આજે મહાવદ ચૌદસ [મહાશિવરાત્રિ]
આપણા વેદોમાં ત્રણ મહાન રાત્રિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
1] કાળરાત્રિ જે કાળી ચૌદસને નામે ઓળખાય છે.
2] મોહ રાત્રિ જે જન્માષ્ટમીની રાત્રિ તરીકે ઓળખાય છે.
3] મહારાત્રિ જે મહાશિવરાત્રિ તરીકે ઓળખાય છે.
દરેક મહિનાની કૃષ્ણ પક્ષની ચૌદસ શિવરાત્રી કહેવાય છે. પરંતુ મહાશિવરાત્રિ મંગળકારી અને કલ્યાણકારી રાત્રિ છે. દેશભરના અલગ અલગ શિવાલયો અને 12 જ્યોતિર્લિંગના દર્શન અને પૂજનનો આજે પવિત્ર પાવન દિવસ કહેવાય છે. શિવજી જ્ઞાનના દેવ કહેવાય છે તેથી આ રાત્રિ જ્ઞાનરાત્રિ કહેવાય છે. શિવજીને આ મહાવદની રાત્રિ અતિપસંદ છે તેથી આ રાત્રિ મહાશિવ રાત્રિ કહેવાય છે. આ દિવસથી દ્વાપર યુગનો પ્રારંભ થયો હતો અને આ દિવસે જ્યોતિર્લિંગની સ્વયંભૂ ઉત્પત્તિ થઈ હતી એવું મનાય છે.
આગળ વાંચવા અહીં ક્લિક કરો
http://shivalay.wordpress.com/2009/02/23/shiv-tatva-4/
ૐ નમઃ શિવાય
ૐ નમઃ શિવાય.
LikeLike
har har MAHADEV !
LikeLike