જતન કરો

                                           આજે ચૈત્ર વદ બીજ

 

જતન કરો

 

1] કુંવારપાઠુ એટલે ઍલોવેરા જે એક કુદરતી ક્લીંસીંગ લોશન, મોઈશ્ચરાઈઝ અને સ્કીન ટોનિકનું કામ કરે છે.

2] પગમાં ચીરા પડ્યા હોય અથવા તજા ગરમી દૂર કરવા પગના તળિયા પર એલોવેરા જેલની માલિશ ફાયદાકારક છે.

3] માથામાં ઍલોવેરાનો મસાજ કરવાથી વાળમાં ચમક આવે છે. તાળવામાં ઠંડક થાય છે અને વાળ લીસા થાય છે. ઍલોવેરાનો આયુર્વેદિક શેમ્પુનો ઉપયોગ કરી શકાય છે.

4] ત્વચા પર લગાડવાથી ત્વચા મુલાયમ બને છે.

5] હર્બલ ક્લીંસીંગ લોશનમાં પપૈયાનો માવો ચહેરા પર લગાવી 10 મિનિટમાં ચહેરો ધોઈ નાખવો.

6] ખીલ માટે ચંદન, તુલસી, લીમડો અને મંજીષ્ઠ આ બધા પાઉડર એલપ જેલમાં ભેળવી ખીલ પર લગાડવાથી મહિનાભરમાં ખીલ ગાયબ થઈ જશે.

7] વાળમાં ચમક લાવવા ત્રિફળા, સંતરાની છાલ, ભાંગરોનો પાઉડર સપ્રમાણમાં લઈ પેસ્ટ બનાવી વાળમાં 20 મિનિટ રાખવી.

8] મૂળાના પાનનો રસ ચોપડવાથી અઠવાડિયામાં ખીલ મટે છે.

9] છાશ વડે ચહેરો ધોવાથી ખીલના ડાઘા અને મોં પરની કાળાશ દૂર થાય છે.

10] જાંબુના ઠળિયાને પાણીમાં ઘસીને ખીલ પર લગાદવાથી ખીલ મટે છે.

11] દૂધની મલાઈ સાથે મીંઢળ ઘસીને ખીલ પર લગાડવાથી ખીલ મટે છે.

12] નારંગીની છાલ ઘસવાથી ખીલ મટે છે.

13] જાયફળ અથવા કાચી સોપારી પાણીમાં ઘસીને લગાડવાથી ખીલ મટે છે.

14] કાચા પપૈયાને કાપવાથી જે દૂધ જેવું પ્રવાહી નીકળે છે તે ખીલ પર લગાડવાથી ખીલ કાયમ માટે દૂર થશે.

                                                                               સૌજન્ય :- જન્મભૂમિ

 

                                                    ૐ નમઃ શિવાય

One comment on “જતન કરો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s