આજે પોષ સુદ પાંચમ
આજનો સુવિચાર:- સંતોને પણ પોતાનું પ્રારબ્ધ ભોગવવું પડે છે.
હેલ્થ ટીપ:- 2 ચમચામુલતાની માટી, ચપટી કપૂર અને ગુલાબજળ ભેળવી ફ્રિજમાં મૂકી રાખો થોડીવાર રહી તેને ચહેરા પર લગાડો.. સુકાતા મોઢું ધોઈ કાઢો ચહેરાની ચીકાશ જતી રહેશે.
નવા વર્ષની શરૂઆત આપણે સ્વાસ્થયથી કરીએ.
પથરી
આપણા શરીરની પાચનક્રિયા દ્વારા રોજિંદા ખોરાકમાંથી કૅલ્શિયમ ચૂસાય છે પણ જ્યારે એનો અતિરેક થાય છે ત્યારે તેનો મૂત્ર દ્વારા નિકાલ થાય છે. જ્યારે શરીર દ્વારા વધુ પડતુ કૅલ્શિયમ ચૂસાય છે ત્યારે કૅલ્શિયમના ક્રિસ્ટલ એટલે પથરી બને છે. અને જ્યારે એ મૂત્રનળીમાં પ્રવેશે છે તે તે ખૂબ પીડાકારક બને છે.
પથરી થયાની નિશાનીઓ
પડખામાં કે પીઠમાં સખત દુઃખાવો થાય
મૂત્ર દ્વારા લોહીનું વહેવું તાવ આવે અને ઠંડી લાગે ઉલ્ટીઓ થાય
મૂત્રમાં દુર્ગંધ આવે અને મૂત્ર ગાઢુ વહે છે
પેશાબમાં બળતરા થાય છે
જ્યારે ઉપરોક્ત નિશાનીઓ જણાય ત્યારે ડૉકટરની સલાહ લેવી.
પથરીના ઘરગથ્થુ ઉપાય
* રાજમા ઉપયોગ છૂટથી કરવો
• રોજિંદા ખોરાકમાં સેલેરીની ભાજીનો ઉપયોગ કરો જે મૂત્રાશયમાં રહેલી પથરી ઓગાળવામાં મદદ કરશે.
• આયુર્વેદની દવાઓમાં તુલસી ઉત્તમ ગણાય છે. થોડી તુલસીના પાન ચાવી જાવ અથવા એક ચમચી તુલસીનો રસ મધ સાથે 6 મહિના સુધી લેવો.
• રોજના બે સફરજન જમ્યા બાદ ખાવા. સફરજન મૂત્રાશયની પથરી પર અસરકારક છે.
• જે ફળમાં વધુ પાણી હોય તે ફળ ખાવું જરૂરી છે જેવું કે કલિંગર.
• આધુનિક શોધખોળ વિટામિન બી6 મૂત્રપિંડની પથરી પર અસરકારક છે.
• મૂળા, કોબી, કૉલીફ્લાવર, ટામેટા, ભાજી, અથાણા, માંસાહાર વગેરે ખાવાનું ટાળો જેનાથી મૂત્રાશયની પથરી હેરાન ન કરે.
• જે ખોરાકમાં વધુ પડતું કૅલ્શિયમ અને ફોસ્ફેટ હોય તે ખોરાક ટાળો જેવા કે ઘઉં, ચણા, વટાણા, કોપરું, બદામ, કૉલીફ્લાવર, કૉબી, ગાજર અને દૂધની બનાવટ ખાવાનું ટાળો.
• મગ જેવા ઓછા પ્રોટીનવાળો ખોરાક લો.
• પુષ્કળ પાણી પીવાનું રાખો.
• આધુનિક રિસર્ચ પ્રમાણે યોગ જેવાં કે પવનમુક્તાસન, ધનુરાસન, ઉત્તાનપાદાસન, ભૂજંગાસન વગેરે પથરી પર ઉત્તમ છે.
• બે સૂકા અંજીર લઈને 1 કપ પાણીમાં ઉકાળો. આ ઉકાળો સવારના ભૂખ્યા પેટે દિવસમાં એકવાર પીઓ. આ ઉકાળો એક મહિના સુધી લો.
ૐ નમઃ શિવાય