આજે વૈશાખ સુદ ત્રીજ [અખા ત્રીજ, અક્ષય તૃતીયા]
આજનો સુવિચાર:- એટલો આત્મ વિશ્વાસ રાખો કે પૃથ્વીના આવશ્યક મનુષ્યમાં ગણાઈએ. — ગોર્કી
હેલ્થ ટીપ:- મુખની દુર્ગંધ દૂર કરવા તેમજ દાંતના દુઃખાવામાં રાહત મેળવવા બે લવિંગ મોંમાં રાખી ધીરે ધીરે ચૂસો.
અક્ષય તૃતીયા
ભારતીય પંચાંગ મુજબ વૈશાખ સુદ ત્રીજ એટલે અખાત્રીજ અથવા અક્ષય તૃતીયા તમામ મંગલ કાર્યો માટે શ્રેષ્ઠ ગણાય છે. ખેડૂતો અને સાગરપુત્રો માટે આ દિવસ શુભ ગણાય છે. આજનો દિવસ હિંદુ માન્યતા મુજબ વગર મુહુર્તનો ગણાય છે એટલે કે આજના દિવસના બધા મુહુર્ત શુભ ગણાય છે. આ દિવસે વૈષ્ણવ મંદિરમાં વસંત પૂજન કરવામાં આવે છે તેમ જ શિવમંદિરમાં જલધારી મૂકવામાં આવે છે.
જૈન ધર્મ અનુસાર તેમના પ્રથમ તીર્થંકર આદિનાથ ભગવાને અયોધ્યામાં શેરડીનો રસ [ઈક્ષુરસ] પીને ધારણા કર્યા હતા. આ પરંપરાથી જૈનધર્મના સાધુઓ-ગૃહસ્થો આજના દિવસે વરસી તપના પારણા કરે છે. શત્રુંજય પર જૈન યાત્રિકોનો મેળો પણ આ દિવસે ભરાય છે.
પ્રાચીન કથાનક મુજબ શિવ પાર્વતીજાના આ દિવસે લગ્ન થયા હતા. રાજા હિમાલયની પુત્રી પાર્વતી સાથે લગ્ન કરવા અંગે ભભૂતી લગાડી ગળામાં સર્પોની માળા શોભાવી તેમ જ અંગે વ્યાઘચર્મ ધારણ કરીને હાથમાં ત્રિશૂળ લઈ ભભૂતરંગી સાથીઓને લઈ ગયાહતા. એમનો આ ભભૂતરંગી રૂપ જોઈ પાર્વતીજીના માતા મેના મૂર્છિત થઈ ગયા હતાં. મેનાજીની મૂર્છા દૂર થતાં ઘણા દિવસો વીતી ગયા પરંતુ શિવજી દ્વાર પર ઊભા રહ્યા હતા. ચૈત્ર પૂરો થતા મેનાની મૂર્છા દૂર થતા વૈશાખ સુદ ત્રીજને દિવસે મેનાએ શિવજીને પોંખ્યા હતા. આમ ચૈત્ર મહિનો ‘મેનારક’ કહેવાય છે અને મોટેભાગે આ મહિનામાં હિન્દુ સમાજમાં લગ્ન નથી થતા.
સાગરપુત્રો એટલે ખારવાપ્રજા આ દિવસે વરુણદેવની પૂજા કરી દૂધનો ભોગ ચઢાવે છે અને હોમ હવન કરે છે.
કહેવાય છે કે સતયુગનો પ્રારંભ આજના દિવસથી થયો હતો. એટલે આજનો દિવસ ‘અક્ષય તૃતીયા’ શુભ દિવસ મનાય છે. ભગવાન પરશુરામજીનો જન્મ પણ આ દિવસે થયો હતો.
ભગવાન પરશુરામ વિષે વધુ વાંચવા નીચે લિંક આપી છે ત્યાં ક્લિક કરો .
https://shivshiva.wordpress.com/2007/04/20/sa-thio-2/
ૐ નમઃ શિવાય