આજે માગશર વદ સાતમ
આજનો સુવિચાર:- જયારે પૈસો બોલે છે ત્યારે સત્ય મૌન રહે છે.
હેલ્થ ટીપ:- ઠંડીને કારણે શરીરમા ધ્રૂજારી થતી હોય તો પગના તળિયામાં સરસિયા તેલની માલિશ કરવી.
આજ સુધી મૂકાયેલી હેલ્થ ટીપનાં કેટલાંક અંશ.
હેલ્થ ટીપ:- તજના ભૂક્કામાં લીંબુનો રસ ભેળવી પેસ્ટ બનાવી ખીલ પર લગાડવાથી ખીલ મટે છે.
હેલ્થ ટીપ:- તલનું તેલ મેદ નાશક કહેવાય છે. મેદ ઉતારવો હોય તો તલના તેલમાં રસોઈ કરવી.
હેલ્થ ટીપ:- ગોદંતી ભસ્મ મધમાં ચટાડવાથી બાળક માટી ખાવાનું છોડી દેશે.
હેલ્થ ટીપ:- સોજો કે મૂઢમાર વાગેલી જગ્યા પર હળદર અને મીઠું ભેગા કરી થોડાંમાં પાણીમાં ખદખદાવી લગાડવાથી રાહત રહેશે.
હેલ્થ ટીપ:- લીલી હળદર અને આદુનું કચુંબર દરરોજ લેવાથી દૂધ પીવડાવતી માતાને વધારે ધાવણ આવે છે.
હેલ્થ ટીપ:- કપાસીની કણી થઈ હોય તો તેની ઉપર થોડુ પાણી લગાડી તેની ઉપર ઈંટનો કટકો લઈ મધ્યમ વજનથી 15 થી 20 મિનિટ ઘસો. – લાભશંકર ઠાકર
હેલ્થ ટીપ:- મરીનાં ચૂર્ણને ઘીમાં ભેળવી દિવસમાં બે વખત ચાટવાથી શીળસમાં રાહત રહે છે.
હેલ્થ ટીપ:- શિયાળામાં પગમાં પડતા ચીરા નીવારવા રાત્રે સૂતા પહેલાં પગમાં ગ્લીસરીન અને ગુલાબજળનું મિશ્રણ લગાડવું.
હેલ્થ ટીપ:- વજન ઉતારવું છે? સવારના જમતા પહેલા બે ગ્લાસ છાશ પીઓ અને સાંજના ભોજનમાં સૂપ અને વરાળમાં બાફેલા શાકભાજી ખાઓ.
હેલ્થ ટીપ:- વજન વધારવું છે? તો રાતના સૂતી વખતે હુંફાળા દૂધમાં એક ચમચી મધ ભેળવીને પીઓ.
હેલ્થ ટીપ:- અપચો [અજીર્ણ] થયો હોય ત્યારે લીંબુ અને આદુનો રસ સરખે ભાગે લઈ તેમાં ચપટી સિંધવ મીઠું ભેળવી તેમાં પાણી શરબત બનાવી દિવસમાં ત્રણ ચાર વખત પીવું.
હેલ્થ ટીપ:- કાચા પૌંઆ ખાઈને ઉપરથી પાણી ન પીવાથી માથાનો દુઃખાવો મટે છે.
હેલ્થ ટીપ:- ત્રણ અંજીરને પલાડી પોચે પડ્યે ચાવીને ખાવાથી પાઈલ્સ પર ખૂબ રાહત રહે છે. આ પ્રયોગ 15 દિવસ કરવાથી ખૂબ રાહત રહેશે.
હેલ્થ ટીપ:- ગોળના નાના ટુકડા સાથે 8 થી 10 દાણા ચારોળીના ચાવી જતાં થાક ઉતરી જશે.
હેલ્થ ટીપ:- મોંમાં પાણી ભરી આંખ પર પાણી છંટકારવાથી નેત્રની જ્યોતિ વધે છે.
હેલ્થ ટીપ:- જમતા પહેલાં ખાટાં ફળ અથવા રસ લેવા અને જમ્યા બાદ મીઠાં ફળ લાભકારી છે.
હેલ્થ ટીપ:- દાંતનાં દુઃખાવો થતો હોય ત્યારે તજના તેલનું પુમડું મૂકવાથી રાહત રહેશે.
હેલ્થ ટીપ:- સરસવનાં તેલમાં થોડી હળદર ઉમેરીને પગની માલિશ કરવાથી પગ ઘાટિલા અને સુડોળ બને છે.
હેલ્થ ટીપ:- જાંઘમાં દુઃખાવો થતો હોય ત્યારે પગનાં તળિયામાં માલિશ કરવાથી ફાયદો થાય છે.
હેલ્થ ટીપ:- સાંધાની પીડામાં ફણગાવેલી મેથી ઉત્તમ પરિણામ આપે છે.
હેલ્થ ટીપ:- નવરાત્રિ દરમિયાન કરાતા ઉપવાસ વખતે નાળિયેરનું પાણી શરીરને શક્તિ આપે છે.
હેલ્થ ટીપ:- રાત્રે કાંદાનું રાયતુ ખાવાથી ઊંઘ સારી આવે છે.
હેલ્થ ટીપ:- એસિડિટી લાગે ત્યારે થોડીક બદામ ખાઓ.
હેલ્થ ટીપ:- પિત્ત વધી ગયું હોય ત્યારે બરફ નાખેલા પદાર્થો ન ખાવા અને તળેલા પદાર્થોનું સેવન ન કરવું જોઈએ
હેલ્થ ટીપ:- અઠવડિયામાં એકવાર મધનું એક એક ટીપું નાખવાથી આંખની ગરમી ઓછી થાય છે.
હેલ્થ ટીપ:- બળેલા શરીરને ઝડપી રૂઝવવા એલોવીરા અને હળદરના મિશ્રણમાં કોપરેલ નાખવું.
ૐ નમઃ શિવાય
રાત્રે કાંદાનું રાયતુ ખાવાથી ઊંઘ સારી આવે છે.
aa jaruri che neela didi..nindra devi naraj rahe che bahu…have vat..roj rate have mandi padvanu bas…
LikeLike