાસન દિવસના કોઈપણ સમયે શકાય પરંતુ ભોજન પહેલાં અને ભોજનનાં 3 થી 4 કલાક બાદ કરી શકાય છે. સવારે નિયમિત યોગાભ્યાસ દરમિયાન કરી શકાય છે. બપોરે ઑફિસના રિસેસ દરમિયાન કોફી પીતા પહેલા કે ઘરે પહોંચી અન્ય કાર્ય ચાલુ કરતાં પહેલા શવાસન કરી શકાય.

      શવાસન કરવા માટે કોઈ મોટો પ્રયત્ન કરવો નથી પડતો. શરીરની જડતા, પકડ, આસક્તિ કે તણાવ દૂર કરવામાં શવાસન શ્રેષ્ઠ છે. આપણે આપણા માટે, આપણી સાથે, અહીં જ રહીને ધ્યાન કરતાં શીખવાની શવાસન એ પ્રાથમિક સ્થિતિ છે. આપણે પોતે આપણા પ્રયત્નથી આપણને મળેલી આ સૌથી મહાન ભેટ એટલે શવાસન.

                        ૐ નમઃ શિવાય

6 comments on “શવાસન

  1. જો સાથે ઓમ કે સોહમ (હંસ) માનસિક જાપ કરી શકાય તો સોનામાં સુગંધ ભળે.

    શ્વાસ લેતાં ૐ અને શ્વાસ છોડતાં ૐ

    અથવા

    શ્વાસ છોડતાં હં અને શ્વાસ લેતાં સ

    અથવા

    શ્વાસ લેતાં સો અને સ્વાસ છોડતાં હં

    શવાસનથી ધ્યાનની શરૂઆત કરી પદ્માસન પર વળી શકાય.

    Like

Leave a reply to chetu જવાબ રદ કરો