આજે પ્રબોધિની એકાદશી
સુવિચારોને મેળે
* કડવાશ મનમાં કટુતા પેદા કરે છે જેનું વૃક્ષ હંમેશા પલપતું રહે છે. અન્ય પ્રત્યેનો કાયમી તિરસ્કાર નુકશાનકારક છે. હૃદય એક સુંદર બગીચો છે જેમાંથી અનિચ્છનીય ઝાડી-ઝાંખરાની નિયમીતપણે સાફ સફાઈ જરૂરી છે. કોઈના અનપેક્ષિત વર્તનને માફી અપાશે તો હૃદયમાં સારી બાબતો રાખવાની જગ્યા થઈ જશે.
* સાચી અને સારી સ્મરણ શક્તિ એ છે જે નક્કમી અને નઠારી વાતો પલક મારતા જ ભૂલાવી શકે.
* દુશ્મનીથી જે ડરે છે તેને કદી સારા તેમજ સાચા મિત્ર નથી મળતા.
* માણસને એકલતાની પીડાથી મુક્ત થવું હોય તો પોતીકા જ નહીં પરંતુ પારકા પ્રત્યે પણ સંવેદના દાખવવા સમય કાઢવો પડે છે.
* માનવીની ચેતના એના અસ્તિત્વને સર્જતી નથી પરંતુ સામાજિક અસ્તિત્વ એની ચેતનાને નિર્ણિત કરે છે.
* આનંદનું એક અજીબ ગણિત છે જ્યારે એના ભાગલા પાડી વહેંચો એટલો જ ગુણાકાર થાય છે.
* આફત જ આપણને અડીખમ ઊભા રહેતા શીખવે છે.
* અયોગ્યને કોઈ યોગ્ય લાગતું નથી ને યોગ્યને કદીયે કોઈ અયોગ્ય લાગતું નથી.
* આજની ભૂલ સમય વીતતાં આવતી કાલે અનુભવ બની જાય છે.
—સૌજન્યઃ ચિત્રલેખા
ૐ નમઃ શિવાય