કીચન ટીપ્સ

                                      આજે ચૈત્ર વદ ચૌદસ

આજનો સુવિચાર:-  અમુક ઉંમર પછી શરીર વધતું નથી ફક્ત પેટ વધે છે. 
                                                                  — ગુણવંત શાહ

                                              કીચન ટીપ્સ

*   મેથીના પરોઠા બનાવતી વખતે તેમાં થોડું દહીં નાખવાથી પરોઠા મુલાયમ બનશે.

*   અથાણાં ભરવાની બરણીને બરાબર ધોઈ, કોરી કરી તડકામાં એકાદ દિવસ સૂકવવાથી બારે માસ ભરવાનાં અથણા બગડશે નહીં.

*   ફાટેલા દૂધનું પાણી ફેંકી ન દેતા તેનાંથી ચાંદીનાં વાસણ કે ઘરેણા ધોવાથી તે ચમકીલા બનશે.

*   લીંબુની છલ કે આમલીથી પિત્તળના વાસણો સાફ કરવાથી પિત્તળ ચમકી ઉઠશે.

*   ઘી બનાવ્યા બાદ તેનું કીટુ ફેંકી ન દેતા તેનો ઉપયોગ કરીવાળા શાકમાં લેવાથી તેની સોડમ અને સ્વાદ વધી જશે.

*   પોટેટો ચીપ્સ કે બટાટાની કાતરી બનાવતી વખતે તેમાં એક ચપટી ફટકડી ભેળવવાથી ચીપ્સ અને કાતરી સફેદ બનશે.

*   કોથમીરની ઝૂડી કરમાઈ ગઈ હોય તો તેને દાંડી તરફથી ગરમ પાણીથી ભીંજવવી કલાકમાં તાજી થઈ જશે.

*   ફૂદીનાનો  રસ પીવાથી અજીર્ણની ફરિયાદમાં રાહત થશે

*   ભેળમાં થોડાં તળેલાં શીંગદાણા અથવા ખારી શીંગ નાખવાથી ભેળ સ્વાદિષ્ટ લાગશે.

*   બાફેલા બટાટા વધ્યા હોય તો છાલ સાથે રેફ્રિજરેટરમાં મૂકવાથી જલ્દી બગડતાં નથી.

*   દાળ-શાકમાં મીઠું વધારે પડી ગયું હોય તો તેમાં લીંબુ નીચોવી દેવું જેથી ખારાશ ઓછી થઈ જશે.

*   પુલાવમાં તળેલા કાંદા અને કેપ્સીકમની ચીરીઓ નાખવાથી પુલાવ સ્વાદિષ્ટ બનશે.

*   તુલસીના પાંચ- છ પાનને ચાવવાથી મુખમાના છાલામાં રાહત રહેશે.

*   ખાલી પેટ ટામેટા પર મીઠું-મરી ભભરાવી ખાવાથી પેટમાંનાં કૃમિનો નાશ થશે.

*   તડકામાં લસણની કળી સૂકવવાથી તેનાં ફોતરા જલ્દી નીકળી જશે.

                                                                                   સૌજન્ય:- સહિયર

                                       ૐ નમઃ શિવાય