આજે ચૈત્ર વદ અમાસ
આજનો સુવિચાર:- ક્ષમા અસમર્થ માનવીઓનું લક્ષણ છે અને સમર્થોનું આભૂષણ છે.
— વેદ વ્યાસ
અજમાવી જુઓ
* પગના છાલા પર ઈંડાની સફેદી લગાડવાથી જલદી રાહત થાય છે.
* જીવાતના ડંખપર કાચો કાંદો ઘસવાથી દરદમાં રાહત થાય છે.
• ઊંદરથી છુટકારો પામવા તેના દર પાસે મરીનો ભૂકો ભભરાવવાથી ઊંદર દર છોડી દેશે.
• ગાદલા-તકિયા ભરાવતી વખતે રૂ સાથે થોડું કપૂર ભેળવી દેવાથી ગરમીમાં ઠંડક થશે તેમ જ માંકડ નહીં થાય.
• કાચનાં વિખરાયેલા નાના ટુકડાને ઉપાડવા પાઉંને ભીનો કરી તેનો લોટ જેવું બનાવી તેનાથી ઉપાડવાથી કાચ ચોંટી જશે. પાઉંને સ્થાને બાંધેલો લોટ પણ ચાલશે.
• ગરમ પાણીને વધુ ગરમ રાખવા તેમાં થોડું મીઠું ભેળવો.
• કાંદાના રસમાં પાણી ભેળવી કોગળા કરવાથી દાંત કે પેઢાના દુઃખાવામાં રાહત મળશે.
• તૈલી ચિત્રોને સાફ કરવા બટાટુ કાપી તેના પર હળવેથી ફેરવવું.
• સૂતી વખતે તકિયો ગરદન નીચે ન રાખવો તેનાથી ગરદન પર કરચલી પડવાની શક્યતા રહે છે.
• લગાડેલી મેંદી સુકાઈ ગયા બાદ તેને ખંખેરી નાખી તેના પર કોપરેલ તેલ લગાડવાથી રંગ સારો આવે છે.
• ટોઈલેટના એક ખૂણામાં એક ડીશમાં બેકિંગ સોડા રાખી મૂકવાથી ટોઈલેટની દુર્ગંધ દૂર થશે.
• અળાઈમાં રાહત મેળવવા ચંદનના ટુકડાને ગુલાબજળ સાથે ઘસી તેમાં ચપટી ફટકડી ભેળવી અળાઈ પર લગાડવી.
• મુખનાં ચાદા પર ટી બેગ મૂકવાથી રાહત રહેશે.
— સંકલિત
ૐ નમઃ શિવાય