આજે શ્રાવણ વદ એકમ
આજનો સુવિચારઃ- ચારિત્ર્ય દૄઢ હશે, આત્મ વિશ્વાસ હશે અને ભગ્વાનમા શ્રદ્ધા હશે તો કશુજ અઘરૂ નથી.
યોગીજી મહારાજની બોધ કથા
નારદજી દાસીપુત્ર હતા. તેમના માતાજી એક શેઠનેત્યા કામ કરતા. [આશ્રમમા ઋષિઓની સેવા કરતા]
નારદજી આઠ વરસના થયા ત્યારે તેમને સન્કાદિક ઋષિઓનો જોગ થયો. નારદજીના માતુશ્રીએ કહ્યુ ‘તુ આ ઋષિઓની સેવા કર.’
નારદજી ઋષિઓ માટે તુઅસીપત્ર, બીલીપત્ર લાવી દે. ચદન ઘસી દે. આમ ચાર મહિના સેવા કરી. સનકાદિક સાથે નારદ્ને પ્રેમ થઈ ગયો.
સનકાદિક ચાલ્યા એટલે નારદ પણ તેમની ભેળા ચાલ્યા.
ઋષિએ પૂછ્યુ’તુ શુ કામ અમારી સાથે આવે છે?’
નારદે કહ્યુ,’મારે તમારો જોગ કરી સન્યાસ લેવો છે; ઘરે નથી જવુ.’
ઋષિએ પૂછ્યુ,’ તારે ઘરે સગુ કોણ છે?’
નારદજીએ કહ્યુ,’બાપ નથી; મા છે.’
ઋષિએ કહ્યુ,’મા ધામમા ગયા પછી ઉત્તર દેશમા આવજો. અત્યારે પાછા જાઓ.’
નારદજીને સન્યાસ લેવાની તાલાવેલી હતી એટલે એમણે ઘરે જઈ, મારી મા મરો”મારી મા મરો’એવુ રટણ લગાડ્યુ.
છ મહિનામાં ડોશીમાને સર્પદશથયો ને ધામમા ગયા.
પછી નારદજી ઉત્તર દેશમા ગયા ભગવાનને ભજી ભગવાનનુ મન કહેવાણા. ભગવાનએ કોઈને
ધામમા તેડવા જવુ હોય તો નારદજીને પૂછે. મુક્તાનદ સ્વામીએ કીર્તન કર્યુ છેઃ
‘મુનિ નારદની જાતને જોતા, દાસીપુત્ર જગ જાણે રે
હરિને ભજીને હરિનુ મન કહેવાણા,વેદ પુરાણ વખાણે રે
હરિ ભજતા સૌ મોટપ પામે,
જન્મ મરણ દુઃખ જાયે રે.’
— સકલિત
ૐ નમઃ શિવાય