આજે અધિક વૈશાખ એકાદશી
આજનો સુવિચાર:- જો આપણા હૃદયમાં પ્રેમ જાગૃત ન હોય તો વિશ્વ આપણને કારાગાર જેવું લાગે છે. — ટાગોર
‘મા’ એપિસોડ
પથમ એપિસોડ
દીકરો રડ્યો
મા ઊઠી
લીધો અંકે છાતીએથી અમૃતકુંભ ફૂટ્યો
દ્વિતીય એપિસોડ:
દીકરો ખુશ
મા ખુશખુશાલ
લીધા ઓવારણાં
અક્ષત-કંકુનો કળશ ઢૂક્યો.
તૃતીય એપિસોડ:
મા કણસી
દીકરો ઊઠ્યો
ગંગાજળ પાન દીધાં
માટીનો ઘડો ફૂટ્યો.
ચતુર્થ એપિસોડ
-તે પહેલાં નિર્માતાએ
સિરિયલ સંકેલી લીધી
—- કીર્તિકાંત પુરોહિત
ૐ નમઃ શિવાય