આજે અધિક જેઠ વદ તેરસ
આજનો સુવિચાર:- શબ્દોથી સદગુરુને મહાત નથી કરી શકાતા, પૈસાથી સદગુરુને ખરીદી નથી શકતા તેમજ સત્તાથી સદગુરુને ગુલામ નથી બનાવી શકાતા.—મોરારી બાપુ
હેલ્થ ટીપ્સ:- પગમાં ગરમીને કારણે થતા પસીનાની દુર્ગંધ દૂર કરવા પગને મેડિકેટેડ સાબુથી ધોઈને 10 મિનિટ સુધી 1 ચમચી યુડિકૉલોન ઉમેરેલા હુંફાળા પાણીમાં ડુબાડી રાખો. થાક પણ દૂર થઈ જશે અને પસીનાની દુર્ગંધ દૂર થશે.
અધિક માસ પૂર્ણતાને આરે આવી ઊભો છે તો થોડી ધર્મ વિષે જાણકારી મેળવીએ.
• અધિક માસ દર ત્રીજે વર્ષે આવે છે.
• ભગવાન શિવજી પાર્વતીજીને અમરકથા કહેવા માટે અમરનાથજીની પસંદગી કરી હતી.
• ભગવાન ભાર્ગવ તરીકે ઓળખાતા પરશુરામ ભગવાન વિષ્ણુનો છઠ્ઠો અવતાર હતા.
• ગાયત્રી મંત્રમાં કુલ ચોવીસ અક્ષરો છે.
• વટવૃક્ષમાં મૂળ વાસ બ્રહ્માજીનો છે.
• કબીરજી જીવનપર્યંત કાશીમાં રહ્યા હતા.
• હિમાલયનાં કેદારશૃંગ પર નર-નારાયણે તપશ્ચર્યા કરી હતી.
• ભગવાન બુદ્ધનો જન્મ કપિલવસ્તુમાં થયો હતો.
• સૌરાષ્ટ્રના સંત ગંગાસતીનો જન્મ ભાવનગર જિલ્લામા થયો હતો.
• શ્રીમદ રાજચંદ્રનો જન્મ સૌરાષ્ટ્રના વવાણિયા ગામે થયો હતો.
• ભેરુતારક ધામ આબુની તળેટીમાં આવ્યું છે.
• કોયલા પર્વત પર હરસિદ્ધ માતાનું મંદિર આવ્યું છે.
• કર્ણનું બાળપણ પવિત્ર ગંગા નદીને કિનારે વીત્યું હતું.
• શંકરાચાર્યનો પગ મગરે પકડ્યો હતો.
• ચંદ્રાસ્વામી રામસેતુની સુરક્ષા માટે રાષ્ટ્રીય સાંસ્કૃતિ જાગરણ અભિયાન ચલાવી રહ્યા છે.
• શીખ ધર્મના નવમા ગુરુ તેગબહાદૂરે ધર્મ અને સંસ્કૃતિની રક્ષા માટે બલિદાન આપ્યું હતું.
• બદરીનાથ ઉત્તરાખંડની અલકનંદા પર આવેલું છે.
• પ.પૂ. કૃષ્ણશંકર શાસ્ત્રીનું મૂળ નામ શ્રી કૃષ્ણ હતું.
• મહાવીર સ્વામી પાવાપુરીમાં નિર્વાણ પામ્યા હતાં અને તે યાત્રાધામ કહેવાય છે.
• પુનિત મહારાજે ભજનનો વેપાર ન કરવાનો સંકલ્પ લીધો હતો.
• માળામાં 54 મણકા હોય તો તે માળા મધ્યમ ગણાય.
• વિનોબા ભાવે ભૂદાનયજ્ઞ દ્વારા સમાજ પરિવર્તન કરનાર મહાપુરુષ હતા.
• સંત જ્ઞાનેશ્વરે માત્ર 22 વર્ષની વયે સમાધિ લીધી હતી.
• અર્જુનની યુધ્ધ કરવાની દ્વિધાને કારણે ભગવત ગીતાની ઉત્પત્તિ થઈ.
• નરસિંહ મહેતાએ પોતાનો કેદાર રાગ શામળશા શેઠ પાસે ગીરવી મૂક્યો હતો.
• જમણી સૂંઢવાળા ગણપતિની ઉપાસના અત્યંત કઠિન છે.
• વેદકાળમાં ઈંદ્રદેવને મુખ્ય દેવ તરીકે માનવામાં આવતાં હતાં.
• ઘંટાકર્ણ મહાવીર મહુડીના દેરાસરમાં બિરાજમાન છે.
ૐ નમઃ શિવાય
જમણી સૂંઢવાળા ગણપતિની ઉપાસના અત્યંત કઠિન છે.
– આ વાક્યના સમર્થનમાં કોઇ સંદર્ભ આપશો. એની સાધના કઠીન શા માટે કહી છે, એ ખ્યાલ ના આવ્યો.
LikeLike