આજે ફાગણ સુદ એકાદશી
આજનો સુવિચાર:- સર્વ મનુષ્યોના અંતરમાં ઈશ્વરે જે બધા સત્ય અને સૌંદર્ય મૂકેલાં છે તેનું સતત દર્શન કવિતા આપણને કરાવતી રહે છે. — જેઈમ્સ લોવેલ
ફાગણ આંગણ આયો રી
સરસ સુહાનો
મનહર મદભર
ફાગણ આંગણ આયો રી
વન, વન, ઉપવન
કળી કળી પર
ભ્રમર બની ગૂંજાયો રી
કેસરિયો પીળો
રંગ ભીનો
ચૂનરી મોરી લાયો રી
કોકિલના પંચમ
સ્વર ટહૂકે
મન મેરો હરખાયો રી
અવની પર
આનંદકો ઓચ્છવ
ગલી ગલી બરસાયો રી
“શ્રાવણી” કો ફાગણ
મનભાવન
રસિયો માધવ લાયો રી
–ગોસ્વામી ઈંદિરાબેટીજી
જય શ્રી કૃષ્ણ