આજે ભાદરવા સુદ પૂનમ [શ્રાદ્ધ]
આજનો સુવિચાર:- ‘હું’ ક્યાંય નથી. એક અંગને વિભિન્ન કરીને વિચારતાં અંગો સમાપ્ત થઈ જાય છે અને શૂન્ય કેવળ રહી જાય છે. – ઓશોવાણી
હેલ્થ ટીપ્સ:- દાઝ્યા પર કાચા બટાટાનો પલ્પ લગાડવાથી ફોલ્લા નહીં પડે.
જાણવા જેવાં સત્ય
• કહેવાય છે કે શાહજહાએ કાળા આરસપહાણનો બીજો તાજ મહાલ રચવાનું નક્કી કર્યું હતું જે યમુનાને બીજે કિનારે હોત અને બંને ને જોડતો એક પુલ બનાવવાનો હતો.
• બ્લુ વ્હેલ એટલી મોટેથી સીટી વગાડે છે કે તેનો અવાજ 188 ડેસી મીટર દૂર સુધી સંભળાય છે.
• લિયોનાર્ડો દ વિંશી વિષે કહેવાય છે કે તેઓ એક હાથે લખે છે અને એજ સમયે તેઓ બીજા હાથ વડે ચિત્ર દોરી શકતા હતા.
• ચીલીમાં એરિકા સૌથી સૂકી જ્ગ્યા ગણાય છે જ્યાં વરસે 0.03 ઈંચ વરસાદ પડે છે. આનો મતલબ એમ થાય કે એક કપ કોફીનો ભરાતા એક સદી વહી જાય.
• એક પાઉંડ પ્લેટિનમ નામની ધાતુ બે લાખ માટીમાંથી માંડ મળે છે.
• ઑલંપિકના નિયમાનુસાર બેડમિગ્ટનના ફૂલમાં 14 એક સરખા પીંછા લાગેલા હોવા જોઈએ.
• મધ ક્યારેય ખરાબ થતું નથી.
• કાગળનો એક ટુકડો 7થી વધારે વખત વાળી શકાતો નથી.
• નાક બંધ કરીને જો સફરજન કે બટાટું કે કાંદો ખાવામાં આવે તો તેમનો સ્વાદ એકસરખો મીઠો લાગે છે.
• અંગ્રેજી થાઉસંડ શબ્દમાં A અક્ષર એક વાર આવે છે પણ અંગ્રેજીમાં વનથી નાઈન હડ્રેડ એંડ નાઈટી નાઈનમાં એકપણ વખત A અક્ષર આવતો નથી.
• કેમેલિયનની જીભ એના માથા અને શરીર જેટલી લાંબી હોય છે અને તે 16 ફૂટ દૂર રહેલો પોતાનો શિકાર એક સેકંડમાં કરી શકે છે.
• ઝેબ્રા કાળા રંગના અને સફેદ લાઈનવાળા નથી પણ સફેદ રંગના અને કાળી લાઈનવાળા હોય છે.
• હાફીઝ કૉટ્રાક્ટર ભારતનાં ટોચના આર્કિટેક્ટ છે.
• શ્રી પુ.લ. દેશપાંડે સરકાર તથા પ્રજા તરફથી સન્માન-તેમની ટપાલ ટિકિટ-પદ્મશ્રી- પદ્મભૂષણ- અભિનેતા – ગાયક – દિગ્દર્શક – વક્તા – હાસ્યકાર અને લેખક હતા.
• 26મી માર્ચના દિવસે ‘રંગભૂમિ’ દિવસ તરીકે ઉજવાય છે.
ૐ નમઃ શિવાય