આપણા ગાંધીબાપુ….

                                   આજે અષાઢ વદ બારસ

આજનો સુવિચાર:- દિકરો એટલે સુખડ, દીકરી એટલે કસ્તુરી, પુત્રવધુ એટલે કેસર. ત્રણેને સાચવશો તો ઘસાઈને તમને સાચવશે,સંભાળશે અને પરિવારની મહેક ફેલાવશે.

પુષ્ટિગોષ્ઠી

આજે અષાઢ વદ બારસના શણગાર

સાજ:- નૃત્ય કરતા મોરની ચિત્રકામની અથવા પિછવાઈ.
વસ્ત્ર:- સુઘન, મોરકાછની, રાસપટુકા [અંગરખુ ઉપરનું વસ્ત્ર] ધરાવેલ નથી. પીળા [ભોપાલશાહી] લહેરીયાના સોનેરી જરીવાળા.
ઠાડું વસ્ત્ર:- જામદાની સફેદ [ચીકન એમ્બ્રોડરીનું]
શ્રૃંગાર – ચરણારવિંદ સુધીનો શ્રૃંગાર, શ્રી મસ્તકે મયુરાકૃત, ડાબી તરફ મોતીની ચોટી ધરવાય છે.

                                                                     –શ્રી નિલેષભાઈ મુખ્યાજી
***************************************************

આપણા ગાંધીબાપુ….

1. બાપુનો એક ધ્રુવ તારો :
[1] સત્ય

2. બાપુની બે યાત્રાઓ
[1] દાંડી યાત્રા [2] નોઆખલી યાત્રા

3. બાપુના ત્રણ નામ
[1] મહાત્મા [2] બાપુ [3] રાષ્ટ્રપિતા

4. બાપુના ચાર સ્નેહપાત્ર
[1] રેંટિયો [2] અસ્પૃશ્ય [3] હિંદુ મુસ્લિમ એકતા [4] ગામડું

5. બાપુના પાંચ ડૉક્ટર
[1] પાણી [2] માટી [3] ઉપવાસ [4] વ્યાયામ [5] રામનામ

6. બાપુના છ સત્યાગ્રહ
[1] દ.આ.નો સત્યાગ્રહ [2] ચંપારણ્ય સત્યાગ્રહ [3] અસહકાર આંદોલન [4] બારડોલી સત્યાગ્રહ [5] મીઠાનો સત્યાગ્રહ [6] ઑગસ્ટની ક્રાંતિ

7. બાપુના સાત રૂપ
[1] સંત [2] ક્રાંતિકારી [3] કર્મયોગી [4] રાજનીતિજ્ઞ [5] વૈજ્ઞાનિક [6] પત્રકાર [7] રાષ્ટ્રભાષા પ્રચારક

8. બાપુની યાત્રાના આઠ પડાવ
[1] પોરબંદર [2] ઈંગ્લેંડ [3] આફ્રિકા [4] સાબરમતી આશ્રમ [5] સેવાગ્રામ [6] નોઆખલી [7] દિલ્હી [8] ઉન્નત હૃદય

9. બાપુના દરબારના નવરત્નો
[1] જવાહરલાલ નહેરુ [2] વલ્લભભાઈ પટેલ [3] રાજેન્દ્ર પ્રસાદ [4] રાજગોપાલાચારી [5] મૌલાના અબુલ કલામ આઝાદ [6] સરોજિની નાયડુ [7] ખાન અબ્દુલ ગફાર [8] આચાર્ય કૃપલાની [9] વિનોબા ભાવે

10. બાપુના દસ આદેશ
[1] તંદુરસ્ત રહો [2] સ્વચ્છ રહો [3] મહેનત કરો [4] સ્વાવલંબિ બનો [5] શિસ્તપૂર્વક રહો [6] સાદાઈથી રહો [7] બહાદુર બનો [8] સત્ય બોલો [9] અહિંસાનું પાલન કરો [10] માનવ સેવા કરો

                                          — સૌજન્ય– મેઘધનુષ -જન્મભૂમિ

 

                                    ૐ નમઃ શિવાય

7 comments on “આપણા ગાંધીબાપુ….

  1. ખૂબ સ રસ માહીતી

    યાદ આવી પંક્તીઓ

    તેવી ભાસે મને કદીક જીવન સાર્થક્યની સર્વ વાતો:
    ડાહી ડાહી સલાહો મથી મથી ગ્રહવા વિશ્વના સૌ પદાર્થો !
    ધર્મોની ધાંધલો ને અરથ અવરથા,કીચ્ચડો કામના યે,
    પોલી લાગે મને તો-મર સહુ સ્તવતા-મોક્ષની નામના યે !
    ચીલાચાલુ સંપ્રદાયોના ચક્કરમા આવો અનુભવ ઘણાખરાનો હોય છે ત્યારે સ્વામી શ્રી સચ્ચિદાનંદ (દંતાલી )જેવા વિવેકી સંતોની વાણીથી ઉદેશ અને ફરજની વાતો સહેલાઈથી સમજાય નહીતો સરી પડાય છે- ચાર્વાક દર્શનમાં જીવાત્મા તથા પરમાત્માનો સ્પષ્ટ રીતે ઇન્કાર કરવામાં આવ્યો છે. આ દર્શન અનુસાર વિશ્વ એ જડ વસ્તુઓનો મેળ માત્ર છે. સ્થાયી ચેતન જેવું કશું છે જ નહીં, શરીરથી જુદો કોઈ આત્મા નથી, નિશ્ચિત મેળ વડે ચેતના ઉત્પન્ન થાય છે અને સમય સાથે તે ચેતના વિલીન થઈ જાય છે, જીવાત્મા જેવી કોઈ વસ્તુ છે જ નહીં એટલે પુનર્જન્મનો તો પ્રશ્ન જ નથી રહેતો. મર્યા પછી સદ્ગતિ કે અસદ્ગતિનો પ્રશ્ન જ નથી કેમ કે મડદા સિવાય કોઈ તત્ત્વ બાકી રહેતું જ નથી. એટલે આ લોકમાં જ આનંદપૂર્વક જીવન વ્યતીત કરવું જોઈએ એવું આ દર્શનનું મુખ્ય ઘ્યેય છે.
    સમ્યગ દર્શનની આ પંક્તીઓ સરળ સમજાય તેવી છે
    થોડી ભીની પાંપણમાં પણ જીવી જાણું,
    રણ ફેલાવો તો રણમાં પણ જીવી જાણું.
    તું મૌન રહે તો પણ સમજું તારા મનને,
    સાવ સરળ આ સમજણમાં પણ જીવી જાણું.

    Like

  2. પિંગબેક: અભ્‍યાસ ઉપયોગી કેટલીક સાઇટ….. | અભ્યાસક્રમ

Leave a reply to neetakotecha જવાબ રદ કરો