આજે વૈશાખ સુદ દસમ
આજનો સુવિચાર:- વ્યક્તિ ગમે તેટલી બુદ્ધિશાળી હોય છતાં પોતાના અહંકારને કારણે તે મૂર્ખ સાબિત થાય છે.
હેલ્થ ટીપ્સ:- સવારે ઊઠતાંની સાથે આંખો સૂજેલી હોય તો બરફ્નાં પાણીમાં રૂ ભીંજવીને આંખો પર લગાડવાથી સોજા દૂર થાય છે.
બે કાવ્યો
[માનસરોવરને કિનારે પુજા અને હવન]
તારી પૂજા કરવી નથી
તુ સર્વત્ર ફેલાયેલો છે
એટલે જ તને શોધતી નથી
તુ ચાહે તો દેરીમાં વસે
કે મંદિરમાં વસે
તુ ચાહે હૃદયમાં બીરાજે
કે આસનીયે બીરાજે
મારે ભોગ ધરવા નથી
મારે પહેરવા સારુ એક જ વસ્ત્ર
તને પહેરવા પીતાંબરી ને ખેસ
ઠાકોરજી હું તને શાલ ધરવાની નથી
તારે તો એક સરીખુ વાદું
મારા હાલ બેહાલને કોઈ દાદના
ઠાકોરજી હવે વાદુનું દેવાદુજ ખરૂં
તારા માટે મેં કર્યા સો ભોજન
મારે પૂછવા સારું કોઈ નહી
ઠાકોરજી તારે માટે કરવી ફક્ત
પ્રભાત ફેરી
——— જાગૃતિ કડકિઆ
શિદને બુઢાપો આવ્યો પ્રભુ
[શ્રી રાધાકૃષ્ણ સ્વામી]
જીવન આખુ વિતાવ્યુ સહજથી
પરંતુ બુઢાપો ના વિતતો
સહજથી શિદને બુઢાપો આવ્યો પ્રભુ?
નાનેથી રમતા મોટા થયા
જુવાની મોજ મસ્તીમાં ગયા
બુઢાપો ના વિતતો સહજથી
શિદને બુઢાપો આવ્યો પ્રભુ
મોટો દિકરો થયો છે જુદો
નાનો ગયો પરદેશ
દિકરી જેને હતી લાગણી
તેને મોકલી પતિદેશ
હવે પારકા કરવા રહ્યા પોતાના
તે પણ વેઠવા સ્વાર્થ
દિશા નવી બતાવી એમણે
વૃદ્ધાશ્રમ દે સૌથી સહેલ
મારા અંતરની વેદના સહાયના
શિદને બુઢાપો આવ્યો પ્રભુ
—— જાગૃતિ કડકિઆ
ૐ નમઃ શિવાય
બન્ને કાવ્યો એકદમ સરસ છે….બન્ને માં રહેલ હાર્દ, હ્રદય ને સ્પર્શી જાય છે..અભિનંદન..!..આપને અને જાગૃતિ બહેન ને…!
LikeLike
પહેલા કાવ્યમાં પ્રભુ સાથેની દાદાગીરી સુંદર છે!!
બીજા કાવ્યનું દર્દ હૃદયને સ્પર્શી જાય છે!
અભિનંદન જાગૃતિબહેન….. આભાર નીલા આંટી!
LikeLike
તુ સર્વત્ર ફેલાયેલો છે..એટલે તને શોધતી નથી…
ખૂબ સરસ.
LikeLike