આજે આસો સુદ એકાદશી
આજનો સુવિચાર:- માણસે એકમેકને સમયના ગાળામાં પોતાની રીતે ઓળખી લેવા જોઈએ. –પાંડુરંગ શાસ્ત્ર
બર્ફીલા પહાડોની ગોદમાં લપાશુ
તો ઈશ્વરને લાગશે નવાઈ
ને, પૂછશે : આ બાજુ ક્યાંથી, તુ ભાઈ !
ધુમ્મસનાં બારણાં અઢેલીને ઝરણાંઓ
કરતાં હશે જો તોફાન ઈશ્વરજી કહેશે કે
બારણાં ઉઘાડો : કવિઓ થયા છે મહેમાન
ઝરણાંઓ માટે લઈ જાશું બિસ્કિટ અને
ચૉકલેટ-દૂધની- મલાઈ
તો પહાડોને લાગશે નવાઈ
સૂરજનાં કિરણો તો ધબ્બાઓ મારીને કહેશે કે
સ્વેટર તો કાઢ આપણેય કહી દઈશું ટાઢ બહુ વાય છે,
પહેલાં તું તડકો ઓઢાડ ઈશ્વરજી કહેશે કે શું ઓઢે છે,
ઓઢ મારા નામની રજાઈ
તો સૂરજને નવાઈ લાગશે
રાતની ગોદમાં માથું મૂકીને દૂર સૂતો હશે તો
સન્નાટો પાછલા જનમનાં ડૂસકાંઓ સાથેની કહી દેશું
ઈશ્વરને વાતો પાછા ફરશું તો, આપણા જેટલી જ
ઈશ્વરને કઠશે જુદાઈ
તો કોને લાગશે નવાઈ !
— મુકેશ જોષી
ૐ નમઃ શિવાય