ભક્તિની શક્તિ

ભક્તિનેી શક્તિ

અન્નમાં ભક્તિ ભાવ મળે તો ‘અન્ન્કૂટ’ બની જાય છે…….
આત્મામાં ભક્તિ ભાવ મળે તો ‘પરમાત્મા’ બની જાય છે……
ઈમારતમાં ભક્તિ ભાવ મળે તો ‘મંદિર’ બની જાય છે……..
ઈશ્વરમાં ભક્તિ ભાવ મળે તો ‘પ્રાર્થના’ બની જાય છે…..
ઉજાગરમાં ભક્તિ ભાવ મળે તો ‘જાગરણ’ બની જાય છે…..
એકાંતમાં ભક્તિ ભાવ મળે તો ‘ધ્યાન’ બની જાય છે……
કર્મમાં ભક્તિ ભાવ મળે તો ‘કાર્ય’ બની જાય છે………
ગીતમાં ભક્તિ ભાવ મળે તો ‘ભજન’ બની જાય છે……
ઘડપણમાં ભક્તિ ભાવ મળે તો ‘સંન્યાસ બની જાય છે…….
ચારિત્ર્યમાં ભક્તિ ભાવ મળે તો ‘સંસ્કાર’ બની જાય છે…….
જમણવારમાં ભક્તિ ભાવ મળે તો ‘ભંડારો’ બની જાય છે…….
ત્યાગમાં ભક્તિ ભાવ મળે તો ‘વૈરાગ્ય’ બની જાય છે…….
ધનમાં ભક્તિ ભાવ મળેભક્તિ ભાવ મળે તો તો ‘દાન’ બની જાય છે……
નિરાહારમાં ભક્તિ ભાવ મળે તો ‘ઉપવાસ’ બની જાય છે…….
પથ્થરમાં ભક્તિ ભાવ મળે તો ‘શાલિગ્રામ’ બની જાય છે……..
પુસ્તકમાં ભક્તિ ભાવ મળે તો ‘ધર્મગ્રંથ બની જાય છે……..
ફરજમાં ભક્તિ ભાવ મળે તો ‘યોગ’ બની જાય છે……….
બેઠકમાં ભક્તિ ભાવ મળે તો ‘યોગાસન’ બની જાય છે…….
ભોજનમાં ભક્તિ ભાવ મળે તો ‘પ્રસાદ’ બની જાય છે……..
માણસમાં ભક્તિ ભાવ મળે તો ‘ભક્ત’ બની જાય છે……….
રઝળપાટમાં ભક્તિ ભાવ મળે તો ‘યાત્રા’ બની જાય છે…….
લેખનમાં ભક્તિ ભાવ મળે તો ‘પ્રભુપૂજા’ બની જાય છે…….
વૃક્ષમાં ભક્તિ ભાવ મળે તો ‘વિભૂતિ’ બની જાય છે……..
સત્યમાં ભક્તિ ભાવ મળે તો ‘શ્રદ્ધા’ બની જાય છે……….
સંસ્કૃતિમાં ભક્તિ ભાવ મળે તો ‘સમૃદ્ધિ’ બની જાય છે…….
સજ્જનમાં ભક્તિ ભાવ મળે તો ‘સંત’ બની જાય છે……..
હાથમાં ભક્તિ ભાવ મળે તો ‘વંદન’ બની જાય છે……..
ક્ષમામાં ભક્તિ ભાવ મળે તો ‘ભૂષણ’ બની જાય છે……..
શ્રોતામાં ભક્તિ ભાવ મળે તો ‘સત્સંગ’ બની જાય છે……..

 

સંકલન………ધર્મલોક ……ગુજરાત સમાચાર …….

 

ૐ નમઃ શિવાય

શ્રી મહાપ્રભુજીની બેઠકો

shreeji

મહાપ્રભુજીની બેઠકો

શ્રી તોતાદ્રિ પર્વત પરનાં બેઠકજી

શ્રી મહાપ્રભુજી શ્રી ત્રિલોકભાનજીથી તોતાદ્રિ પર્વત ઉપર પધાર્યા. આ પર્વત તિનવેલી ગામથી ૧૮ માઈલ દૂર આવેલ છે. આપશ્રી આ પર્વત પર ઘણો સમય બિરાજ્યા. પર્વત પાસે આવેલા ગાઢ વનમાં એક વડનાં વૃક્ષ નીઆપશ્રીએ શ્રી પદ્મનાભજીનાં સેવાશૃંગાર કર્યા અને બન્ને સ્વરૂપોએ સાથે ભોજન કર્યુ. આપશ્રીએ શ્રી પદ્મનાભજીની આરતી કરી પોતાના સ્થાન પર પાછા ફર્યા. આપે શ્રી પદ્મનાભ ક્ષેત્રમાં બિરાજી શ્રીમદ ભાગવતજીનું પારાયણ કર્યું.

જળાશયની તપાસ કરવા ગયેલા શ્રી કૃષ્ણદાસ મેઘનને જ્યારે જળાશયની પ્રાપ્તિ ન થઈ ત્યારે આપની આજ્ઞાથી આપની નજીકમાં આવેલ કદંબના વૃક્ષની જમણી બાજુએ આવેલો મોટો પથ્થર ઉઠાવતાં એક સુંદર પગથિયાવાળો કુંડ નીકળ્યો.

આ કુંડ ‘શ્રીવલ્લભકુંડ’ના નામે ઓળખાવા લાગ્યો. આપશ્રીએ અહીં ભાગવતનું પારાયણ કર્યું હતું. આપની ખ્યાતિ સાંભળી માયાવાદી બ્રાહમણો આપને શોધતા અહીં આવ્યા. પથ્થરોના પહાડોમાંથી નીકળેલા જળ જોઈ અને આપને ત્યાં બિરાજેલા જોઈ આશ્ચર્ય ચકિત થઈ આપને વંદન કરી વૈષ્ણવધર્મ સ્વીકાર્યો. આ સ્થાન આજે પ્રગટ નથી. અહીં શ્રીમહાપ્રભુજીની બેઠક ગુપ્ત રીતે બિરાજમાન છે.

hqdefault[1]

શ્રી પદ્મનાભજીનાં બેઠકજી

શ્રી પદ્મનાભક્ષેત્ર એટલે આજનું ત્રિવેન્દ્રમ શહેર જે કેરળની રાજધાની છે.  ત્યાં પદ્મનાભના વિશાળ મંદિરમાં પ્રભુ શેષનાગ ઉપર પોઢે છે.ત્રણ દરવાજે થી દર્શન કરવાથી પ્રભુ પદ્મનાભજીના સંપૂર્ણ દર્શન થાય છે. કન્યાકુમારી અને અહીં પદ્મનાભજીના દર્શન માટે પુરુષોએ કેવળ ધોતી પહેરવાની હોય છે. અહીંના રાજા પોતાને પદ્મનાભ પ્રભુના સેવક માને છે. જો એ ગામમાં હાજર હોય અને સેવા ચૂકે તો તેને દંડ ભરવો પડતો.

    આવા શ્રી પદ્મનાભ પ્રભુના દર્શનાર્થે મહાપ્રભુજી અહીં પધાર્યા. આપશ્રીએ અહીં છોંકરના વૃક્ષ નીચે એક રમણીય સ્થાન પર મુકામ કીધો. આપશ્રીએ અહીં શ્રી દામોદરદાસ હરસાનીજીને શ્રી પદ્મનાથજીનું માહત્મ કહ્યું. ત્યાં શ્રી પદ્મનાભ આપના દર્શનાર્થે પધાર્યા.

આપશ્રીએ શ્રી પદ્મનાભજીનાં સેવાશૃંગાર કર્યા અને બન્ને સ્વરૂપોએ સાથે ભોજન કર્યુ. આપશ્રીએ શ્રી પદ્મનાભજીની આરતી કરી પોતાના સ્થાન પર પાછા ફર્યા. આપે શ્રી પદ્મનાભ ક્ષેત્રમાં બિરાજી શ્રીમદ ભાગવતજીનું પારાયણ કર્યું.

શ્રી જનાર્દન ક્ષેત્રનાં બેઠકજી

janardan bethakji

કેરળમાં શ્રી જનાર્દન ક્ષેત્રમાં શ્રી મહાપ્રભુજીનાં બેઠકજી આજે પ્રગટ બિરાજે છે. આપે અહીં શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણ કર્યું હતું.  શ્રી જનાર્દન ભગવાન દરરોજ કથાસાંભળવા પધારતા હતા. અહીં વિષ્ણુસ્વામી મતાનુયાયી પ્રેમાકર મુનિના શિષ્યો અને પ્રશિષ્યો શ્રી મહાપ્રભુજીનાં દર્શનાર્થે આવ્યા હતા. ત્યાંથી આપશ્રી મલાયાચલ પર્વત તરફ પધાર્યા.

શ્રી મલયાચલ પર્વતનાં બેઠકજી

malayachal bethakji

દક્ષિણમાં નીલગિરિ પર્વત ઉપર આવેલ ઉટાકામંડ નામે હવા ખાવાના પર્વતીય સ્થાન પર ચંદનનાં પુષ્કળ વૃક્ષો થતાં હોવાને કારણે આ પર્વતને મલયાચલ પર્વત કહેવામાં આવે છે.  ચંદનની સુવાસ અને ઠંડકને કારણે અહીં પુષ્કળ સાપ રહે છે.  આ અદ્ભૂત વનપ્રદેશમાં અનેક તીર્થસ્થાન આવેલા છે.  આપે અગત્સ્ય મુનિના આશ્રમમાં દર્શનાર્થે પધાર્યા હતા.  બાજુમાં શ્રી હેમગોપાલજી ઠાકોરજીનું મંદિરમાં દર્શનાર્થે પધાર્યા ત્યારે ત્યાં હિંસક પ્રાણી હોવાને કારણે એ વિસ્તારમાં કોઈપણ સેવકને વનમાં ન મોકલવાની વિનંતી કરી. ત્યારે મહાપ્રભુજીએ એમને આશ્વાસન આપતા જણાવ્યું કે આપની કૃપાથી કોઈપણ હિંસક પ્રાણી એમના સેવકોનો વાળ વાંકો નહીં કરી શકે. શ્રી હેમગોપાલજીએ આપને  જણાવ્યું કે આપના દર્શનથી એમની ગરમી દૂર થઈ અને એમનું રોમરોમ શીતળ થઈ ગયું. આપ આ ક્ષેત્રમાં એક મહિનો રોકાયા.

શ્રી કૃષ્ણા નદી પરનાં બેઠકજી

krishna nadi ki bethakji

આંધ્ર પ્રદેશમાં આવેલી કૃષ્ણા નદીને કિનારે આવેલા પીપળાના વૃક્ષની નીચે આપે મુકામ કરી દામોદરદાસ હરસાનીને આપે માયાવાદી બ્રાહ્મણો સાથે શાસ્ત્રચર્ચા કરવા નિમંત્રણ આપવા કહ્યું.  આપના ભાગવત પારાયણના પ્રારંભના સમાચારથી ચારેય સંપ્રદાયના વૈષ્ણવો આપના દર્શનાર્થે આવ્યા.  ભાગવત સપ્તાહ પૂર્ણ થતા માયાવાદીઓનો સમૂહ આવ્યો અને આપની સાથે શાસ્ત્રચર્ચા કરી અને ભક્તિમાર્ગની સ્થાપના કરી.

શ્રી પન્નાનૃસિંહજીનાં બેઠકજી

આંધ્ર પ્રદેશમાં મંગલગિરી ગામ પાસે શ્રીપન્નાનૃસિંહજી ભગવાનનું મંદિર આવેલું છે. મંદિર પાસે આવેલા છોંકરના વૃક્ષની નીચે આપશ્રી બિરાજ્યા.  બીજા દિવસથી શ્રી નૃસિંહજી ભગવાનની વિનંતીથી  આપે ત્યાં શ્રીમદ ભાગવતજીનું પારાયણ કર્યું.

શ્રી લોહગઢ[ગોવા]ના બેઠકજી

વિદ્યાનગરથી શ્રીમહાપ્રભુજી લોહગઢ [હાલનું ગોવા] પધાર્યા. અહીંના રમણીય સ્થાન જોઈ છોંકરના વૃક્ષ નીચે આપ બિરાજ્યા. ત્યાં એક મોટી શિલા હતી જેની ઉપર  હાથીના પગનું ચિન્હ હતું.  આજુબાજુ ગાઢ વન આવેલું હતું અને ક્યાંયે જળાશય ન મળતા આપે જણાવ્યું કે પાસે તળાવ છે જ્યાં હાથીના પગ ચિન્હ વાળી મોટી શિલા હતી. આ શિલાની બાજુમાં બીજી એક મોટી શિલા હતી જેની નીચે એક ગુફા છે જેમાં ત્રણ કુંડ આવેલા છે. એક અપ્સરા કુંડ જેમાં રોજ સ્વર્ગની અપ્સરાઓ સ્નાન કરવા આવે છે.  બીજો ગંધર્વ કુંડ જેમાં રોજ ગંધર્વ સ્નાન કરવા આવે છે.  ત્રીજો દેવતા કુંડ જેમાં દર પૂનમના દિવસે ઈંદ્ર સહિત દેવતાઓ સ્નાન કરવા આવે છે. આપે અહીં શ્રી ભાગવતજીનું પારાયણ કર્યું. ત્યારબાદ આપ પંઢરપુર જવા રવાના થયા.

જૈ શ્રી કૃષ્ણ

મલાડના વૈષ્ણોદેવી

આજે દશેરા – આસો સુદ દસમ

આપ સૌને દશેરાની શુભેચ્છાઓ.

vaishnodevi at malad

કટરામાં બિરાજતા વૈષ્ણોદેવીથી તો આપ સહુ પરિચિત છો પરંતુ આપ જાણો છો કે મુંબઈના મલાડ નામના ઉપનગરમાં પણ કટરાના વૈષ્ણોદેવી બિરાજમાન છે. મલાડ [પૂર્વ]માં દફ્તરી રોડ આવેલું વૈષ્ણોદેવી મંદિર કટરાના વૈષ્ણોદેવી મંદિરની પ્રતિકૃતિ છે.

આજથી ૧૩ વર્ષ પહેલા ૭મી ફેબ્રુઆરી, ૨૦૦૦ના રોજ આ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી.

જમ્મુ શહેરથી ૪૫ કિ.મી. દૂર અને સમુદ્ર સપાટીથી ૨૫૦૦ ફૂટની ઊંચાઈએ આવેલા કટરા નામના ગામથી વૈષ્ણોદેવીની યાત્રાનો પ્રારંભ થાય છે. સમુદ્ર સપાટીથી ૬૨૩૦ ફૂટની ઊંચાઈએ આવેલા ત્રિકૂટ પર્વતસ્થિત ખીણ પ્રદેશની ગુફામાં મહાકાલી, મહાલક્ષ્મી તેમ જ મહાસરસ્વતી માતા ભવ્ય પિંડી રૂપમાં બિરાજમાન છે. આ યાત્રા કરતાં ઘણી કઠિનાઈઓનો સામનો કરવો પડે છે. વયોવૃદ્ધ, અપંગ તેમ જ આર્થિક રીતે નબળા ભાવિકો આ યાત્રા કરી નથી શકતા.

આ વાતનો વિચાર પાંચ મિતોએ મળીને કર્યો અને માતાજીના આશીર્વાદથી માતા વૈષ્ણોદેવીના મંદિર મુંબઈના  મલાડ નામના ઉપનગરમાં બનાવવાનો વિચાર કર્યો. ત્રિકૂટ પર્વતની જેમ જ ડુંગરમા પીંડી સ્વરૂપે સ્થાપના કરવાની યોજના કરી.

મંદિરની સ્થાપના કરવા દરેક મિત્રે આર્થિક રીતે મદદ કરી. એક મિત્રે પોતાની જ્ગ્યાનું દાન કર્યું, જ્યારે બીજા મિત્રે પાયો નાખી વૈદિક મંત્રોચ્ચારોણ દ્વારા વિધી પૂર્ણ કરી. ત્રીજા મિત્રના અથાગ પ્રયત્નથી ધાગેન્દ્ર ગામના પથ્થરો વડે લોખંડ કે કોઈપણ સ્લેબ અથવા બીમ વગર નવ મહિનાના સમયગાળામાં મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું. વૈષ્ણોદેવીના મંદિરથી આણેલી અખંડ જ્યોતિ આ મંદિરમાં લાવવામાં આવેલી છે.

મંદિરમાં પ્રવેશતાં શીતળતાનો અનુભવ થાય છે. માતાજીનાં દર્શન, જ્યોતિનાં દર્શન તેમ જ ત્રણ પિંડીનાં દર્શનથી મન પ્રફુલ્લિત થઈ જાય છે.

મંદિરમાં ભોળાનાથના પરિવાર, નાકોડાજી તેમજ ભૈરવનાથજી અને હનુમાનજીનાં મંદિર છે. ગુરુનો દરબાર અને નવદુર્ગાનાં પણ મંદિરોનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે. ચૈત્રી નવરાત્રી તેમજ આસો માસની નવરાત્રીમાં લાખો શ્રદ્ધાળુ લોકો દર્શન કરી માનતા માને છે.

— સંકલિત

                                                                            ૐ નમઃ શિવાય

સુવિચાર

આજે વૈશાખ સુદ ચોથ

                                                            સુવિચાર

* કોઈના અભાવમાં રહેશો નહીં, કોઈના પ્રભાવમાં જીવશો, જે તમારો સ્વભાવ છે તેમાં રહેજો અને જીવજો.

* સાધનામાં તીવ્રતા હોવી જોઈએ. આ ગુણ જ સાધકનું રક્ષણ કરે છે. –પ્રણવાનંદજી

* પાપના ઊંડા ખાડામાં એકવાર પડ્યા પછી પ્રતિક્ષણ નીચે જ જવાય છે.

* તમે યોગી ના થઈ શકો તો વાંધો નહીં, પણ બધાને ઉપ-યોગી જરૂર થજો.

* ભક્તિ માર્ગ આચર્યા સિવાય જ્ઞાનની પૂર્તિ થતી નથી. –શ્રી માતાજી

* કામની અધિકતા જ નહીં, પણ અનિયમિતતા જ માણસને મારી નાખે છે. –ગાંધીજી

* સત્ય હંમેશા બે અંતિમો વચ્ચે વસતું હોય છે, અસત્ય પણ. –પ્રણવાનંદજી

* દુઃખ આવતાં પહેલાં જે દુઃખી થઈ જાય છે એ જરૂર કરતાં વધુ દુઃખ ઉપાડે છે.

* જેનો અમલ કર્યા પછી મનને સુખ મળે એ જ સાચી નીતિ. –પ્રણવાનંદજી

* ધીરજથી રાહ જોવી એ ઈશ્વરની મરજીને અનુસરવાનો ઉત્તમોત્તમ માર્ગ છે. –કૉલિયર

* તમે આત્મવિશ્વાસથી ભરપૂર જીંદગી જીવો તો તમને જગતની કોઈ ચિંતા નહીં સતાવે. –મોન્ટેસ્ક

ૐ નમઃ શિવાય

સુવિચાર

                                                      સુવિચાર

* જીવનમાં ક્યારેય આવતી કાલ મળતી નથી. કાયમ ‘આજ’ જ હોય છે.

* મા એટલે સ્ત્રીશક્તિ અને ગુરૂ એટલે પુરૂષશક્તિ. ગુરૂ ખરેખર ન તો નર, નારી કે નાન્યતર છે પણ શારીરિક સ્તર પર કાર્ય કરવા માટે એક નામની જરૂર પડે છે.

* દુનિયામાં અનેક તમાશા હોય છે. જતી જવાની, આવતું ઘડપણ, બદલાતી ઋતુના અસ્ત થતા પડછાયા, જે બદલાય છે તે દુનિયા અને ન બદલાય તે પ્રભુ.

* જે ભીતર બેઠો છે તેને માનવ જોઈ શકતો નથી અને બહાર મૂર્તિઓ બનાવીને એને પૂજતો રહ્યો છે.

* ‘એક દિવસ બગીચામાં પ્રિયતમ સાથે ચાલતાં-ચાલતાં મેં ગુલાબ સામે જોયું અને પ્રિયતમે મને વઢીને કહ્યું,”જ્યારે હું અહીં તારી સાથે છું તો
તું ગુલાબ સામે જોઈ કઈ રીતે શકે?” આ શબ્દો રુમીના છે. તેનો પ્રિયતમ હઝરત શમ્સ અને ગુલાબ એટલે આ જગત. પ્રિયત એટલે તમારા ગુરૂ અને ગુલાબ એટલે સંસાર એમ વિચારીને આ કાવ્યને અનુભવો ‘તમે બગીચામાં ચાલી રહ્યા છો……

* આજના દિવસે જીવતા હોવાના આશ્ચર્યને જોતા રહો. પ્રકૃતિને ધન્યવાદ આપો અને તમારામાં ધબકી રહેલા જીવન માટે અસ્તિત્વનો આભાર માનો.

* પોતાની ખાતર પોતાની જાતને પ્રેમ કરો અને પોતાના શરીર અને મન પર અત્યાચાર ન કરો.

* કુંડલિની થવી એ કંઈ જીવન બદલાઈ જવા જેવી ઘટના નથી પણ સંપૂર્ણ જાગૃતિ તરફની યાત્રાનું નાનકડું પગથિયું છે માટે સમજી વિચારીને ગુરૂની પસંદ કરજો.

* જેમની પાસેથી સુખ મળે છે તે જ દુઃખ આપે છે. મિત્રો, સ્વજનો સાથે વ્યહવાર કરતી વખતે આ વિષે હંમેશા સજાગ રહેવું.

* જ્યારે તમારું મન ઉન્માદમાં હોય કે ગુસ્સામાં હોય કે મન ખુશમાં હોય કે મન શાંત હોય ત્યારે ઊંડા શ્વાસ લો.

* પ્રેમનું સર્જન કરો — બીજા તમને પ્રેમ કરશે તેની રાહ ન જુઓ. તમે જ પહેલ કરો અને પ્રેમ આપો. એ પ્રેમ હજાર ગણો થઈ તમારી પાસે પાછો ફરશે.

                                                                                         

                                                                                                  ગુરૂમાની વાણી પર આધારિત

ૐ નમઃ શિવાય

કુંભમેળો

કુંભમેળો

 

Kumbh-Mela-300x216

 

પૌરાણિક કથાઓ મુજબ દેવતાઓ અને દાનવો હંમેશા કોઈપણ કારણોસર એકબીજા સાથે લડતા હતા. અમૃતની શોધ માટે દેવ દાનવ બંન્ને સાથે મળીને ક્ષીરસાગરનું મંથન કરવા એકબીજા સાથે સંમત થયા હતા. અમૃત પ્રાપ્ત થયે બે હિસ્સામાં વેંચણી કરી લેવી એમ નક્કી કરવામાં આવ્યું.
આમ મંદાર પર્વતને વલોણું બનાવી વાસુકી નાગને દોરી બનાવી ક્ષીરસાગરનું મંથન શરૂ થયું. દેવતાઓએ નાગરાજની પૂંછ પકડી જ્યારે દાનવોને ભાગે નાગરાજ વાસુકીનું મુખ આવ્યું.

સમુદ્રમંથન દરમિયાન સૌ પ્રથમ હળાહળ વિષ નીકળ્યુ. આ હળાહળ વિષ દેવોના દેવ મહાદેવે પીધું. આ વિષ પીતા થોડાક છાંટા પૃથ્વી પર પડ્યાં જેને કારણે ઝેરીલા પ્રાણીઓની ઉપત્તિ થઈ. સમુદ્રમંથન દરમિયાન મંદાર પર્વત નીચે ગરકવા માંડ્યો ત્યારે ભગવાન વિષ્ણુએ કછપ અવતાર લઈ મંદાર પર્વતને પોતાની ઢાલ જેવી પીઠ પર ઝીલી લીધો. ત્યારબાદ ૧૦૦૦ વર્ષ બાદ ભગવાન ધનવંતરી પોતાના હાથમાં અમતનો કુંભ પકડી પ્રગટ થયા. દાનવોથી ચિંતિત દેવતાઓએ અમૃતકુંભ ધનવંતરીના હાથમાંથી લઈ બૃહસ્પતિ, સૂર્ય,શનિ અને ચંદ્રને સોંપી દીધો.

દાનવોને આ વાતનું જ્ઞાન થતાં તેઓ ૧૨ દિવસ અને ૧૨ રાત સુધી દેવતાઓનો પીછો કર્યો. આ દરમિયાન અમૃત ભરેલા કુંભમાંથી અમૃતના થોડાંક ટીપાં ચાર સ્થાન પર પડ્યાં. અલ્હાબાદ, હરિદ્વાર,ઉજ્જૈન અને નાસિક. પૌરાણિક કથાઓ મુજબ દેવતાઓના ૧૨ દિવસ માનવ માટે ૧૨ વર્ષ ગણાય છે. આથી આ ચાર ધામ પવિત્ર ગણાય છે. તેથી આ દરેક ધામમાં દર ૧૨ વર્ષે કુંભ મેળો ભરાય છે.

નાસિકમાં ગોદાવરીને કિનારે, ઉજ્જૈનમાં ક્ષીપ્રા નદીને કિનારે, હરિદ્ગંવારમાં ગંગા નદીને કિનારે, અલ્હાબાદમાં ગંગા, યમુના અને સરસ્વતી નદીઓનાં ત્રિવેણી સંગમને કિનારે કુંભમેળો ભરાય છે અહીં આ દિવસો દરમિયાન લાખો ભક્તો પવિત્ર સ્નાનનો લ્હાવો લે છે. કહેવાય છે કે આ પવિત્ર સ્નાનથી જન્મોજનમનાં પાપ ધોવાય છે. ભાગ્યશાળીઓને આવા સ્નાનનો લ્હાવો મળે છે.

 

 

 ૐ નમઃ શિવાય

ગુજરાતની બેઠકો- [૨]

                                                                               આજે આસો વદ આઠમ

 

ગુજરાતની બેઠકો -[૨]

 

કાવીના બેઠકજીઃ

 

ભરૂચ જિલ્લામાં દરિયા કિનારે કાવી નામે ગામ છે. શ્રી મહાપ્રભુજીના સમયમાં તે કપિલક્ષેત્રના નામે જાણીતું હતું. ત્યાં કપિલ બ્રાહ્મણો અને જૈનો ખૂબ પ્રમાનમાં વસતા હતા. શ્રીમહાપ્રભુજી અહીં પધારેલા ત્યારે આપે ગામ બહાર મુકામ કર્યો હતો. અહીં આપે શ્રી વેદપારાયણ કર્યું હતું. આપશ્રીના આગમનની જાણકારી થતા ઘણા કપિલ વિદ્વાનો શાસ્ત્રાર્થે આવેલા. અહીં શ્રીમહાપ્રભુજીનાં બેઠકજી પ્રગટ બીરાજે છે.

 

શ્રી જંબુસર [ભાનુક્ષેત્ર]નાં બેઠકજીઃ-

 

શ્રી જંબુસરની ઉત્તરે ભાનુક્ષેત્ર [હાલનું ડાભા ગામ] એક પુરાણ પ્રસિદ્ધ ક્ષેત્ર છે. આ ગામ વૈષ્ણવોનું તીર્થક્ષેત્ર ગણાય છે. અહીં હરિરાયજી મહાપ્રભુજીએ શ્રીમદભાગવત પારાયણ કર્યું હતું. પ્રાચીન સમયમાં ડાભા ગામ તરફ જતાં માર્ગમાં આવતી ધનદેવી તળાવડી પાસે એક ખેતર હતું જેના માલિક ઈબ્રાહિમ મહંમદ મુલતાની હતા. તેમનું કહેવું હતું કે ખેતરમાં સંધ્યાકાળે , રાત્રે કે મધરાતે સફેદ ધોતી ઉપરણો ધારણ કરેલા તેજોમય મહાપુરુષ શ્રીહસ્તમાં માળા લઈ ફરતા જણાય છે. કોઈવાર એ શમીવૃક્ષો પાસે ઝાંઝ, પખવાજ વગેરે વાજિંત્રો વાગવાનો અને કીર્તનો થતાં હોય તેવો અવાજ પણ આવે છે. આવો મહિમા આ બેઠકજીનો છે.

 

નરોડાનાં બેઠકજીઃ-

 

શ્રીમહાપ્રભુજી ગુજરાતમાં પરિભ્રમણ કરતા કરતા નરોડા પધાર્યા. અહીંની અપરસ અને મેડ પ્રાચીન પરંપરા મુજબની છે તેથી સેવામાં નહાતા પહેલાં ઉપવાસ કરી આજ્ઞા મેળવવી પડે છે.

 

શ્રી તગડીનાં બેઠકજીઃ-

 

અમદાવાદના ધંધુકા તાલુકામાં તગડી નામનું ગામ આવેલું છે. ગામ બહાર મોટા તળાવના કિનારે મહાપ્રભુજીની બેઠકજી આવેલાં છે. શ્રીમહાપ્રભુજી પોતાનાસેવકો સહિત અહીં પધારેલા ત્યારે આ સ્થાનમાં મુકામ કર્યો હતો.

 

શ્રી જુનાગઢનાં બેઠકજીઃ-

 

જૂનાગઢમાં ગિરનાર પર્વતની તળેટીમાં દામોદર કુંડ અને રેવતી કુંડની વચ્ચે પર્વતની તળેટીમાં બેઠકજી આવેલાં છે. શ્રી મહાપ્રભુજી પોતાના સેવકો સહિત અહીં પધારેલા ત્યારે ગિરનાર પર્વતની તળેટીમાં રેવતીકુંડના કિનારે આવેલા પીપળાના વૃક્ષ નીચે બિરાજ્યા હતા. અહીં આપે શ્રીમદ ભાગવતનું પારાયણ કર્યું હતું.

 

શ્રી પ્રભાસપાટણનાં બેઠકજીઃ-

 

વેરાવળ સ્ટેશનથી બે માઈલ દૂર પ્રભાસપાટણ નામનું ગામ આવેલું છે. યાદવાસ્થળી બાદ ભગવાન શ્રીકૃષ્ણે પોતાનો ભૌતિક દેહ છોડ્યો હતો. દેહોત્સર્ગ નામનું પ્રાચીન ધર્મસ્થાન તીર્થસ્થાન અહીં આવેલું છે જેની બાજુમાં શ્રી મહાપ્રભુજીનાં બેઠકજી આવેલાં છે. બેઠકજી ભોંયરામાં બિરાજે છે. આપશ્રીએ ત્રિવેણી સંગમમાં સ્નાન કરી શ્રીમદ ભાગવત સપ્તાહની શરૂઆત કરી. કહેવાય છે કે ખુદ દેવોના દેવ મહાદેવ આ કથા સાંભળવા પધાર્યા હતા. સપ્તાહ પૂર્ણ થયે આપશ્રીએ પ્રભાસક્ષેત્રના પંચતીર્થની પરિક્રમા કરી હતી. અહીં આપના ઘણા સેવકો થયા હતા.

 

                                                                                              જૈ શ્રીકૃષ્ણ

ધર્મની સંક્રાંતિ

                                               આજે ચૈત્ર સુદ એકાદશી

ધર્મની સંક્રાંતિ

 

ધર્મની સંક્રાંતિ એટલે ધર્મના ક્ષેત્રમાં સંક્રાંત થવું. સંક્રાંતિના પર્વને ધર્મને પ્રમાણે ઉજવવું.

મુક્તિની ચાર દિશાઓ છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ ચાર દિશાઓ સાથે આપણી ચાર દિશાઓ જોડાયેલી છે. ધર્મ એટલે દક્ષિણ દિશા, મોક્ષ એટલે ઉત્તર દિશા, અર્થ એટલે પશ્ચિમ દિશા, કામ એટલે પૂર્વ દિશા સંકળાયેલી છે.

ધર્મ એટલે શું ? સ્વભાવો અદ્યાત્મ ઉચ્ચતે.

સ્વભાવ એ જ ધર્મ છે. સ્વભાવ એ જ અધ્યાત્મ. ધાર્મિક થવા પુજા, જપ, તપ જે કરવું કરો પણ ઈશ્વર પાસે જવા અર્જુનની જેમ ઋજુ બાળક જેવા નિર્દોષ બનો. જે કાર્ય કર્વાનું છે તે નિષ્ઠાથી કરીને જીવનને આત્મસાત કરવાનો છે.

ધર્મના મુખ્ય પાંચ તત્વો છે:-

1] કર્મકાંડ-કર્મકાંદમાં જડ તત્વોને તિલાંજલિ આપી નવા વિચારો દ્વારા પુજા અર્ચના કરવાનાં છે.

2] આચારો-જુદા જુદા સંપ્રદાયોને એક કરવાના છે. અંધશ્રદ્ધાને જાકારો આપવાનો છે.

3] સંપ્રદાય-મનની સંકુચીતતા, ધાર્મિક સહિષ્ણુતા ન ગણવાની વાતો દૂર કરવાની છે.

4] તત્વજ્ઞાન-માં ધર્મગ્રંથનું વાંચન અને તેનો અર્થસભર અનુવાદ તેમજ માનવતાનું નિરુપણ કરવાનું છે.

5] જીવનના મુલ્યો- રાસ પામતાં કે નષ્ટ થતાં જીવન મુલ્યોને સાચવાના છે. આપણી સંસ્કૃતિના જીવન મુલ્યો અમુલ્ય છે.


મુંબઈના ભારતીય સ્ત્રી સેવા સંઘ માં શ્રી. હેમાંગિનીબેન જાઈના અપાયેલ પ્રવચનને આધારિત.

                                 
                                                ૐ નમઃ શિવાય

‘અ’નું મહત્વ

                                                     આજે ફાગણ વદ આઠમ

‘અ’નું અદકેરું મહત્વ


જીવનનો આરંભ જન્મ

જીવનનો અંત
મરણ

બારાખડીનો પ્રથમ ‘અ’
આત્માનો ‘અ’
આત્માનાં લક્ષણો ‘અરૂપી’, અવિનાશી, અનામી

પ્રભુના ગુણો: અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત લબ્ધિ

બ્રહ્માંડમાં :- અનંત આકાશ

ધર્મ કે પર્વમાં: એકમતીથી, અનંત એકાદશી, અનંત ચતુર્થી, અમાસ, અષાઢ
આસો માસમાં એવ્રત-જીવવ્રત, એકટાણુ, અનુષ્ઠાન, અલ્લાહનો અ.

વ્યવહારમાં : અનુજ અનુગામી

ભાવિ વિષે જાણકારી એટલે અગોચર જ્ઞાન [સંકેત]

દુર્ગુણો : અભિમાન, અહમ, આડંબર, અવિવેકી, અવિચારી

વાક્યોની રચના તેમ જ સમજ માટે ‘અને’ ‘એટલે’ ‘અનુક્રમણિકા’ જેવા શબ્દો

પત્રલેખનમાં : ‘આદરણીય’ આથી જણાવવાનું કે ….’ અંતમાં ‘આપનો વિશ્વાસુ’

છેલ્લે … અક્ષરધામ [મોક્ષ]

                                                                                       — સંકલિત

 

                                               ૐ નમઃ શિવાય

શિવમાનસ પૂજા

આજે મહા વદ તેરસ એટલે મહાશિવરાત્રી

કૈલાશ પર શિવજી  

रत्नै: कल्पितमासनं हिमजलै: स्नानं च दिव्यांबरम् l
नानारत्नविभूषितं मृगमदामोदांकितं चंदनम् l
जातीचंपकबिल्वपत्ररचितं पुष्पं च धूपं तथा l
दीपं देव दयानिधे पशुपते ह्यत्कल्पितं गृह्यताम् ll

હે દેવ ! હે દયાનિધિ ! આ રત્નજડિત સિંહાસન, શીતળ જળથી સ્નાન, અનેક પ્રકારનાં રત્નોથી વિભૂષિત દિવ્ય વસ્ત્ર, કસ્તુરીની સુવાસથી સુવાસિત મલયગિરિનું ચંદન, જૂઈ, ચંપો અને બિલ્વપત્રથી રચિત પુષ્પમાળા, ધૂપ અને દીપ – આ સર્વ માનસિક પૂજા હે મહાદેવ આપ ગ્રહણ કરો.

सौवर्णे नवरत्नखंडरचिते पात्रे घृतं पायसम् l
भक्ष्यं पंचविधं पयोदधियुतं रंभाफलं पानकम् l
शाकानामयुतं जलं रुचिकरं कर्पुरखंडोज्जवलन् l
तांबूलं मनसा मया विरचितं भक्त्या प्रभो स्वीकुरु ll

હે પ્રભુ ! મેં નવીન રત્નખંડોથી જડિત સોનાના પાત્રમાં ઘી-મિશ્રિત ખીર, દૂધ અને દહીં સહિત પાંચ પ્રકારનાં વ્યંજન, કેળા, શરબત, અનેક પ્રકારનાં શાક, કપૂરથી સુવાસિત મીઠું પવિત્ર જળ અને તાંબૂળ – આ સર્વ મન દ્વારાભક્તિપૂર્વક રચીને આપને પ્રસ્તુત કર્યું છે કૃપા કરી આપ તેનો સ્વીકાર કરો.

छ्त्रं चामरयोर्युगं व्यजनकं चादर्शकं निर्मलम् l
वीणाभेरिमृदंगकाहलकला गीतं च नृत्यं तथा l
साष्टांग प्रणति: स्तुतिर्बहुविद्याह्येतत्समस्तं मया l
संकल्पेन समर्पितं तव विभो पूजां गृहाण प्रभो ll

છત્ર, બે ચામર, પંખા, નિર્મળ દર્પણ, વીણા, ભેરી, મૃદંગ, દુદુંભી એ સર્વ વાદ્યોનુ સંગીત ગીત અને નૃત્ય, સાષ્ટાંગ પ્રણામ તથા નાનાવિધ સ્તુતિ – આ સર્વ હું સંકલ્પથી જ આપને સમર્પિત કરું છું. હે સર્વવ્યાપી ભગવાન ! કૃપા કરીને એનો સ્વીકાર કરો.

आत्मात्वंगिरिजा मति: सहचरा: प्राणा: शरीरं गृहम् l
पूजा ते विषयोपभोगरचना निद्रा समाधि स्थिति: l
संचार: पदयो: प्रदक्षिणविधि: स्तोत्राणि सर्वा गिरो l
यद्यत्कर्म करोमि तत्तदखिलं शंभो तवाराधनम् ll

હે શંભુ ! મારો આત્મા એ [સાક્ષાત] આપ જ છો, મારી બુદ્ધિ એ પાર્વતી છે,મારા પ્રાણ [ઈન્દ્રિયો] આપના સેવકગણ છે, મારો દેહ [આપનું] નિવાસસ્થાન [અર્થાત મંદિર] છે, સંપૂર્ણ વિષયભોગની રચના [ઉપભોગ] આપની [ષોડશોપચાર] ‘ પૂજા છે, [જ્યાં આપની સાથે મિલન થાય છે તે] નિદ્રા સમાધિની સ્થિતિ જ છે, પગ દ્વારા હરવું ફરવું એ [આપની] પરિક્રમા જ છે. સર્વ વાણી [જે કાંઈ હું બોલું છું તે] [આપનાં] સ્તોત્ર જ છે. [આ રીતે] હું જે જે પણ કર્મ કરું છું તે તે આપની આરાધના જ છે.

करचरणकृतं वाक्कायजं कर्मजं वा l
श्रवणनयनजं वा मानसंवाऽपराधम् l
विहितमविहितं वा सर्वमेतत्क्षमस्व l
जय जय करुणाब्धे श्रीमहादेव शम्भो ll

હાથ, પગ, વાણી, શરીર, કર્મ, કર્ણ, ચક્ષુ કે મનથી જે અપરાધ થયા હોય તે વિહિત હોય કે અવિહિત; એ સર્વ માટે હે કરુણા સાગર, હે મહાદેવ, હે શંભુ મને ક્ષમા કરો. આપનો જય થાઓ, જય થાઓ.

                                                                                     

                                                                                                   -શ્રી શંકરાચાર્ય

[ગુજરાતીમાં ભષાંતર શ્રી વિદિતાનંદજી મહારાજે કર્યું છે. પુસ્તક:- વન્દે શિવમ શંકરમ]

                                                       ૐ નમઃ શિવાય