આજે ચૈત્ર વદ ચૌદસ
આજનો સુવિચાર:- અમુક ઉંમર પછી શરીર વધતું નથી ફક્ત પેટ વધે છે.
— ગુણવંત શાહ
કીચન ટીપ્સ
* મેથીના પરોઠા બનાવતી વખતે તેમાં થોડું દહીં નાખવાથી પરોઠા મુલાયમ બનશે.
* અથાણાં ભરવાની બરણીને બરાબર ધોઈ, કોરી કરી તડકામાં એકાદ દિવસ સૂકવવાથી બારે માસ ભરવાનાં અથણા બગડશે નહીં.
* ફાટેલા દૂધનું પાણી ફેંકી ન દેતા તેનાંથી ચાંદીનાં વાસણ કે ઘરેણા ધોવાથી તે ચમકીલા બનશે.
* લીંબુની છલ કે આમલીથી પિત્તળના વાસણો સાફ કરવાથી પિત્તળ ચમકી ઉઠશે.
* ઘી બનાવ્યા બાદ તેનું કીટુ ફેંકી ન દેતા તેનો ઉપયોગ કરીવાળા શાકમાં લેવાથી તેની સોડમ અને સ્વાદ વધી જશે.
* પોટેટો ચીપ્સ કે બટાટાની કાતરી બનાવતી વખતે તેમાં એક ચપટી ફટકડી ભેળવવાથી ચીપ્સ અને કાતરી સફેદ બનશે.
* કોથમીરની ઝૂડી કરમાઈ ગઈ હોય તો તેને દાંડી તરફથી ગરમ પાણીથી ભીંજવવી કલાકમાં તાજી થઈ જશે.
* ફૂદીનાનો રસ પીવાથી અજીર્ણની ફરિયાદમાં રાહત થશે
* ભેળમાં થોડાં તળેલાં શીંગદાણા અથવા ખારી શીંગ નાખવાથી ભેળ સ્વાદિષ્ટ લાગશે.
* બાફેલા બટાટા વધ્યા હોય તો છાલ સાથે રેફ્રિજરેટરમાં મૂકવાથી જલ્દી બગડતાં નથી.
* દાળ-શાકમાં મીઠું વધારે પડી ગયું હોય તો તેમાં લીંબુ નીચોવી દેવું જેથી ખારાશ ઓછી થઈ જશે.
* પુલાવમાં તળેલા કાંદા અને કેપ્સીકમની ચીરીઓ નાખવાથી પુલાવ સ્વાદિષ્ટ બનશે.
* તુલસીના પાંચ- છ પાનને ચાવવાથી મુખમાના છાલામાં રાહત રહેશે.
* ખાલી પેટ ટામેટા પર મીઠું-મરી ભભરાવી ખાવાથી પેટમાંનાં કૃમિનો નાશ થશે.
* તડકામાં લસણની કળી સૂકવવાથી તેનાં ફોતરા જલ્દી નીકળી જશે.
સૌજન્ય:- સહિયર
ૐ નમઃ શિવાય