આજે ચૈત્ર વદ બીજ
જતન કરો
1] કુંવારપાઠુ એટલે ઍલોવેરા જે એક કુદરતી ક્લીંસીંગ લોશન, મોઈશ્ચરાઈઝ અને સ્કીન ટોનિકનું કામ કરે છે.
2] પગમાં ચીરા પડ્યા હોય અથવા તજા ગરમી દૂર કરવા પગના તળિયા પર એલોવેરા જેલની માલિશ ફાયદાકારક છે.
3] માથામાં ઍલોવેરાનો મસાજ કરવાથી વાળમાં ચમક આવે છે. તાળવામાં ઠંડક થાય છે અને વાળ લીસા થાય છે. ઍલોવેરાનો આયુર્વેદિક શેમ્પુનો ઉપયોગ કરી શકાય છે.
4] ત્વચા પર લગાડવાથી ત્વચા મુલાયમ બને છે.
5] હર્બલ ક્લીંસીંગ લોશનમાં પપૈયાનો માવો ચહેરા પર લગાવી 10 મિનિટમાં ચહેરો ધોઈ નાખવો.
6] ખીલ માટે ચંદન, તુલસી, લીમડો અને મંજીષ્ઠ આ બધા પાઉડર એલપ જેલમાં ભેળવી ખીલ પર લગાડવાથી મહિનાભરમાં ખીલ ગાયબ થઈ જશે.
7] વાળમાં ચમક લાવવા ત્રિફળા, સંતરાની છાલ, ભાંગરોનો પાઉડર સપ્રમાણમાં લઈ પેસ્ટ બનાવી વાળમાં 20 મિનિટ રાખવી.
8] મૂળાના પાનનો રસ ચોપડવાથી અઠવાડિયામાં ખીલ મટે છે.
9] છાશ વડે ચહેરો ધોવાથી ખીલના ડાઘા અને મોં પરની કાળાશ દૂર થાય છે.
10] જાંબુના ઠળિયાને પાણીમાં ઘસીને ખીલ પર લગાદવાથી ખીલ મટે છે.
11] દૂધની મલાઈ સાથે મીંઢળ ઘસીને ખીલ પર લગાડવાથી ખીલ મટે છે.
12] નારંગીની છાલ ઘસવાથી ખીલ મટે છે.
13] જાયફળ અથવા કાચી સોપારી પાણીમાં ઘસીને લગાડવાથી ખીલ મટે છે.
14] કાચા પપૈયાને કાપવાથી જે દૂધ જેવું પ્રવાહી નીકળે છે તે ખીલ પર લગાડવાથી ખીલ કાયમ માટે દૂર થશે.
સૌજન્ય :- જન્મભૂમિ
ૐ નમઃ શિવાય