આજનો સુવિચાર

                                 આજે જેઠ સુદ બારસ

આજનો સુવિચાર:- માનવરૂપે ફક્ત એક વખત જ જન્મ મળે છે એવું જે માને છે તે વ્યક્તિ પાસે એ પ્રશ્નનો કોઈ જવાબ નથી કે મનુષ્યના મૃત્યુ બાદ કશું જ જવાબ નથી કે જો મનુષ્યના મૃત્યુ બાદ કશું નથી હોતું નથી, તો જીવનમાં દુષ્ટ કર્મ અને શુભ કર્મ કરવાનું તાત્પર્ય શું છે? — મહર્ષિ દયાનંદ

હેલ્થ ટીપ્સ:- જામફળનો ઉપયોગ હૃદય અને જઠરને બળ આપે છે.

                        આજ સુધી મૂકાયેલા સુવિચારનો અંશ.

આજનો સુવિચાર:- તમે તમારી જાતને મહાન માનતા હો તો તેનુ પ્રદશન કરવાની ભૂલ ન કરત

આજનો સુવિચાર:- સ્વસ્થ શરીર, પ્રાણવાન આત્મા, મનોબળથી ભરપૂર સ્વરૂપ, જ્ઞની, બુદ્ધિમાન તથા સમજદાર વ્યક્તિ બનવાનો સંકલ્પ કરશો તો જીવનમાં આવનારી મુશ્કેલીઓનો આપોઆપ રસ્તો નીકળશે. —-જવાહરલાલ નહેરુ

આજનો સુવિચાર:- પ્રભુએ જેનો સ્વીકાર કર્યો છે તે અવંદનીય પણ વંદનીય થઈ જાય છે.

આજનો સુવિચાર:- ધર્મનું સર્વશ્રેષ્ઠ લક્ષણ આચરણમાં છે….સ્વામી પ્રણવાનંદજી

આજનો સુવિચાર:- શબ્દકોષમાં ‘મા’નો શબ્દાર્થ મળશે પરંતુ ‘મા’નો ખરો તો ભાવાર્થ હૃદયકોષમાં જ મળશે

આજનો સુવિચાર:-કોઈને શબ્દોથી કાપો નહિ પણ કોઈના દિલમાં સુંદર શબ્દો રોપો

આજનો સુવિચાર:- આપ સમાન બળ નહિ, મેઘ સમાન જળ નહિ.—ચાણક્ય

આજનો સુવિચાર:- પ્રકૃતિ ઇશ્વરનું સ્વરૂપ છે, કલા મનુષ્યનું સ્વરૂપ છે

આજનો સુવિચાર:- પસ્તાવો. હ્રદયની વેદના છે અને નવા નિર્મળ જીવનનો ઉદય છે

આજનો સુવિચાર:- કલા પ્રકૃતિથી અનંત તરફ લઈ જતી સીડી છે

આજનો સુવિચાર:- સેંકડો હાથેથી ભેગું કરો, અને હજારો હાથેથી વહેંચી દો.

આજનો સુવિચાર:- મહત્વના બનવું તે સારું છે પણ સારા બનવું તે વધુ મહત્વનું છે.

આજનો સુવિચાર:-.પોતાની જાતને ઓળખતા શીખવું એ સૌથી કઠિન અને અન્યના કામમાં ભૂલ શોધવી એ સૌથી સરળ કાર્ય છે
આજનો સુવિચાર:-અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા

આજનો સુવિચાર:- માણસ પોતે પોતાનો મિત્ર છે તેમજ શત્રુ છે, શું થવું તેણે નક્કી કરવાનું છે ગીતા 6 , 5-6

આજનો સુવિચાર:- જે પોતાની જાતને સુખી નથી માનતો તે ક્યારે સુખી નથી થતો.

આજનો સુવિચાર:- સફળતાનો કોઈ શોર્ટકટ નથી. બીજાની નકલ કરીને તમે તમારી જાતને ક્યારેય મહાન બનાવી શકો નહીં

આજનો સુવિચાર:- જે પોતાના જ્ઞાનાનુસાર વર્તન કરે તે જ વિદ્વાન

આજનો સુવિચારઃ-કોઈ પણ અતિથિનો સત્કાર કરવામાં કદી નાનું મન રાખવુ નહીં એટલે તો ‘અતિથિ દેવો ભવ’ કહેવાય છે

આજનો સુવિચાર:- નિશ્ચય જ સાચીમાં સાચી અને સારામાં સારી ચતુરાઈ છે.

આજનો સુવિચાર:- તૃષ્ણામાં જે આનંદ છે, તે તૃપ્તિમાં નથી. – જ્યોતિન્દ્ર દવે

આજનો સુવિચાર:- સામા પક્ષને ન્યાય કરવાથી આપણને ન્યાય વહેલો મળે છે.—ગાંધીજી

આજનો સુવિચાર:- શિક્ષણનો હેતુ વિદ્યાર્થીના મગજમાં માહિતીનું ભૂસું ભરવાનો નથી, પરંતુ વિદ્યાર્થીના મનને રૂઢિઓ,માન્યતાઓ, પૂર્વગ્રહો, અભિપ્રાયો વગેરેથી પૂર્ણપણે મુક્ત કરી એને સ્વતંત્રપણે વિચાર કરતો કરવાનો છે.—જે.કૃષ્ણમૂ

આજનો સુવિચાર:- કપરા સંજોગમાંજે હિંમત રાખીને ચાલે છે એને વહેલી કે મોડી સફળતા મળીને જ રહે છે. સમયની સાથે સંજોગ બદલાતા રહે છે.

આજનો સુવિચાર:- અભિમાનથી માનવી ફુલાઈ શકે છે ફેલાઈ શકતો નથી

આજનો સુવિચારઃ– તમે તમારા કાર્યમાં ઓતપ્રોત થઈને આગળ વધો એમાં જ તમારું ગૌરવ છે

આજનો સુવિચારઃ-તમે જે ધારો છો તે કરી શકો છો,તમારામાં સુષુપ્ત શક્તિનો ભંડાર પડેલો છે

આજનો સુવિચારઃ-સાચા દિલથી કરેલી પ્રાર્થના કદી વ્યર્થ નથી જતી.

આજનો સુવિચારઃ-..આ જગતમાં ભાગ્યે જ એવી કોઈ વ્યક્તિ હશે કે જેનો એક પણ શત્રુ કે મિત્ર ન હોય.- ચિનુ મોદી.

આજનો સુવિચારઃ-..સફળતાનો માર્ગ જોખમ ભર્યો છે. તેની સામે લડનાર પુરૂષાર્થી જ પોતાનું જીવન સફળ બનાવી શકે છે.

આજનો સુવિચાર– ન હો જો કશું તો, અભાવો નડે છે, મળે જો બધું તો, સ્વભાવો નડે છે.

આજનો સુવિચાર:- ગરબો એ વિશ્વકર્તા વિશ્વેશ્વરનાં વિશ્વેશ્વરી સ્વરૂપનું માતારૂપે સ્તવન પૂજન-અર્ચન છે.

આજનો સુવિચાર:- અહિંસા સત્યની શોધનો આધાર છે. – ગાંધીજી

આજનો સુવિચાર:-ગીત આનંદમય અને અનિર્વચનીય છે ! ડૉ. યશવંત ત્રિવેદી

આજનો સુવિચાર:- માનવસંસ્કૃતિના વિકાસના કેંદ્રમાં જો બાળક છે તો તેમના પ્રયેનો પ્રેમ અને તજ્જ્ન્ય બાલસાહિત્ય છે. — શ્રદ્ધા ત્રિવેદી

આજનો સુવિચાર:- સાચો અને સંપૂર્ણ ધર્મ એક જ છે પરંતુ મનુષ્યમ માટે અનેક બને છે. —– ગાંધીજી

આજનો સુવિચાર:- સંયમ અને પરિશ્રમ માનવીનાં બે વૈદ છે. – રૂસો

આજનો સુવિચાર:- નિષ્ઠામાં સ્થિર થવું એ મોટામાં મોટું તપ છે.— મોરારી બાપુ

આજનો સુવિચાર:- કોઈપણ મનુષ્યના હાસ્ય પરથી ઘણીવાર તેનાં ગુણ અવગુણ અને પ્રકૃતિ પારખી શકાય છે. – દત્તકૃષ્ણાનંદ

આજનો સુવિચાર:- કોઈપણ વ્યક્તિ અયોગ્ય હોતી નથી ફક્ત તેને પારખવાની દૃષ્ટિ હોવી જરૂરી છે.

આજનો સુવિચાર:- પસ્તાવો હૃદયની વેદના છે અને નવા નિર્મળ જીવનનો ઉદય છે.

આજનો સુવિચાર:- જીવનકોષમાંથી બે શબ્દોને કાયમને માટે છેકી નાંખીએ – ‘અશક્યતા અને કંટાળો’ – જીવન જીવતાં આવડે તો કશું અશક્ય નથી, કોઈપણ કામ આનંદથી કરશો તો ક્યાંય કંટાળો નથી.

આજનો સુવિચાર:- અવલોકનશક્તિ તથા સામૂહિક જ્ઞાનથી છુપાયેલા ગુણદોષ જાણી શકાય છે. – દત્તકૃષ્ણાનંદ

                                    ૐ નમઃ શિવાય

20 comments on “આજનો સુવિચાર

  1. માનવરૂપે ફક્ત એક વખત જ જન્મ મળે છે એવું જે માને છે તે વ્યક્તિ પાસે એ પ્રશ્નનો કોઈ જવાબ નથી કે મનુષ્યના મૃત્યુ બાદ કશું જ જવાબ નથી કે જો મનુષ્યના મૃત્યુ બાદ કશું નથી હોતું નથી, તો જીવનમાં દુષ્ટ કર્મ અને શુભ કર્મ કરવાનું તાત્પર્ય શું છે? — મહર્ષિ દયાનંદ

    Like

  2. thank u sir ghanaj mhtvana vicharo che, aachrnma ave to vdhu mhatvna bane evi chahk che. vav aa banne to ghanaj important che. જીવનકોષમાંથી બે શબ્દોને કાયમને માટે છેકી નાંખીએ – ‘અશક્યતા અને કંટાળો’ – જીવન જીવતાં આવડે તો કશું અશક્ય નથી, કોઈપણ કામ આનંદથી કરશો તો ક્યાંય કંટાળો નથી.નિષ્ઠામાં સ્થિર થવું એ મોટામાં મોટું તપ છે,

    Like

Leave a reply to Himanshu Hiralal Patel જવાબ રદ કરો