નિસર્ગને ખોળે

  નિસર્ગને ખોળે

 

મુંબઈ નજીકનાં કેટલાંક નૈસર્ગિક મનોરમ્ય ટ્રેકિંગના સ્થળો છે. તેમાંના……………….
tamni

 

તામણી ઘાટઃ-

 

મુંબઈ-ગોવા માર્ગ પર કોલાડ ગામની ડાબી બાજુનો રસ્તો તામણી ઘાટ તરફ જાય છે. કોલાડ ગામથી૨૦ કિ.મી. દૂર આવેલા આ ઘાટનો લીલોછમ પરિસર આંખોને ઠંડક આપે છે. ઘાટની થોડીડાબી બાજુએ વળતાં જ એક વિશાળ ધોધ જોવા મળશે તેમજ વધુ આગળ જતાં નાનાં નાનાં ઝરણાં અને હરિયાળી જોવા મળશે. ઘાટ પસાર કર્યા બાદ ૧૦ કિ.મી. પછી એક કાચા રસ્તાની ડાબી બાજુએ પડતો માર્ગ ઘનગડ, તૈબબેલા કિલ્લા તેમજ એમ્બીવેલીના કોરીગડ કિલ્લાથી લોનાવલા તરફ જાય છે. રસ્તાનાં વાંકાચૂકા વળાંકો અને ક્યાંક ક્યાંક ટેકરીઓમાંથી વહેતાં ઝરણાંઓ અદ્ભૂત લાગે છે.

 

varadayini fall

વરદાયનીનો ધોધઃ-

 

કોલાડ અને પાલી જવા માટેના વાંકાચૂકા રસ્તા વચ્ચે વળાંકવાળા ફાંટા પર એક નાનકડો ઘાટ છે. આ ઘાટની ડાબી બાજુ જતાં તામ્રવર્ણીય ધોધ દેખાશે. આ એ જ વરદાયીની ધોધજેનો તામ્રરંગ તેની માટીને કારણે થયો છે.

 

Sankashi waterfall

 

સાંકશી કિલ્લોઃ-

 

પનવેલ-પેણ જવાના રસ્તે પનવેલથી ૧૮ કિ.મી. દૂર બળવલી ગામ આવેલું છે. તેનાથી ૫ કિ.મી. દૂર સાંકશીનો કિલ્લો આવેલો છે. કિલ્લામાં ૧ કલાકનાં સરળ ચઢાણ બાદ નયનરમ્ય લીલી ચાદર જોવા મળશે. વરસાદની ઋતુમાં ચઢાણ પૂરું કર્યા બાદ હરિયાળો ધોધ જોવા મળશે. એક કિલ્લો સર કર્યાનો ગર્વ અનુભવાશે.

તેની નજીકમાં પાતાળગંગા, રસાયણી ગામથી થોડે દૂર માણેકગઢ કિલ્લો આવેલો છે. ત્યાંના ઝરણાંઓ નયનરમ્ય છે.

 

sondai fort

 

સોનડાઈ કિલ્લોઃ-

કર્જત-ચોક જતાં રસ્તામાં બોરગામ નજીક સોનવડાઈ વાડી પાસે સોનડાઈ કિલ્લો આવેલો છે. આ કિલ્લો સર કરવાની મજા અનોખી છે. ત્યાંથી દેખાતા મોરબે ડેમનો પરિસર જોઈને હૃદય ધબકારો ચૂકી જશે.

 

Peb fort

 

પેબ કિલ્લોઃ-

 

નેરળમાં માથેરાન નજીક પેબ કિલ્લામાં જતાં એક મોટા ઝરણાને પાર કરી તેમાં ઉદ્ભવ સ્થાનની તળેટી પર જવાનો રસ્તો છે.

 

mahuli fort

 

માહુલી કિલ્લોઃ-

શાહપુર-આસનગાંવ નજીક માહુલી કિલ્લો આવેલો છે. ૬ કિ.મી. આગળ જતાં તળેટીમાં શિવજીનું મંદિર આવેલું છે. ત્યાંથી પૂર્વમાં જતાં મનોહર ધોધ જોવા મળે છે.

 

rajmachi-fort-picture-03

 

રાજમાચી કિલ્લોઃ-

 

ખંડાલાથી લોનાવલા તરફ જતાં કાચા રસ્તે ૧૬ કિ.મી. દૂર રાજમાચી કિલ્લો આવેલો છે. રસ્તામાં પહાડ, ઝરણાં અને તડકા-છાયાંની સાથે સંતાકૂકડી રમતાં વાદળોને જોવાની મજા અનોખી છે.

 

કોહોજ, ટકમક, અશેરીગઢ, અર્નાળા, કેળવે, કાળદુર્ગવાડા, મોખાડા, વિક્રમગઢ જેવા કિલ્લા પણ થાણે જિલ્લામાં આવેલા છે. તેમનું બંધારણ નબળું પડી ગયું છે પણ ત્યાના નજારા જોવાલાયક છે.

 

આપણી ગવર્મેંટે આ બાબત માટે વિચારણા કરવી જોઈએ જેથી સહેલાણીઓ માટે અનેક રસ્તાઓ ખૂલી શકશે.

 

— સંકલિત

 

 ૐ નમઃ શિવાય

2 comments on “નિસર્ગને ખોળે

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s