આજે પોષ વદ એકમ
આજનો સુવિચાર:- આપણે જો ઈચ્છીએ તો નાની કે મોટી દરેક ભૂલ આપણી શિક્ષક બની શકે છે.
હેલ્થ ટીપ્સ:- કુંવારપાઠુંનો પાક શરીરમાં થતા વાયુ અને સાંધાના દુઃખાવામાં ફાયદો કરે છે.
જય હિન્દનો જય ઘોષ આપનારા સુભાષચંદ્ર બોઝ
‘તુમ મુઝે ખૂન દો, મૈ તુમ્હે આઝાદી દૂંગા’
જેમનો લલકાર હતો તે સુભાષચંદ્ર બોઝની આજે જન્મદિન છે. 23 જાન્યુઆરી 1897માં સ્વાતંત્ર્ય સેનાની સુભાષચંદ્ર બોઝનો જન્મ બંગાળના કોડિલિયા ગામે થયો હતો. એ સદીમાં જન્મ લેવો સદભાગ્ય ગણાતુ હતું. દેશની બુરી હાલત જોઈ તેમના મન પર ભારે અસર થઈ હતી. મેટ્રિક થયા બાદ હિમાલયમાં ગુરુની શોધમાં નીકળી પડ્યા. ગુરુ પાસેથી તેમને મોક્ષની સિદ્ધિની અપેક્ષા ન હતી પરંતુ માતૃભૂમિની સેવા શીખવે તેવો ધર્મ શીખવો હતો. થાકી પાછા ફરી તેઓ ચિત્તરંજનબાબુ પાસે આવી રહ્યા. દેશબંધુએ તમને રાષ્ટ્રિય વિદ્યાપીઠના આચાર્ય બનાવ્યા હતા. પછી તો જેલવાસનો સિલસિલો ચાલુ થયો. સુભાષબાબુએ જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, મૌલાના આઝાદ સૌ સાથે કામ કર્યું હતું.
1937માં તેઓ હરિપુરા કોંગ્રેસનાં પ્રમુખ બન્યા. પછી તો તેમણે કોંગ્રેસ પણ છોડી.ગુપ્ત વેશે દેશદેશાવર ફર્યા. આઝાદ હિંદની ફોજની સ્થાપના કરી. યુવાનોને પડકાર ફેંક્યો,’તુમ મુઝે ખૂન દો મૈં તુમ્હે આઝાદી દૂંગા’. તેઓ દ્રઢતાપૂર્વક માનતા હતા કે લશ્કરી તાકાતથી જ ભારતની મુક્તિ શક્ય થશે. જાપાને જીતેલા આંદામાન નિકોબાર ટાપુઓ તેમને સોંપાયા. એમના પડકારથી જ ભારતીય ભૂમિસેના, નૌસેના અને વાયુદળનો વિદ્રોહ ફાટ્યો.
સુભાષચંદ્ર બોઝે મશહૂર ‘જય હિન્દ’નું સૂત્ર ગૂંજતું કર્યું. 19-8-1945ના દિવસે ટોકિયો જતા વિમાની અક્સ્માતમાં તેમનું અવસાન થયું. આવા વીર પુરુષને શત શત પ્રણામ.
ૐ નમઃ શિવાય
Thank you Neelaben for this brief and vital biography.
LikeLike
Superb Knowledgeable Collection…….Very good effort….Congratulations………
LikeLike