આજે પોષ વદ બારસ
આજનો સુવિચાર:- પરિશ્રમ પોતે જ એક સારું પારિતોષક છે
હેલ્થ ટીપ :- સોજા પર તજનો લેપ રાહત આપે છે.
‘કાળઝાળ’ સૂરજનો તાપ અને એનું આહવાન ઝીલનાર માનવ હૃદય તે મીણનાં !
મીણનાં
કાળઝાળ સૂરજના તાપ અમને દીધા
ને રુદિયાં દીધાં છે સાવ મીણનાં !
આટાઆટલાં માણસ ને તોયે અહીં આપણું ન એકેય જણ,
કાગળની હોડીએ કરવાનાં પાર ધોમ સૂસવતી રેતીનાં રણ,
જાળીમાં ફેરવાનું જાય લીલું પાન એને કાળાં એકાંતના વ્રણ,
મુઠ્ઠીભર હાડકાંના પિંજરને દઈ દીધા
ખાલીપા જોજનવા ખીણના !
કાળઝાળ સૂરજના તાપ અમને દીધા
ને રુદિયા દીધાં છે સાવ મીણનાં !
ચાંપવુંક લીલપનો અમથો આભાસ અને એવું લાગે કે વન જોયાં,
ઝાંઝવાંના કારાછમ દરિયાઓ જોઈ જોઈ આંસુ વિનાનું અમે રોયાં,
જીવતર-બીવતર તો બધું ઠીક મારા ભાઈ, અમે મરવાની વાત ઉપર મોયાં;
ચરણોને ચાલવાંનું દીધું સરિયામ
અને રસ્તાઓ દઈ દીધા ફીણના !
કાળઝાળ સૂરજના તાપ અમને દીધા
ને રુદિયા દીધાં છે સાવ મીણનાં !
— ચંદ્રકાંત દત્તાણી
ૐ નમઃ શિવાય