આજે શ્રાવણ વદ એકાદશી
આજનો સુવિચાર:- પર્વો અને તહેવારો માનવસમાજના સામૂહિક હર્ષોલ્લાસનું પ્રતિક છે તથા માનસિક શક્તિ વધારે છે. તહેવારો દ્વારા જ મનોયોગ થાય છે. સમાજના તમામ સ્તરોમાં પર્વ અને તહેવારો આદિકાળથી પ્રવર્તમાન છે.
હેલ્થ ટીપ્સ:- આંબાની ગોટલી અને આમળાને પાણીમાં પલાડી ચોળીને માથામાં લેપ કરવાથી વાળ કાળા અને લાંબા થાય છે.
બાબુલનાથ
[rockyou id=83253362&w=550&h=183]
મુંબઈમાં ઘણા મંદિરો છે. તેમાં ‘બાબુલનાથ’નુ મંદિર જગ પ્રખ્યાત છે. મુંબઈ આવતાં સહેલાણીઓ આ મંદિરની મુલાકાત અચૂક લેતાં હોય છે. ફિલ્મી જગતનો પ્રખ્યાત અમિતાભ બચ્ચન તેના પુત્ર અભિષેક સાથે અવારનવાર દર્શનાર્થે આવતો હોય છે.
તળ મુંબઈનાં મલબાર હિલ વિસ્તારમાં સ્થિત બાબુલનાથનું મંદિર સમુદ્રથી લગભગ 1000 ફૂટની ઊંચાઈ એ આવેલું છે. લગભગ 121 પગથિયા ચઢવાનાં હોય છે. હવે તો લિફ્ટની સગવડ પણ ઊભી કરાઈ છે. દરવર્ષે લગભગ 1 લાખ ભક્તો અહીં દર્શનાર્થે આવે છે. શ્રાવણ મહિનાના દરેક સોમવારે ખૂબ ભીડ રહેતી હોય છે અને ભક્તોની લાંબી કતાર લાગતી હોય છે. મહાશિવરાત્રીના દિવસે તો ભક્તો રાતભર લાઈનમાં બેસી રહેતા હોય છે. સવારનાં 2.30થી દર્શનાર્થીની કતાર ચાલુ થઈ જાય છે.
આ મંદિર લગભગ 200 વર્ષ જૂનું છે અને પાંડુરંગ નામના સોનીનું હતું. તેના ગાયોનાં ધણને ‘બાબુલ’ નામનો ભરવાડ ધ્યાન રાખતો હતો. એક વખત કપિલા નામની ગાયે દૂધ આપવું અચાનક બંધ કર્યું. તપાસ કરતાં જણાયું કે કપિલા ગાય પોતાનું બધું દૂધ એક મોટા શિવલિંગ ઊપર વહાવતી હતી. ત્યારબાદ ત્યાં મંદિર બંધાવાયું અને ‘બાબુલ’ ભરવાડનાં નામ પરથી આ મંદિરનું નામ ‘બાબુલનાથ’ આપવામાં આવ્યું હતું. ઈ.સ. 1780માં આ મંદિર બાંધવામાં આવ્યું હતું. અને ઈ.સ. 1900માં તેનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે.
અહીં ભગવાન આશુતોષનાં દર્શન કરવાથી તેમજ આરતીનાં ઘંટારવ મનને શાંતી અર્પે છે. આ ‘આશુતોષ’ એટલે જલ્દીથી પ્રસન્ન થનાર અને ખરેખર ભોલાનાથ જલ્દીથી પ્રસન્ન થાય છે. અહીં શ્રાવણ માસે ઘીની પૂજા કરવામાં આવે છે. એવું નથી કે ફક્ત શ્રાવણ મહિને ભક્તોની ભીડ રહે છે પરંતુ વર્ષના દરેક સોમવારે ભક્તોની ભીડ રહે છે. અને પ્રેમથી ભક્તો ‘બાબુલનાથ ટેકરી વાલેકી જય’નો નાદ કરતા હોય છે. ભક્તો અઠવાડિયા દરમિયાન કોઈ પણ દિવસે દરેક પગથિયે પાન પર ઘીનો દીવો પ્રગટાવી પોતાની માનતા પણ પૂરી કરતાં હોય છે.
શિવમંદિર ઉપરાંત અહીં લક્ષ્મીનારાયણનું મંદિર, કાશી વિશ્વનાથનું મંદિર, વિરાટ સ્વરૂપ શ્રીકૃષ્ણનું મંદિર તથા શ્રી હનુમાનજીનું મંદિર પણ સ્થિત છે. મંદિરના ચઢાણ પાસે શ્રી દ્વારિકાધીશનું મંદિર આવેલું છે.
મુંબઈ આવો તો જરૂરથી શ્રી બાબુલનાથજીનાં દર્શનાર્થે પધારશો.
“ૐ સાંબ સદાશિવાય નમઃ
ૐ શિતિકંઠાય નમઃ”
ૐ નમઃ શિવાય
You gave us great details about this temple..Babulnath then I have to visit this temple when I come to mother -land India.
Thank you for info.
LikeLike
સરસ માહીતી
LikeLike
NEELA BEN,
FIRST DAHI HAANDI AND NOW BABULNATH DARSHAN DELIGHTED ME, AS I M PART OF MUMBAI’S ACTIVITIES BUT PRESENTLY IN AMERICA VISITING MY DAUGHTERS HERE. GREAT FEELING HAVING THE DARSHAN.
THANKS
HAVE A CREATIVE DAY
ARVIND UPADHYAY
LikeLike
સરસ માહિતી.. દર વખતે કંઇક નવું જ જાણવા મળે છે.
LikeLike
Babul Nath is indeed a sacred place to visit. ..Quite informative post. …. Harish Dave Ahmedabad
LikeLike
Babul Nath is indeed a sacred place to visit. ..Quite informative post. …. Harish Dave Ahmedabad
LikeLike
બાબુલનાથનાં દર્શન 1979માં મારાં પત્ની સાથે કરેલાં.
ખૂબ ચાલવાથી ખૂબ જ થાક લાગેલો જે દર્શંનથી ચાલ્યો
ગયો ! પ્રસ્તુત માહિતી ઘણી ઉપકારક છે.આભાર બહેના !
LikeLike
saras maahiti…
as far as i m concerned, I am not much into Idol Worship, but its gud information for all
LikeLike
નીલાબહેન, સરસ માહીતી! બાર જ્યોતીર્લીંગો વીશે જણાવશો?
LikeLike
saras mahiti saathe darsan !
LikeLike
Anubhav , anubhuti, shivji krupa.. .bhakti sabhara lekh
we are lucky to read and feel ourselves near to god.
Ramesh Patel(Aakashdip)
LikeLike