આજે શ્રાવણ સુદ છઠ
આજે આપણે મેઘધનુષ નો નારંગી રંગ મ્હાલીયે.આજનો દિવસ ‘રાંધણ છઠ્ઠ ‘ તરીકે ઓળખાય છે.આ શિવપ્રિય શ્રાવણ મહિનાનો શિવપ્રિય શિવસ્વરૂપ પ્રથમ સોમવાર છે તો આપણે દેવાધિદેવ મહાદેવ નું ચિંતન કરીશું.‘ શિવલિંગ ’ના પ્રાગટ્ય વિષે થોડી વાતો કરશું.
‘ૐકારં બિંદુ સંયુક્તમ નિત્યં ધ્યાયંતિ યોગીનઃ
કામદં મોક્ષદંચૈવ ૐકારાય નમોનમઃ’
‘શિવ ’નો અર્થ ‘કલ્યાણ’ ‘શુભ’ થાય છે. અગ્નિની ત્રણ અવસ્થાઓ છે. અગ્નિ, વાયુ અને આદિત્ય છે. વાયુ પ્રાણદાયક, શાંતિદાયક અને સંયોજક હોવાથી તે ‘શિવ’ કહેવાય છે. તેથી જ ‘શિવ’ને કલ્યાણકારી, સુખકારી અને મોક્ષદાતા કહેવાય છે. ઈ.સ. પૂર્વે 600 પહેલાં ‘ શિવ’ અને ‘ રૂદ્ર ‘ ને એકરૂપ બનાવી વેદમંત્રોથી પૂજા કરાઈ. ત્યારબાદ પૌરાણિક કથાઓમાં ‘ શિવલિંગ ‘નાં પ્રાગટ્ય વિષે કથાઓ ઉમેરાતી ગઈ. Continue reading