આજે આસો સુદ એકમ [શારદીય નવરાત્રિનો શુભારંભ]
આજનો સુવિચાર:- હકારાત્મક વિચાર વ્યક્તિત્વને સુંદર બનાવે છે.
હેલ્થ ટીપ:- નવરાત્રિ દરમિયાન કરાતા ઉપવાસ વખતે નાળિયેરનું પાણી શરીરને શક્તિ આપે છે.
આજથી શારદીય નવરાત્રિનો પ્રારંભ થાય છે. વર્ષ દરમિયાન ચાર નવરાત્રિ આવે છે. જેમાં ચૈત્રી નવરાત્રિ અને આસો મહિનાની નવરાત્રિનો મહિમા વધારે ગણવામાં છે. શક્તિની ઉપાસના એટલે નવરાત્રિનું પર્વ
પૌરાણિક કથા મુજબ મહિષાસુરે બ્રહ્માજી પાસે એ વરદાન માંગ્યું કે કોઈ પુરૂષના હાથે મારું મૃત્યુ ન થાય. આ વરદાનને કારણે મહિષાસુરે ત્રાહીમામ પોકારી દીધો હતો. દેવો આ રાક્ષસના ત્રાસથી કંટાળી ગયા હતા. છેવટે દેવો સર્વ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ પાસે ગયા અને મહિષાસુરના ત્રાસમાંથી છૂટકારો માંગ્યો. આમ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશે પોતાના ત્રિમૂર્તિ શરીરમાંથી એક સ્ત્રીશક્તિનું નિર્માણ કર્યું. પુરુષના હાથે ન મરવાના વરદાનથી સ્ત્રીશક્તિનું નિર્માણ થયું. પ્રગટ થયેલી આ દિવ્ય સ્ત્રીશક્તિને સર્વ દેવોએ પોતપોતાના આયુધ આપ્યાં.
આસો સુદ એકમથી ચાલુ થયેલું આ યુદ્ધ નવ દિવસ-રાત્રી ચાલ્યું અને દસમા દિવસે મહિષાસુરનો વધ થયો. આમ આ નવ દિવસ એટલે નવરાત્રિ મહિષાસુર પર શક્તિના વિજયની ગાથા.
નદી કિનારે નાળિયેરી રે ભાઈ નાળિયેરી રે
હો મારી કાળકા માને કાજ રે ભાઈ નાળિયેરી રે
– નદી કિનારે
પહેલું તે નાળિયેર નવરંગી રે ભાઈ નવરંગી રે,
હો મારી કાળકામાને કાજ રે ભાઈ નાળિયેરી રે
– નદી કિનારે
બીજું તે નાળિયેર નવરંગી રે ભાઈ નવરંગી રે,
હો મારી બહુચર માને કાજ રે ભાઈ નાળિયેરી રે
– નદી કિનારે
ત્રીજુ તે નાળિયેર નવરંગી રે ભાઈ નવરંગી રે,
હો મારી અંબામાને કાજ રે ભાઈ નાળિયેરી રે
– નદી કિનારે
ચોથું તે નાળિયેર નવરંગી રે ભાઈ નવરંગી રે,
હો મારી મેલડી માને કાજ રે ભાઈ નાળિયેરી રે
– નદી કિનારે
પાંચમું તે નાળિયેર નવરંગી રે ભાઈ નવરંગી રે,
હો મારી ખોડિયાર માને કાજ રે ભાઈ નાળિયેરી રે
– નદી કિનારે
છઠ્ઠુ તે નાળિયેર નવરંગી રે ભાઈ નવરંગી રે,
હો મારી ચામુંડા માને કાજ રે ભાઈ નાળિયેરી રે
– નદી કિનારે
ૐ નમઃ શિવાય