આજે વૈશાખ સુદ તેરસ
આજનો સુવિચાર:- આપણે માટે ધર્મ હંમેશા કટ્ટર રહ્યો નથી, પણ આત્માની ખોજનું શાસ્ત્ર રહ્યો છે.
— રાજ ગોપાલાચાર્ય
વ્રજ
કોણ કહે વ્રજ વિસરાયું ? વ્રજ વિલસે રે કણકણમાં !
અવ કેવું વ્રજ, કેવો કાનો?
કહી કહી છો તમીં કરો સહુ હાંસી
અનહદ તો યે રોમરાજિ મહીં એ જ સુણાયે બાંસી,
કે ઘેલી ઘેલી ઘૂમી ચિતવનની ગલન ગલનમાં
કોણ કહે વ્રજ વિસરાયું? વ્રજ વિલસે રે કણકણમાં!
અલપઝલપ કૈં અલપઝલપ આ મોહન મુખ પરખાણું !
રે હરખ હિલાળે લિયે લ્હેરિયાં યમુના દોઉ નયનમાં
કોણ કહે વ્રજ વિસરાયું? વ્રજ વિલસે રે કણકણમાં!
ને વ્રજ નવ એક જગ્યા કે દાખું જયહી જાળાના રસ્તા,
નહીં બાલાપણ, નહીં જરા, વ્રજ ભરજોબન- શી અવસ્થા,
એજ એજ ચીરગોપન-લોપન લીલા ચલત ક્ષણક્ષણમાં
કોણ કહે વ્રજ વિસરાયું? વ્રજ વિલસે રે કણકણમાં!
કવિ:- શ્રી પ્રદ્યુમ્ન તન્ના
ૐ નમઃ શિવાય