એક જરૂરી જાહેરાત
આપણાં ચહિતા શ્રી મૃગેશભાઈ જેઓ રીડ ગુજરાતીનાં લેખક છે હાલનાં સમયે બ્રેઈન હેમરેજને કારણે હૉસ્પિટલમાં દાખલ છે. તેમને આપના સહકારની [માનસિક અને આર્થિક ] જરૂરત છે.
સંપર્ક સાધોઃ- ૦૯૮૯૮૦૬૪૨૫૬
મંદિર અને મસ્જિદ
મંદિર અને મસ્જિદ વિષે ના તકરાર કર;
થઈ શકે તો તું બધાંથી પ્યાર કર.
મોટો નથી કોઈ ઈશ્વર કદી માણસાઈથી;
એ સત્યની તું સત્વરે સ્વીકાર કર.
આ પથ્થર, આ ખંજર ને આ બંદૂક થકી;
શું મેળવ્યું તેં, તું જરા વિચાર કર.
કર્મ શું છે? ધર્મ શું છે? તું ન સમજે કશું,
હૃદયની ભાવનાના ધર્મને તું જરા સાકાર કર.
ચો-તરફ અંધકાર બસ અંધકાર છે;
પ્રગટાવ તું આતમદીવો ને સવાર કર.
અલ્લાહ ને ઈશ્વર તને મળશે બધે;
કર બધાંથી પ્યાર ને તું પારાવાર કર.
-રામુ ડરણકર
ૐ નમઃ શિવાય