ગણેશજીના વિવિધ રૂપો

                                   આજે ભાદરવા સુદ નોમ

 

આજનો સુવિચાર:- જ્યાં નીતિ અને બળ બન્નેને કામમાં લેવાય છે, ત્યાં બધી બાજુથી સફળતા પ્રાપ્ત થાય છે. — શંકરાચાર્ય

G1-480

 

ગણેશજીના વિવિધ રૂપો

 

વિઘ્નેશરાય વરદાય સુરપ્રિયાય,
લંબોદરાય સકલાય જગદ્વિતાય
નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય,
ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે

ગણેશ, ગણપતિ, ગજાનન, લંબોદર, વિઘ્નહર્તા, સુમુખ, એકદંત, કપિલ, ગજકર્ણક, ધૂમકેતુ, ગણાધ્યક્ષ, ભાલચન્દ્ર, વિનાયક વગેરે અનેક વિવિધ નામ ધરાવતા ગણેશજી વિશ્વભરમાં પૂજાય છે. તેમની વિવિધ પ્રકારની મૂર્તિઓ જગતના જુદા જુદા વિસ્તારોમાં જોવા મળે છે.

મૅક્સિકોમાં વરુણ દેવતા તરીકે ઓળખાતા ગણેશજીની બે ભુજાઓ છે. તેમની સૂંઢ લાંબી છે અને કપાળ પર સૂર્યનું પ્રતિક છે. આંખો સોનેથી મઢેલી છે. બુદ્ધ ભગવાન જેવી મુદ્રામાં ગણેશજી બિરાજમાન છે. ત્યાંની સંસ્કૃતિ અનુસાર તેમને ફૂલપાનના આભૂષણો પહેરાવવામાં આવ્યા છે.

દક્ષિણ બાલીના જંબરનમાં આવેલી ગણેશજીની મૂર્તિ અગ્નિરૂપે ઓળખાય છે. સાતમી કે આઠમી સદીની આ પાષાણની મૂર્તિ બે ભૂજાની છે. બાલીમાં બીજે બધે કાંસ્યની મૂર્તિઓ જોવા મળે છે. પાષાણની આ મૂર્તિ દુનિયામાં એક છે એવું મનાય છે. આ મૂર્તિમાં બાલી સંસ્કૃતિની ખાસ વિશિષ્ટતા દેખાય છે. આ મૂર્તિમાં પગનાં તળિયા જાવા પદ્ધતિ અનુસાર એકમેકને સ્પર્શ કરે છે. ગણેશજીના જમણા હાથમાં મશાલ અને ડાબા હાથમાં પાત્ર છે. તેમનું મોઢું મોટું, આંખો ગોળ અને કપાળ પર કમળ છે. માથા પરના મુગટમાં મૂલ્યવાન હીરો જડેલો છે. સૂંઢ ગરદન તરફ વળેલી છે તેની બાજુમાં જ્વાળા છે. કમરપટ્ટો ઈંડોચીન પદ્ધતિનો છે. અહીંયા ગણેશજી સૂર્યરૂપે ઓળખાય છે. જ્યારે રાજારાણીનું મૃત્યુ થાય ત્યારે તેમના પૂતળા બનાવી જમણા હાથમાં ગણેશજીની મૂર્તિ મૂકવામાં આવે છે. આમ કરવાથી રાજારાણી દેવરૂપ પામે છે એવી માન્યતા છે. ગણેશજી દુષ્ટોના સંહારક દેવતા હોવાથી બાલીના ગણપતિના હાથમાં મશાલ હશે એવું અનુમાન કરવામાં આવે છે.

ઈંડો – ચાઈનામાં ગણેશજી વિનાયક તરીકે ઓળખાય છે. અહીં સ્સતમી કે આઠમી સદીની આ ગણેશજીની મૂર્તિ બે માથાવાળી છે. આગળનું માથુ હાથીનું છે અને પાછળનું માથું મનુષ્યનું છે. આ મૂર્તિમાં ગણેશજી ઊભા છે. ડાબા હાથમાં પાત્ર છે અને જમણા હાથમાં પાંદડાની ડાળખી છે.

જાપાનમાં ગણેશજીની મૂર્તિ હસમુખો ચહેરો ધરાવે છે, પુસ્તક બેઠેલી આ મૂર્તિના ચાર હાથમાં કુહાડી, કુંભ, ધનુષ્યબાણ અને પુષ્પમાળા છે. આંખો લીલી છે અને માથે ચોટી છે.

જાવામાં બોરોના ગણેશ તરીકે ગણેશજી ઓળખાય છે. તેમને ચાર હાથ છે અને પગ પાસે માનવખોપડીઓ કોતરેલી છે. ગણેશજીની આખી મૂર્તિ ભારતીય જાવાપદ્ધતિની છે. પાછળની બાજુ કાપાલિક ચહેરો કોતરવામાં આવ્યો છે જે ભૂત પિશાચનો નાશ કરનારો ગણાય છે.

તિબેટમાં ગણેશજી રાક્ષસોથી રક્ષણકર્તા તરીકે માનવામાં આવે છે જેથી મંદિરના મુખ્ય દ્વાર પર મૂર્તિ રૂપે ચિત્રમાં જોવા મળે છે. તામ્બોમાં દેવાલયના મુખ્યદ્વાર પર વ્યાઘ્રચર્મ પર ગણેશજીની મૂર્તિ કંડારેલી છે. તેમના ગળામાં રુદ્રાક્ષમાળા અને સર્પ જોવા મળે છે.
ઈરાનમાં ગણેશજી શૂરવીર યોદ્ધાના સ્વરૂપે જોવામાં આવે છે. તેઓ શંકર ભગવાનના ગણના સેનાપતિ તરીકે ઓળખવામાં આવે છે. તેમને દાઢી પણ છે. ચીનમાં ગણેશજી ગૂઢ વિદ્યાના દેવતા ગણાય છે. અફઘનીસ્તાનમાં ઈજિપ્ત સંસ્કૃતિ પ્રમાણે તૈયાર કરેલી સાતમી કે આઠમી સદીની ગણેશજીની મૂર્તિ જોવા મળે છે. બૉર્નિયામાં જટાધારી અને ગળામાં સર્પોના હાર સહિત ગણેશજીની મૂર્તિ જોવા મળે છે. ઉત્તર વિયેટનામમાં ગણેશજીના ચહેરા પર એક આખો અને બીજો અડધો દાંત જોવા મળે છે.

નેપાળમાં સૂર્યવિનાયક, શ્રીલંકામાં યોગાયોગ વિંદા શ્રી ગણેશ, મધ્ય એશિયામાં ગણેશ, કમ્બોડિયામાં મહારાજ લીલા મુદ્રા શ્રી ગણેશ, બ્રહ્મદેશમાં મહાપિચેન, કામ્પુચિયામાં શ્રી ગણેશ ખમેર તરીકે ઓળખાય છે.

આમ દેશ-વિદેશમાં ગણપતિબાપ્પા એક યા બીજા સ્વરૂપે પૂજાય છે, આરાધ્યાય છે, શ્રદ્ધા રાખીને સ્થાપિત કરી પૂજે છે, ભજન કરે છે.

— સૌજન્ય :- જન્મભૂમિ

ગણપતિ બાપ્પા મોરિયા
પુઢચા વર્ષી લવકર યા
અર્થાત
હે ગણપતિ બાપા
આગલે વર્ષે જલ્દી આવજો,

                                          ૐ નમઃ શિવાય

રાધાઅષ્ટમી

                    આજે ભાદરવા સુદ આઠમ [રાધાષ્ટમી]

આજનો સુવિચાર:- જ્યારે મળવા લાગે છે ત્યારે વધુ મેળવવાનો લોભ જાગે છે.

images[4]

રાધા માધવકી બન જાયે

મીત વહી જો બિના બુલાયે
મનમેં આયે ફિર નહીં જાયે

ગીત વહી જો અનજાનેમેં
બાર બાર મુખસે દોહરાયે

હીત વહી જો અપનેપનસે
સત્ય જીવનકા પથ દિખલાયે

પ્રીત વહી જો પાગલપન દે
પ્રાણોંમેં પીડા ભર જાયે

રીત યહી હૈ જીનકી ઈક
જિંદગી હી બંદગી બન જાયે

જીત યહી હૈ ‘શ્રાવણી’ તૂ ભી
રાધા માધવકી બન જાયે

કવિયિત્રી:- ગોસ્વામી ઈન્દિરાબેટીજી

                                        ૐ નમઃ શિવાય

આરતી શા માટે?

                      આજે ભાદરવા સુદ સાતમ

આજનો સુવિચાર:- સફળતાની નીચે અનેક ભૂલો ઢંકાયેલી હોય છે. — બર્નાડ શૉ

આરતી

આરતી

 

 

                                     આપણે આરતી શા માટે કરીએ છીએ?

      ભગવાનની પૂજા કે ભજનના અંતે અથવા કોઈ સંતપુરુષ કે સન્માનીય મહેમાનના સ્વાગતમાં આરતી ઉતારવામાં આવે છે. આરતીની સાથે ઘંટારવ થાય છે. આરતી ગવાય છે.મંગળ વાદ્યો વાગે છે અને તાળી પાડવામાં આવે છે. ષોડશ ઉપચાર પૂજાનો એક ઉપચાર છે. જેને ‘મંગળ નિરંજન’ દિવ્ય અને પવિત્ર પ્રકાશ] કહેવાય છે. પરમાત્માના સંપૂર્ણ રૂપને પ્રકાશિત કરવા આપણે જમણા હાથમાં પ્રગટાવેલા દિવા લઈને જમણાથી ડાબી દિશામાં ગોળાકાર કરીને તેની જ્યોતને ફેરવવામાં આવે છે. તેનાથી ભગવાનનું દરેક અંગ અને તેમનું સમગ્ર સ્વરૂપ પ્રકાશિત થાય છે.

     જ્યારે આરતી ઉતારવામાં આવે છે ત્યારે સૌ મનમાં અતહ્વા મોટા અવાજે આરતી ગાય છે અથવા ભગવાનના સુંદર રૂપનાં દર્શન કરે છે. આરતી વખતે આપણને વધુ એકાદ્રતા અને ભક્તિભાવનો અનુભવ થાય છે. ભગવાનના સુંદર રૂપનાં દર્શન કરે છે. આરતી વખતે વધુ એકાગ્રતા અને ભક્તિભાવની અનુભૂતિ થાય છે. આરતી પૂરી થાય ત્યારે બે હાથ જ્યોત પર ફેરવીને આંખે અને માથે અડાડીએ છીએ.

     ભગવાનની પ્રતિમાનો અભિષેક તથા શ્રૃંગાર કરીને અને તેમને નૈવેદ્ય ફળાહાર વગેરે ધરાવી પ્રેમથી તેમની પૂજા કરીને શોભા અને સુંદરતાની અનુભૂતિ થાય છે. આરતીનું ગાન, તાલીનો તાલબદ્ધ ધ્વનિ, ઘંટારવ વગેરે, ભગવાનના દર્શનથી થતા આનંદ અને માંગલ્યમાં પૂરક છે.

       ઘણીવાર કપૂરથી આરતી કરવામાં આવે છે. એનું પણ આધ્યામિક મહત્વ છે. કપૂરને પ્રગટાવ્યા પછી તે અશેષ સળગી જાય છે. કપૂર આપણી મૂળભૂત વાસનાઓનું પ્રતિક છે. જ્યારે આરતીની જ્યોત જ્ઞાનાગ્નિનું પ્રતિક છે. જ્યારે જ્ઞાનાગ્નિથી અશેષ વાસના બળી જાય છે ત્યારે ભગવાનનો સાક્ષાત્કાર થઈ જાય છે. બીજી રીતે વિચારીયે તો ભગવાનના દર્શનથી બધીજ વાસનાઓ બળી જાય છે.

     આરતી થતી હોય ત્યારે નયનો અંતરમાં ડોકિયું કરતા હોય તેમ આપોઆપ બીડાઈ જાય છે. એનો અર્થ એ થાય છે કે આપણામાં ભગવાનનું મંદિર છે – ભગવાન આપણા હૃદયમંદિરમાં વસે છે. આરતી પૂરી થતા તેની આશકા લઈને આંખે અડાડી માથા ઉપર ફેરવીએ ચીએ. તેનો અર્થ એ થાય છે કે જે જ્યોતિ ભગવાનને પ્રકાશિત કરે છે તે મારી દૃષ્ટિને પણ દિવ્યતા અર્પો અને મારા વિચારોને ઉન્નત કરો.

    આરતીનો તાત્વિક અર્થને વિસ્તારપૂર્વક જોઈએ તો સૂર્ય, ચન્દ્ર, તારા વિદ્યુત અને અગ્નિ એ પ્રકાશના કુદરતી સ્તોત્ર છે. વિશ્વના આ બધા કુદરતી ઘટકોનાયે મૂળ સ્તોત્ર ભગવાન છે. આરતી કરી આપણે ચેતનાસ્વરૂપ ભગવાનનો આભાર માનીયે છીએ.

ન તત્ર સૂર્યો ભાતિ ન ચન્દ્ર તારકમ !
નેમા વિધ્યુતો ભાંતિ કુતોયમગ્નિ:!
તમેવ ભાન્તમ અનુભાતિ સર્વમ
તસ્ય ભાસા સર્વમિદં વિભાતિ !!

                                                                                  — સંકલિત

                                          ૐ નમઃ શિવાય

હાલરડા હું ગાઉ

આજે શ્રાવણ વદ આઠમ [જન્માષ્ટમી]

હાલરડા હું ગાઉ

 36[1]

 

 હાલરડા હું ગાઉ 

સ્વરઃ- ફાલ્ગુની પાઠક

હાલરડા હું ગાઉં મારા લાલને ઝૂલાઉં
ઝૂલો ઝૂલો પારણીયામાં લાલ છે

ગિરધર મારો ડાહ્યો એ પાટલે બેસી નાહ્યો
ઝૂલો ઝૂલો પારણીયામાં લાલ છે

ચાંદા ચાંદા ચોરી, ગિરધરથી રાધા ગોરી
ઝૂલો ઝૂલો પારણીયામાં લાલ છે

ગિરધર મારો રસીયો એ મધુર મધુર હસીયો
ઝૂલો ઝૂલો પારણીયામાં લાલ છે

અગર ચંદનની ચોટી, ગિરધરથી રાધા મોટી
ઝૂલો ઝૂલો પારણીયામાં લાલ છે

સાવ સોનાની ઝારી, ગિરધરને રાધા પ્યારી
ઝૂલો ઝૂલો પારણીયામાં લાલ છે

રાધાને હાથે ચૂડો, ગિરધરવર છે રૂડો
ઝૂલો ઝૂલો પારણીયામાં લાલ છે

વ્રજની ગોપી આવે, એના ઝભલા ટોપી લાવે
ઝૂલો ઝૂલો પારણીયામાં લાલ છે

ગિરધરને માખણ વ્હાલું, એ તો બોલે કાલુ કાલુ
ઝૂલો ઝૂલો પારણીયામાં લાલ છે

એના મુખમાં સાકર આપું, ગિરધરને ઉરથી ચાંપુ
ઝૂલો ઝૂલો પારણીયામાં લાલ છે

હું રમકડાં બહુ માંડુ, ગિરધરને આંજણ આંજુ
ઝૂલો ઝૂલો પારણીયામાં લાલ છે

ઘુઘરડો વગાડું, મારા ગિરધરને જગાડું
ઝૂલો ઝૂલો પારણીયામાં લાલ છે

કુમુદિનીના પ્યારા, લાડકડા મોહન પ્યારા
ઝૂલો ઝૂલો પારણીયામાં લાલ છે

ૐ નમઃ શિવાય

બે કાવ્યો

                            આજે શ્રાવણ વદ પાંચમ [નાગ પંચમી]

 

                                             બે કાવ્યો

 

[અમેરિક સ્થિત શ્રી રમેશભાઈ પટેલે [આકાશદીપ] પોતાની આ રચનાઓ મોકલ્યા બદલ મેઘધનુષ ખૂબ આભારી છે.]

ગંગા બને

અંતર દ્રવે  ને  ભાવે અશ્રુ ઝરે
હિમાલયે એજ જળ ગંગા બને
 
દો દરજ્જો આદર ભર્યો માતનો
છોડી સ્વર્ગ મંદાકિની ગંગા બને
 
ઊર્મિઓ માતની ખોળે શીશુ ઝીલે
હેત  ધારા મમતાની  ગંગા   બને
 
દો યશવંતી  શહિદી  માતભોમને
રક્ત ધારા સમર્પણની ગંગા બને
 
છે જો પુનિત દલડાં ન્યોછાવરાં
ચાહને પંથે  પ્રેમની ગંગા બને
 
ૐ ભાવે નમું ગંગોત્રી જન્મભૂમિને
શ્રધ્ધા  સુમને ‘દીપની  ગંગા બને
 
શ્રી રમેશભાઈ પટેલ [આકાશદીપ]

 

આ વગડાનો છોડ

ગૃહ મંદિરે ફૂલ છાબ ધરીને,
બેઠો પ્રભુને દ્વાર
વંદુ ચરણે પુષ્પ સમર્પી,
હરખે અંતર અપાર

પ્રસન્ન ચીત્તે ભાવ ભરીને,
થઈ ગર્વિલો ગાઉં
ધૂપ દીપથી મંગલ શક્તિને,
કેવો હું વધાવું   
 
જોડાયા તારને થયો ઝણઝણાટ ,
અંતરયામી બોલ્યો
ભક્ત મારા જા, પૂછ છોડને,
કેમકરી ખીલવ્યાં ફૂલો?
 
ખૂલ્લા દેહે  ઝીલ્યાં  છોડવે,
બહું  થંડી  બહું  તાપ
ત્રિવિધ તાપે તપિયાં ત્યારે,
આ ફૂલડાં આવ્યાં પાસ
 
બોલ હવે  મોટો તું   છે  કે 
આ  વગડાનો  છોડ?
ને હાથ  જોડી  હું શરમાયો,
સુણી   પ્રભુનો  તોડ
 
જય  જવાન જય કિસાનને
આજ વંદતો દાસ
મહેંકાવી  જીવનચર્યાથી 
જઈશ  પ્રભુની પાસ
 
દિધી  દાતાએ    શક્તિ   તનમને,
ઉપકારી  બડભાગી
ધરી નિઃસ્વાર્થ શ્રમ  સુગંધ ,
થાશું પ્રભુ ચરણે યશભાગી
 
શ્રી રમેશભાઈ પટેલ [આકાશદીપ]

 

                                                    ૐ નમઃ શિવાય

સ્ત્રીઓનો સનાતન પ્રશ્નઃ

                                      આજે શ્રાવણ વદ બીજ

 

[મુંબઈ સ્થિત હાસ્ય લેખિકા શ્રીમતી પલ્લવીબેન મિસ્ત્રીએ તેમનો આ લેખ મોકલાવ્યા બદલ મેઘધનુષ ખૂબ આભારી છે.]

 

                                   સ્ત્રીઓનો સનાતન પ્રશ્ન

 

– કહું છું, સાભળો છો?
– ફરમાવો
– આજે હુ શુ રાંધુ?
– આવા અઘરા પ્રશ્નો તારે મને પૂછવા નહી.
– તમને તો મારા સહેલા સહેલા પ્રશ્નોના જવાબો પન ક્યાં સૂઝે છે?
– તો પછી તારે મને પ્રશ્નો પૂછવા જ નહી.
– કેમ, પ્રોફેસર સાહેબ, તમારા વિદ્યાર્થીઓ ક્લાસમાં તમને પ્રશ્નો નથી પૂછતાં?
– પૂછે છે ને પણ એ બધા પ્રશ્નો બુદ્ધિગમ્ય હોય છે.
– એટલે હું તમને બુદ્ધિ વગરનાં સવાલો પૂછુ છું, એમ?
– એવું તો પણ તને કેમ કહેવાય?
– હું જાણુ છું, હું જાણુ છું, હું તમારા જેટલું ભણી નથી એટલે તમે મને ‘ટોણો’ મારછો. મારે નથી રહેવુ અહીં, હું પિયર જતી રહીશ.
– બે મિનિટ થોભ.
– અરે ! પણ તમે ક્યાં ચાલ્યા ?
– રીક્ષા બોલાવી લાવું, તારે પિયર જવું છે ને ?
– હવે તમે મને વધુ ચીઢવશો તો હું.. તો હું..
– રીલેક્સ માલુ, હું તો મજાક કરતો હતો. તને ખુશ કરવા તો હું તારા હરએક પ્રશ્નોના જવાબ આપવા તૈયાર છું.
– તો કહો આજે હું શું રાંધુ ?
– કાંઈ પણ રાંધ, તારા હાથનું તો ‘ઝેર’ પણ હસતાં હસતાં ખાઈશ.
– પણ મને ‘ઝેર’ બનાવતા નથી આવડતું.
– આ રસોઈ બનાવે છે તે કાંઈ [ઝેરથી] ઓછી છે ?
– એટલે ?
– એટલે એમ કે કાંઈ પણ રાંધી નાકહ.
– દાળ ઢોકળી બનાવું ?
– દાળ ઢોકળી ? એ તે કાંઈ ખાવાની ચીજ છે?
– ના સૂંઘવાની ચીજ છે. ખીચડી-કઢી બનાવું ?
– સાયરસા [સારા] દિવસે કોઈ ખીચડી ખાતું હશે ?
– તમે અપરમા [આડા] દિવસે પણ ક્યાં ખીચડી-કઢી ખાવ છો? મને નથી સમજાતું કે આટલા સરસ ખીચડી-કઢી તમને કેમ નથી ભાવતાં ?
– એ તને ક્યારેક રેગ્યુલર ક્લાસમાં સમજાવીશ, અત્યારે તો ટેસ્ટ ચાલી રહી છે. ચાલ આગળ પૂછ.
– દૂધી-ચણાની દાળનું શાક અને રોટલી બનાવું ?
– છી ! એ તો માંદા માણસો ખાય.
– તમે માંદા હો છો ત્યારે પણ નથી ખાતા. જવાદો, રગડા પેટીસ બનાવું ?
– મારા પેટમાં પેસી લાતમલાત કરે છે.
– સવારનું ટીંડોળાનું શાક પડ્યું છે રોટલી અને દાળ-ભાત કરી નાખું ?
– ઓહ ! ટીંડોળાનું શાક હતું ? હું સમજ્યો કે ‘પરવળ’ હશે.
– હે ભગવાન ! તમે પણ પેલા કવિ જેવા જ મહાન છો !
– કયો કવિ ?
– સાંભળો, એક કવિ બગીચામાં ટહેલતા હતા, એક વૃક્ષ પાસે અટકીને બોલ્યા,” હે આંબાના મનમોહક વક્ષ ! જો તને મારી જેમ વાચા [વાણી] હોત તું શું કહેત ?” આ ધન્ય અણે ત્યાંથી પસાર થઈ રહેલ વ્યક્તિએ કહ્યું,” તો એ વૃક્ષ કહેત, માફ કરજો મહાશય ! હું આંબાનું નહી આસોપાલવનું વૃક્ષ છું.”
– હે સખી ! મને એ મહાન કવિ સાથે સરખાવવા બદલ આભાર !
– હે સખા ! વદો  હવે ! આપ ભોજનમાં શું લેશો ?
– તેં ગણાવેલી એટલી જ આઈટમ તને રાંધતા આવડે છે?
– મને હજાર આઈટમ આવડે છે પણ તમને તો આ ભાવે ને તે ન ભાવે, આ પચે અને પેલી ન પચે, આતો માંદા માણસો ખાય અને તે ભિખારીઓ ખાય, આતો જોવી ગમે નહિ અને પેલી પેટમાં જઈ ઉછળે. હવે તો તમારા અપચાનો ઈલાજ કરાવો.
– અપચાનો ઈલાજ છે ને ! ઉપવાસ !
– બોલ્યા ઉપવાસ ! એક ટંક તો ભૂખ્યા રહેવાતુ નથી. સમય થાય છે  તે જમવા માટે બૂમાબૂમ કરી મૂકો છો.
– એ તો મને એવી ટેવ છે તારે ધ્યાન પર ન લેવું.
– અરે! હું તો પ્રોફેસર છું કે સામાવાળાની વાત ધ્યાન પર ન લઉં ?
– તુ પણ મારી સાથે રહીને સ્માર્ટ થતી જાય છે, માલુ.
– તો પણ સમજાતું નથી કે સાંજે શું બનાવું ? એના કરતાં ટિફીનવાળો બાંધી દીધો હોય તો સારૂં, જે આપી જાય તે જમી લેવાનું.
– મારા માટે હાલ પણ એવું જ છે ને ?
– જુઓ, હવે વધુ અવઢવશો તો હું .. તો હું..
– પિયર જતી રહેશે ?
– ના, રડી પડીશ.
– પ્લીઝ… માલુ રડીશ નહી.
– ઠીક છે, તો પછી જલ્દીથી કહો , સાંજે શું બનાવું ?
– ઓહ ! વળી પાછું એ ? લાગે છે સ્ત્રીઓને સતાવતો આ સનાતન પ્રશ્ન છે. પણ એનો કોઈ ઉકેલ નથી શું ?
– તમે હોશિયાર છો. તમે જ કહો.
– જવા દે આજે હું બહાર જમી લઈશ.
– પાંચ મિનિટ થોભશો ?
– કેમ પાચ મિનિટમાં જમવાનું તૈયાર થઈ જશે?
– ના, હું તૈયાર થઈ જઈશ. હું યે તમારી સાથે બહાર જમી લઈશ.
– ઓહ ! હવે સમજ્યો.
– શું સમજ્યા જનાબ ?
– એ જ – સ્ત્રીઓનો સનાતન પ્રશ્ન ! અને
એનો એક માત્ર જવાબ !

— સમાપ્ત —

                                                      ૐ નમઃ શિવાય

યોગીજી મહારાજની બોધ કથા

                                 આજે શ્રાવણ વદ એકમ

આજનો સુવિચારઃ- ચારિત્ર્ય દૄઢ હશે, આત્મ વિશ્વાસ હશે અને ભગ્વાનમા શ્રદ્ધા હશે તો કશુજ અઘરૂ નથી.

યોગીજી મહારાજની બોધ કથા

નારદજી દાસીપુત્ર હતા. તેમના માતાજી એક શેઠનેત્યા કામ કરતા. [આશ્રમમા ઋષિઓની સેવા કરતા]

નારદજી આઠ વરસના થયા ત્યારે તેમને સન્કાદિક ઋષિઓનો જોગ થયો. નારદજીના માતુશ્રીએ કહ્યુ ‘તુ આ ઋષિઓની સેવા કર.’

નારદજી ઋષિઓ માટે તુઅસીપત્ર, બીલીપત્ર લાવી દે. ચદન ઘસી દે. આમ ચાર મહિના સેવા કરી. સનકાદિક સાથે નારદ્ને પ્રેમ થઈ ગયો.

સનકાદિક ચાલ્યા એટલે નારદ પણ તેમની ભેળા ચાલ્યા.

ઋષિએ પૂછ્યુ’તુ શુ કામ અમારી સાથે આવે છે?’

નારદે કહ્યુ,’મારે તમારો જોગ કરી સન્યાસ લેવો છે; ઘરે નથી જવુ.’

ઋષિએ પૂછ્યુ,’ તારે ઘરે સગુ કોણ છે?’

નારદજીએ કહ્યુ,’બાપ નથી; મા છે.’

ઋષિએ કહ્યુ,’મા ધામમા ગયા પછી ઉત્તર દેશમા આવજો. અત્યારે પાછા જાઓ.’

નારદજીને સન્યાસ લેવાની તાલાવેલી હતી એટલે એમણે ઘરે જઈ, મારી મા મરો”મારી મા મરો’એવુ રટણ લગાડ્યુ.

છ મહિનામાં ડોશીમાને સર્પદશથયો ને ધામમા ગયા.

પછી નારદજી ઉત્તર દેશમા ગયા ભગવાનને ભજી ભગવાનનુ મન કહેવાણા. ભગવાનએ કોઈને
ધામમા તેડવા જવુ  હોય તો નારદજીને પૂછે. મુક્તાનદ સ્વામીએ કીર્તન કર્યુ છેઃ

‘મુનિ નારદની જાતને જોતા, દાસીપુત્ર જગ જાણે રે
હરિને ભજીને હરિનુ મન કહેવાણા,વેદ પુરાણ વખાણે રે
હરિ ભજતા સૌ મોટપ પામે,
જન્મ મરણ દુઃખ જાયે રે.’

                        — સકલિત

                                              ૐ નમઃ શિવાય

શ્રાવણી પૂનમ

           આજે શ્રાવણ સુદ પૂનમ [રક્ષાબધન,નાળિયેરી પૂનમ, ચન્દ્રગ્રહણ]

 

આજનો સુવિચારઃ– આપણે ભગવાનની સત્તાનો સ્વીકાર કરીને, એ શક્તિને ધારીને જો પ્રયત્ન કરીએ તો બધું જ કામ થાય છે. —- શ્રી પ્રમુખ સ્વામી

[યુ.એસ.એ. સ્થિત શ્રી. રમેશભાઈ પટેલે [આકાશદીપ] પોતાની આ રચના મોકલવા બદલ મેઘધનુષ ખૂબ આભારી છે.]

8306-001-35-1062[1]

શ્રાવણી પૂનમ

શ્રાવણી પૂનમે હસતા ઉપવન
સ્નેહ સુમનથી મહેંકે આંગણ
આંખ ધરે પ્રેમ મોતીના થાળા
કે આજ ખીલ્યા પૂનમના અજવાળા

ફૂલ હસે ને હસે બહેનડી
તારા હસે ને હસે ભાઈલો
સ્નેહે છલક્યા સરોવર સારા
કે આજ ખીલ્યા પૂનમના અજવાળા

ઝરમર વરસે મેઘ આભલે
બહેનનાં હૈયાં હરખે હેતે
મીલન મધુરાં મોંઘાં ભાળ્યાં
કે આજ ખીલ્યાં પૂનમનાં અજવાળા

રેશમનો દોરો સ્નેહનો ગોટો
ભાલે તીલક કરી હેતે બાંધ્યો
આરતી કરે સ્નેહ ફૂવારા
કે આજ ખીલ્યા પૂનમના અજવાળા

ખોલ રે મુખ, ઓ મારા ફૂલ
આશીષ પ્રસાદે ઓવારું સુખ
જુગજુગ જીવજો ભાઈલા મારા
કે આજ ખીલ્યા પૂનમના અજવાળા

મંગલ જોડી ભાઈ બહેનની
વીરો પૂરસે આશડી તારી
છલકાવું અમર પ્રેમના પ્યાલા
કે આજ ખીલ્યા પૂનમના અજવાળા

શ્રી. રમેશભાઈ પટેલ ‘આકાશદીપ’

                                                          ૐ નમઃ શિવાય

તરુ આપણું સહિયારું

                          આજે શ્રાવણ સુદ બારસ [પવિત્રા બારસ]

 

આજનો સુવિચારઃ– જે સત્યની સેવાને કરવાને જીવતો હોય છે તેના પર બાહ્ય સજોગોની અસર નથી થતી. — શ્રી માતાજી

[યુ.એસ.એ. સ્થિત શ્રી રમેશભાઈ પટેલે [આકાશદીપ] તેમની આ રચના મોકલાવ્યા બદલ મેઘધનુષ ખૂબ આભારી છે.]

oak-tree-autumn[1] 

તરુ આપણું સહિયારું

ડાળે બેસી પંખી ટહૂંક્યું
ધરતી તારી ગગન અમારું
પણ ભલું તરુ આપણું સહિયારું

ફરફર ફરકે પર્ણ સજીલાં
છેડંત અનીલ ગીત મજાંનાં
શોભે રતુંબલ લઈ હીંચોળાં
ભૂલશું કહેવાનું ભલા મારુંતારું
મહાદાતા તરુ આપણું સહિયારું

અમ વનપંખીનો આશરો મોટો
બાંધ હવેલી,તું મળે ના જોટો
ભરી હરખ, ગહે સંતાનો પલશું
લીલુંડું નવલું અનઘ રુપાળું
માવતર તરુ આપણું સહિયારું

ૠતુઋતુ ના કામણ ખીલતા
ખાટા મીઠા ફળો મ્હેંકતા
આવ નીરખ મંગલ રુંપાળું
અર્પે વિસામો કરુણાથી છલકતું
અન્નકૂટ તરુ આપણું સહિયારું

ગગન ગોખથી વહેતી ધારા
લીલાછમ હરખે ડુંગર ક્યારા
શોભંત વનમાળે રુપલું સુંવાળું
સવાયા સંતસા ધરે નઝરાણું
જગદાધાર તરુ આપણું સહિયારું

શ્રી રમેશભાઈ પટેલ(આકાશદીપ)

 

ૐ નમઃ શિવાય