દીવાનગી

                                       આજે માગશર સુદ છઠ્ઠ

આજનો સુવિચાર:- આશા એ ફૂલ વિના મધ બનાવનારી મધમાખી છે. –ઈગર સોલ

દીવાનગી

દીવાનગી જ પ્રેમની એક સાચી રીત છે,
બીજું તો તારા રાહમાં ખોટું ગણિત છે.

તું જો નહિ ફરે તો કોઈપણ નહીં ફરે,
તારા ઉપર તો જિંદગીની હારજીત છે.

પ્રત્યેક શ્વાસ તારો છે, પ્રત્યેક દમમાં તું,
દિલમાં ભલેને જોવામાં દુનિયાની પ્રીત છે.

સઘળી બુરાઈ ચોટે છે એક તારા નામ પર,
તુજથી વધારે કોણ અહીં પદદલિત છે?

જો જો, કે હાર પ્રેમની થાશે ફરી ફરી,
હમણાં ભલે કહું છું મોહબ્બત અજીત છે.

તારા સિવાય કોઈને જોતું નથી અહીં,
તો પણ ન જાણે કેમ ઘણું મન ચલિત છે.

તુજથી છુપાવવાનું પ્રયોજન નહીં રહ્યું,
તુજને તો મારો હાલ બધોયે વિદિત છે.

આંતર-વ્યથાઓ,”નૂરી!” બની ગઈ છે શાયરી,
ગાઇ ન એમ જાણે બસૂરું એ ગીત છે.

કવિશ્રી–મુસા યુસુફ નૂરી

 

ૐ નમઃ શિવાય

5 comments on “દીવાનગી

  1. દીવાનગી જ પ્રેમની એક સાચી રીત છે,
    બીજું તો તારા રાહમાં ખોટું ગણિત છે.

    તું જો નહિ ફરે તો કોઈપણ નહીં ફરે,
    તારા ઉપર તો જિંદગીની હારજીત છે.

    સુંદર
    દીવાનગી જ સત્યનો સાચો પ્રચાર છે,
    જાણી ગયા બધાં કે મને તુજથી પ્યાર છે.

    ભાનમાં આવ્યા પછીની મૂંઝવણ તે આનું નામ !
    અધસુણ્યું પડઘાય છે કંઈ: “મારો પીછો છોડશે?”

    પગની સાંકળ, વહેલ ઘુઘરિયાળી જાણે લગ્નની,
    એ જ રીતે ડોલતી દીવાનગી પણ દોડશે….

    Like

Leave a comment