આજે વૈશાખ વદ નોમ
આજનો સુવિચાર:-અહંકાર જેટલો મોટો એટલો આત્મા દબાઈ જાય છે.
બીમારીમાં ઉપયોગી જ્યુસ
ફળ અને શાકભાજીના રસ જુદીજુદી બીમારીઓમાં ઔષધીના રૂપમાં આપવામાં આવે તો શરીરની ખનિજ અને વિટામીન વિટામીનની ઉણપ દૂર કરવામાં મદદરૂપ થઈ શકે છે તેમજ આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે.
* બ્લડ પ્રેશર:- દૂધી અને ટામેટાના જ્યુસથી બી.પી. કંટ્રોલમાં રહે છે.
* કમળો:- પાઈનેપલ, શેરડી તથા બિજૌરાનો રસ કમળા પર ફાયદાકારક છે. આ રસ પીવાથી ભૂખ ઉઘડે છે અને શરીરમાં શક્તિનો સંચાર થાય છે.
* એનીમીયા:- એનીમીયાના દર્દી માટે સફરજન, પપૈયા, મોસંબી તથા પાલક, ગાજર, ટામેટાઅને કોથમીરનો મિક્સ રસ ફાયદાકારક છે.
* એસીડીટી;- એસીડીટીના દર્દીએ સંતરા-પપૈયા અથવા ટામેટાનો રસ પીવો જોઈએ.
* કબજીયાત:- કબજીયાતની બીમારીમાં પપૈયા, લીંબુ અને ટમેટા, પાલક તથા ગાજરનો મીક્સ જ્યુસ ફાયદાકારક છે.
* આંખોના રોગ:- રતાંધળાપણું અથવાનજરની ખામીમાં ગાજર,કેરી,પપૈયું અને ટામેટાનો રસ આપી શકાય છે.
* ડાયાબિટીસ:- ડાયાબીટીસ પર કારેલા અને જાંબુનો રસ ફયદાકારક છે.
* અપચો તથા પેટના દર્દ:- ફૂદીનો અથવા દ્રાક્ષનો રસ અપચા તથા પેટના દર્દ પર ફાયદાકારક છે.
* શરદી-તાવ:- આદુ અને અરડુસીનો રસ શરદી અને તાવ પર લાભદાયક છે.
* માથાનો દુઃખાવો:- વિટામીન બી ની ખામીને લીધે જો માથાનો દુઃખાવો હોય તો કેળાનો રસ લેવો.
— સંકલિત
ૐ નમઃ શિવાય