26 તારીખની વિશ્વ તવારિખ

                                         

આજે માગશર સુદ ચોથ

 

આજનો સુવિચાર:- દુઃખ અને વેદનાનાં વિશાળ સમુદ્રમાં આ સંસારમાં પ્રેમની બહુ જરૂર છે.

હેલ્થ ટીપ:- શરદી થઈ હોય તો લીંબુની ફાડમાં મરી તથા સિંધવની ભૂકી ભભરાવી ગરમ કરવું. તેમાંથી રસ નીકળતા   લીંબુની ફાડ ચૂસવી.

 

                    26 તારીખની વિશ્વની તવારીખ

* 26 એપ્રિલ – 1986 : રશિયામાં ચર્નોબેલ દુર્ઘટના
* 26 જાન્યુઆરી – 2001 : કચ્છનો ધરતીકંપ
* 26 ફેબ્રુઆરી – 2002 : ગોધરા કાંડ
* 26 ડિસેમ્બર – 2003 : ઈરાનમાં ભૂકંપ જેમાં 31,000નાં મોત થયા હતા.
* 26 ડિસેમ્બર – 2004 : સુનામી
* 26 જૂન – 2006 : ગુજરાતમાં પૂર
* 26 જુલાઈ – 2008 : અમદાવાદમાં બોમ્બ બ્લાસ્ટ
* 26 નવેમ્બર – 2008 : મુમ્બઈ બ્લાસ્ટ

 

ભારતમાં 2008ના ભયંકર બૉમ્બ વિસ્ફોટ

* 13 મે જયપુર 7 વિસ્ફોટ
* 25 જુલાઈ બેંગ્લોર 7 વિસ્ફોટ
* 26 જુલાઈ અમદાવાદ 22 ધડાકા
* 13 સપ્ટેમ્બર દિલ્હી 5 ધડાકા
* 27 સપ્ટેમ્બર દિલ્હી વિસ્ફોટો
* 30 સપ્ટેમ્બર પ. ભારત ”
* 30 ઑક્ટોબર આસામ વિસ્ફોટ
* 26 નવેમ્બર મુમ્બઈ વિસ્ફોટ

 

મુમ્બઈની પ્રજાએ ઠેર ઠેર તા. 29 અને તા. 30મીએ મીણબત્તી પ્રગટાવીને સવાલો સાથે મૌન શ્રદ્ધાંજલિ આપી હતી.

 

”]- નીલા કડકિઆ]
શ્રદ્ધાંજલિ

શ્રદ્ધાંજલિ

 

મૂક શ્રદ્ધાંજલિ

મૂક શ્રદ્ધાંજલિ

 મરીન ડ્રાઈવ પર ઑબેરોયની સામે લોકોએ સળગતી મીણબત્તી મૂકીને આપેલી શ્રદ્ધાંજલિ.

પ્રજા દ્વારા લેખિત શ્રદ્ધાંજલિ

પ્રજા દ્વારા લેખિત શ્રદ્ધાંજલિ

ફોટોગ્રાફી:- નીલા કડકિઆ
પ્રભુ સૌ આત્માને શાંતિ અર્પે.
                                 ૐ  નમઃ  શિવાય

ઘૈડા ન હોય તો ગાડા પાછા વળે.

                        આજે માગશર સુદ બીજ
આજનો સુવિચાર:- હતાશા માણસની બુદ્ધિ અને સર્જનાત્મકતાને બુઠ્ઠી બનાવી દે છે.

હેલ્થ ટીપ:- સોજો કે મૂઢમાર વાગેલી જગ્યા પર હળદર અને મીઠું ભેગા કરી થોડાંમાં પાણીમાં ખદખદાવી લગાડવાથી રાહત રહેશે.

                              આપણી કહેવત

ગામડાનું ગાડું

ગામડાનું ગાડું

                  ઘૈડા ન હોય તો ગાડા પાછા વળે
     સામાન્ય રીતે એમ બોલાય છે કે ‘ઘૈડા ગાડા પાછા વાળે’ પણ સાચી કહેવત એમ છે કે ‘ઘૈડા ન હોય તો ગાડા પાછા વળે’.

      આ કહેવત પાછળની કથા એવી છે કે એક વરરાજાના બાપે નક્કી કર્યું કે આપણે જાનમાં કોઈ ઘરડા માણસને લઈ જવો નથી. આથી બધા ઘરડા સગાઓએ અંદરોઅંદર નક્કી કર્યું કે આપણે છાનામાના સંતાઈને જાનમાં જવું. હવે બન્યું એમ કે જાન નીકળ્યા પછી સામેથી કન્યાના બાપે અચાનક એક શરત મૂકી કે અમારા ગામનું તળાવ ઘીથી ભરી દો, પછી જ અમે કન્યા આપીશું. વરરાજાના બાપ તો મુંઝાઈ ગયા. શું કરવું તેની સૂઝ નહોતી પડતી. બધાની સલાહ લીધી પણ કોઈને સમજણ ન પડતી કે શું કરવું? આમતો જાનના ગાડા પાછા વાળવા પડે તેવી પરિસ્થિતિ પેદા થઈ.
     ત્યાં અચાનક પેલા સંતાઈને આવેલા અનુભવી ઘરડાઓ બહાર નીકળ્યા અને બોલ્યા અમારી પાસે એક ઉપાય છે. એટલે વરના બાપાએ આ ઘરડાઓને કન્યાપક્ષ સાથે વાત કરવા મોકલ્યા. એમણે જઈને એટલું જ કહ્યું કે તમે પહેલા તળાવ ખાલી કરી દો પછી અમે એને ઘીથી ભરી દઈએ. આ ચતુર જવાબ સાંભળીને કન્યાના બાપે જાન વધાવી લીધી.

ત્યારથી કહેવાય છે કે ‘જો ઘરડા [અનુભવી] ન હોય તો જાનના ગાડા પાછા વળત’.

                                   ૐ નમઃ શિવાય

વ્યંગ રચના

                                      આજે માગશર સુદ એકમ

 

આજનો સુવિચાર:- ઘણાં કામ મહત્વહીન હોઈ શકે, મહત્વપૂર્ણ એ છે કે આપ કંઈ કામ કરો.

હેલ્થ ટીપ:- લીલી હળદર અને આદુનું કચુંબર દરરોજ લેવાથી દૂધ પીવડાવતી માતાને વધારે ધાવણ આવે છે.

 

[અમેરિકા સ્થિત શ્રી રમેશભાઇ પટેલે મોકલાવેલી એમની આ રચના બદલ મેઘધનુષ ખૂબ આભારી છે.]

 

                            એક વ્યંગ કાવ્ય રચના

 

ભગ્ન હૃદયી ભારતવાસીને આતંકવાદી પાસેથી હાથ લાગેલી એક CD
દે સવાયા સાથ સાળા સમ નેતા, ના થાશો લાચાર
આ છે ભોળા ભારતની ,દૃષ્ટિહીન મોહક રે સરકાર
આતંકનો મોકો દીઠો છે સરતાજ, પધારી સૌને કરજો રે તારાજ

લઘુ બાંધવના માવતર નેતાઓની ,લાગી આજ કતાર
ધૃતરાષ્ટના અવતાર ગૃહ પ્રધાનો,આવી દેશે માથે હાથ
મતદાનની ભૂખી માછલીઓ ના પીછાણે,વૈશ્વિક આતંકવાદ
આતંકનો મોકો દિઠો છે સરતાજ, પધારી સૌને કરજો રે તારાજ

કાશ્મીર પછી દિલ્હી ને હવે, જુએ મુંબઈ સ્વાગતની વાટ
મંદિર ચોરે ચૌટે રક્ત ધારાની રંગોળી,દેશે શોભા અપાર
માનવતાના થઈ પૂંજારી,હરખશે ભારતવાસી થવા મહાન
આતંકનો મોકો દિઠો છે સરતાજ, પધારી સૌને કરજો રે તારાજ

કોઇ વિરલાનું લોહી ઉકળશે ને થાશે જો એ વિશ્વામિત્ર
ગૃહ પ્રધાન મીડીઆના સંગે વદે, જુઓ અમારા દુશ્મનનું છે ચિત્ર
રાષ્ટ્ર ભક્તો થાશે શહીદ ને ખૂણે રડશે તેની માત
તારી વહારે ધાશે વકીલો ને બહુ રૂપિયાઓની જમાત
આતંકનો મોકો દીઠો છે સરતાજ ,પધારી સૌને કરજો રે તારાજ

ધન્ય તમે તો તમને મળી મન મોહક સરકાર
આવું ટાણું નહીં મળે વારંવાર, પધારી કરશો રે તારાજ

શ્રી રમેશભાઈ પટેલ (આકાશદીપ)

550, Bucknell way
Corona,Ca 92881

                                           ૐ નમઃ શિવાય

મહાપ્રભુજીની બેઠકજી [2]

                              આજે કારતક વદ તેરસ

આજનો સુવિચાર:- સાચી મૈત્રી સુખનો ગુણાકાર અને દુઃખનો ભાગાકાર.

હેલ્થ ટીપ:- મોંમાંથી આવતી વાસ દૂર કરવા તુલસીનાં સાફ કરેલા ત્રણથી ચાર પાન ચાવી તેનો રસ ગળી જાઓ. દિવસના ચાર થી પાંચ વખત તુલસીનાં પાન ચાવી જાઓ. – લાભશંકર ઠાકર

શ્રીજીબાવા

શ્રીજીબાવા

 

                                મહાપ્રભુજીની બેઠકજી [2]

4] લક્ષ્મ્ણબાલાજીનાં બેઠકજી

     આંધ્રપ્રદેશના રાનીગુંટા જિલ્લામાં તિરુમલાઈ નામના ગામમાં શ્રી તિરુપતિ બાલાજી બિરાજમાન છે. તેલુગુ ભાષામાં થિરુ એટલે શ્રી લક્ષ્મીજી અને થિરુપતિ એટલે લક્ષ્મીપતિ અર્થાત શ્રી વિષ્ણુ ભગવાન. અહીંનાં મંદિર પાસે પુષ્કર નામનો કુંડ આવેલો હતો જે સ્થાન અત્યારના નામશેષ બની ગયું છે, અહીં શ્રી મહાપ્રભુજી પધાર્યા હતા. કુંડ પાસે આવેલા છોંકર નામના વૃક્ષ નીચે આપશ્રી બિરાજ્યા હતા. આપશ્રીએ અહીં એક સપ્તાહનું ભાગવત પારાયણ કર્યું. આજે પણ આ સ્થાને આપશ્રીનાં બેઠકજી બિરાજે છે.

5] શ્રી વિષ્ણુકાંચીનાં બેઠકજી

     દક્ષિણમાં કાંચીવરમ નામે શહેર છે જે બે વિભાગમાં વહેંચાયું છે.એક શિવકાંચીને નામે ઓળખાય છે જેમાં મહાદેવજીના મંદિરો વિશેષ છે. અને બીજુ વિષ્ણુકાંચી તરીકે ઓળખાય છે. અહીંના મુખ્ય દેવ વિષ્ણુ સ્વરૂપ શ્રી વરદરાજસ્વામી બિરાજમાન છે. કહેવાય છે કે ભારતની સાડાત્રણ વિષ્ણુ નગરીઓમાં મથુરા, અયોધ્યા, દ્વારિકા અને અડધી નગરી એટલે વિષ્ણુકાંચીનો સમાવેશ થાય છે. શિવકાંચીના અધિષ્ઠાતા દેવ શ્રી એકાંબરેશ્વરજીને આપ નમન કરીને આપશ્રી વિષ્ણુકાંચી પધાર્યા. શ્રી વરદરાજજીની આજ્ઞાથી આપે પોતાના હસ્તે ભગવાનને શૃંગાર કર્યો. અને પોતાનાં બેઠકજી પર પાછા ફર્યા. અહીં આપએ સાત દિવસનું પારાયણ કર્યું. આ સ્થાન પર આપશ્રીનાં બેઠકજી આજે પ્રગટ બિરાજે છે.

6] શ્રી રંગજીનાં બેઠકજી:.

        શ્રીમદ મહાપ્રભુજી વિષ્ણુકાંચીથી દક્ષિણના દ્વારિકા તરીકે પ્રસિદ્ધ શ્રીરંગ પધાર્યા. કાવેરી નદીની બાજુમાં આવેલા આ શહેરમાં શ્રીરંગજી ભગવાનનું વિશાળ મંદિર આવેલું છે. આપશ્રી છોંકરના વૃક્ષ નીચે બિરાજમાન થયા. શ્રીરંગજીની આજ્ઞાથી આપ મંદિરમાં પધાર્યા હતા. ત્યાના માયાવાદી પંડિતો સાથે શાસ્ત્રોક્ત ચર્ચાઓ કરી તેઓને નિરુત્તર કર્યા. આપશ્રીએ અહીં ભાગવત પારાયણ કર્યુ. આ સ્થાનનાં આપના બેઠકજી ગુપ્ત રીતે બિરાજે છે. મદુરાઈથી આપ શ્રી રામેશ્વર પધાર્યા.

7] શ્રી રામેશ્વરનાં બેઠકજી:-

       બંગાળના ઉપસાગરના કિનારે આવેલું શ્રી રામેશ્વર ચાર મુખ્ય ધામ પૈકી એક છે. શ્રી રામજીએ રાવણના આચાર્યપદે શ્રી રામેશ્વર મહાદેવજીના સ્વયંભૂ લિંગની પ્રતિષ્ઠા કરી હતી. શ્રી મહાપ્રભુજીએ આ સ્થાન પર આવેલા શ્રીરામકુંડ પર શ્રીમદ ભાગવતનું પારાયણ કર્યું હતુ પરંતુ ત્યાં બેઠકજી પ્રગટ બિરાજતા નથી. રામેશ્વરથી આપ રામનાડ ગામ પધાર્યા જ્યાં દર્ભશયન અને અનંતશયન પ્રભુના તીર્થધામો આવેલા છે.

8] શ્રી દર્ભશયનનાં બેઠકજી:-

     રામેશ્વરથી ત્રિચિનાપલ્લી જતાં રામનાડ નામે સ્ટેશન આવે છે. ત્યાંથી સાડાપાંચ માઈલ દૂર આદિસેતુ નામે તીર્થસ્થાન આવેલું છે ત્યાં શ્રી દર્ભશયનજીનું સ્થાન છે. આપશ્રીએ અહીં એક સપ્તાહનું ભાગવત પારાયન કર્યું હતુ. અહીં ના શ્રી બેઠકજી ગુપ્ત છે.

9] શ્રી તામ્રપર્ણી નદી પરનાં બેઠકજી:-

         ત્રિચિનાપલ્લી અને મદુરાઈ વચ્ચે તિનેવેલી નામનું ગામ આવેલું છે એ ગામ પાસે તામ્રવર્ણી નદી વહે છે. અહીં શ્રીમહાપ્રભુજી બિરાજ્યા હતા. આબેઠકજી ગુપ્ત બિરાજે છે.

10] શ્રી ત્રિલોકભાનજીનાં બેઠકજી:-

     શ્રી ત્રિલોકભાનજી તીર્થમાં વૃક્ષ નીચે શ્રી મહાપ્રભુજીએ મુકામ કર્યો. અહીંના માયાવાદી બ્રાહ્મણોને શાસ્ત્રચર્ચામાં નિરુત્તર કરી આપે ભક્તિમાર્ગનું સ્થાપન કર્યું. સૌને તુલસીની કંઠી આપી. આપે “ૐ નમો ભગવતે વાસુદેવાય”નો અષ્ટાક્ષરી મંત્ર આપ્યો. અહીં આપે સાત દિવસ ભાગવત પારાયણ કર્યુ.

[વધુ આવતે અંકે……]

                                                 જય શ્રી કૃષ્ણ

ગાંધીનગર સમાચાર

                        આજે કારતક વદ એકાદશી

ગાંધીનગર સમાચાર

ગાંધીનગર સમાચાર

 

          હું નીલા કડકીઆ હ્યુસ્ટન ટેક્સાસમાં રહેતા શ્રી વિજયભાઈ શાહની ખૂબ આભારી છું જેમણે મેઘધનુષ વિષે આટલું સુંદર લખાણ લખી ગાંધીનગર સમાચારમાં મોકલાવ્યુ.

સ્વાતિબેન ગઢીયાની પણ ખૂબ આભારી છું. ધબકાર સૂર સથવારને પણ આભારી છું. હાર્દિકભાઈને કેમ ભૂલાય?
એમનો પણ ખૂબ ખૂબ આભાર.

                                        

                                                    ૐ નમઃ શિવાય

આજના S.M.S.

                          આજે કારતક વદ નોમ

આજનો સુવિચાર:- ઊડવા માટે નીચે નમીએ છીએ ત્યારે વિવેકની વધારે નજીક હોઈએ છીએ.

હેલ્થ ટીપ:- વજન ઉતારવું છે? રોજિંદી રસોઈ તલનાં તેલમાં કરો. તલનું તેલ વાયુનાશક છે.

 

                                 આજના S.M.S.

સફળતા તો પડછાયા જેવી છે
તેને પકડવાની કોશિશ ના કરતા
તમારા ધ્યેય તરફ આગળ વધજો
આવશે એ તમારી પાછળ પાછળ
પણ એટલું યાદ રાખજો
‘પ્રકાશ’ તરફ કદમ વધારજો તો જ
નજરે ચઢશે ‘પડછાયો’.

 

ફુરસદ કોને છે રિસામણાં-મનામણાંની,
દ્રષ્ટિ બદલાઈ ગઈ છે પોતીકાં-પારકાંની,
મિત્ર, તું મારો સાથ છોડતો નહીં,
કદાચ આદત ન છૂટી જાય મિત્રો બનાવવાની.

 

તડપતા એમની યાદમાં,
એકલું ખૂબ રોતા હતા,
નહોતો કરવો પ્રેમ તો સામું
શું જોતા હતા?
સામે જોઈને જે પ્રેમથી હસતા હતા
એ જ આજે સામું જોઈ બાજુએ ખસતા હતા.

 

                                                       ૐ નમઃ શિવાય

શ્રી મહાપ્રભુજીની બેઠકજીનું માહાત્મ્ય

                       આજે કારતક વદ આઠમ

આજનો સુવિચાર:- દુઃખમાં સાથ આપે તે ઈશ્વર અને સુખમાં સાથ આપે તે જીવ. – શ્રી ડોંગરે મહારાજ

હેલ્થ ટીપ:- મરીનાં ચૂર્ણને ઘીમાં ભેળવી દિવસમાં બે વખત ચાટવાથી શીળસમાં રાહત રહે છે.
                  શ્રી મહાપ્રભુજીની બેઠકજીનું માહાત્મ્ય

શ્રી મહાપ્રુજી

શ્રી મહાપ્રભુજી

 

     પુષ્ટીમાર્ગના પ્રવર્તક અને સ્થાપક શ્રી મહાપ્રભુજીએ જીવોનાં ઉદ્ધાર માટે ત્રન વખત ચાલીને પૃથ્વીની પરિક્રમા કરી હતી. આ યાત્રા દરમિયાન જ્યાં જ્યાં તેઓએ ત્રણ દિવસથી વધારે દિવસનો મુકામ કરી શ્રી ભાગવતજીનું પારાયણ કર્યું તે સ્થલને શ્રી મહાપ્રભુજીની ‘બેઠકજી’ કહેવામાં આવે છે.

      આપણા ભારતમાં આવી 84 બેઠકો છે જેમાં ઘણી અપ્રકટ છે. જે વૈષ્ણવોએ બ્રહ્મસંબંધ લીધાં હોય તેજ બેઠકજીમાં ઝારીજી ભરી શકે. આવી શ્રી મહાપ્રભુજીની 84 બેઠકો છે. શ્રી ગુસાંઈજીની 16 બેઠકો છે.શ્રી ગોકુળનાથજીની 8 બેઠકો છેઅને શ્રી હરિરાયજીની 2 બેઠકો છે.

શ્રી મહાપ્રુજીની બેઠકજી

શ્રી મહાપ્રભુજીની બેઠકજી

 

                             [1] શ્રી ચંપારણ્યનાં પ્રાગટ્યનાં બેઠકજી:-

       દક્ષિણમાં ક્ષિપ્રા નદીને કિનારે કાકરવાડ ગામમાં તૈલંગ બ્રાહ્મણ કુળમાં શ્રી મહાપ્રભુજીનાં વંશજો રહેતા હતા. આપના પિતાશ્રીએ કાશીમાં મુકામ કર્યો હતો. કાશીમાં યવનોનો ત્રાસ વધી જવાથી આપના માતા પિતાએ પોતાના ગામે પાછા જવાનો નિર્ણય લીધો. રસ્તામાં ચંપારણ્યના વનમાં આપની માતાએ એક પુત્રનો જન્મ આપ્યો. મૃત પુત્ર સમજીને માતાપિતાએ કપડામાં વીંટાળીને આપને ઝાડની બખોલમાં મૂકી આગળ ચાલ્યા. ત્યાં પાછળથી અવાજ આવ્યો કે મને મૂકીને ક્યાં ચાલ્યા? હું તો અહીં છું. બન્ને જણાએ પાછલ વળીને જોયું તો એક મોટા અગ્નિકુંડાળામાં એક બાળક રમતો હતો. માતાએ દોડીને બાળકને ઉચકી છાતી સરસો ચાંપી દીધો.. આમ ચંપારણ્યધામ શ્રી મહાપ્રભુજીનું જન્મ સ્થળ છે. આ ચંપારણ્ય મધ્યપ્રદેશના રાયગઢ જિલ્લામાં આવેલું છે. અહીં શ્રી મહાપ્રભુજી સાત દિવસ બિરાજ્યા હતા.

                                    [2] વિદ્યાનગરની બેઠકજી:-

          આ સ્થળ 500 વર્ષ પહેલા વિજય નગર તરીકે ખૂબ પ્રસિદ્ધ હતું. આ ગામ શ્રી મહાપ્રભુજીનું મોસાળ છે. એ વખતે અહીં માયાવાદી બ્રાહ્મણોનો શાસ્ત્રાર્થ ચાલતો હતો. જેથી શ્રી મહાપ્રભુજીના મામાએ તેમને પોતાને ગામે લઈ જઈને માયાવાદીઓનું ખંડન કરવા કહ્યું. માયાવાદનું ખંડન થતા જ વિજયનગરના રાજા કૃષ્ણદેવે પ્રસન્ન થઈ શ્રી મહાપ્રભુજીનો કનકાભિષેક કર્યો.. અહીં સાત દિવસ બિરાજીને શ્રી મહાપ્રભુજીએ ભાગવત સપ્તાહ કરી હતી.

                     [3] શ્રી પમ્પા સરોવરનાં બેઠકજી:-

     આચાર્ય શ્રી મહાપ્રભુજી વિજય નગરથી આગળ વધીને 5 માઈલ દૂર આવેલા પમ્પાસરોવર પધાર્યા. આપ આપના શિષ્યો સાથે સરોવર પાસેના વડના વૃક્ષ નીચે બિરાજ્યા. આપશ્રીએ ત્રણ દિવસનું ભાગવત પારાયણ કર્યું. તે વખતે ઉત્તરપ્રદેશના સોરમજીથી પ્રભુની શોધમાં નીકળેલા કૃષ્ણદાસ મેઘન નામના એક ભક્ત આપને મળ્યા. કૃષ્ણદાસની વિનંતી સ્વીકારી આપે તેમને અષ્ટાક્ષર મંત્ર આપી સેવક કર્યા અને આપે તેમને અહર્નિશ સાથે રાખી સેવા કરવાનો લ્હાવો આપ્યો.
આ બેઠકજી અત્યારે ગુપ્ત છે પરંતુ ત્યાં જતા વૈષ્ણવો સરોવરને કિનારે આવેલા આ વૃક્ષની છાયામાં ભાવના કરી શ્રી મહાપ્રભુજીને ઝારી ચરણસ્પર્શ કરે છે.

                                                                     [વધુ આવતે અંકે….]

                  
                                               જય શ્રી કૃષ્ણ

ભૈરવજયંતી

                આજે કારતક વદ સાતમ [શ્રીમતી ઈંદિરા ગાંધીની જન્મ તારીખ]

                          [મહારાણા પ્રતાપની પુણ્ય તિથી, ભૈરવ જયંતી]

આજનો સુવિચાર:- ઈશ્વર જ્યારે સાથે હોય છે ત્યારે વિષયો ચઢી બેસતા નથી. – શ્રી ડોંગરે મહારાજ

હેલ્થ ટીપ:- શિયાળામાં પગમાં પડતા ચીરા નીવારવા રાત્રે સૂતા પહેલાં પગમાં ગ્લીસરીન અને ગુલાબજળનું મિશ્રણ લગાડવું.

                                         ભૈરવજયંતી

ૈરવજી

ભૈરવજી

 

            ભારતભરમાં ભાવિકો અનેક દેવ દેવેઓની ઉપાસના અને અનુષ્ઠાનો કરતાં હોય છે. જે તુરંત ઉત્તમ ફળ આપનાર માનવામાં આવે છે. ભગવાન ભૈરવની ઉપાસના ત્વરિત ઉત્તમ ફળ આપનારી મનાય છે. ભગવાન ભૈરવ શિવજીના પ્રધાન સેવક અને એમનો અંશાવતાર માનવામાં આવે છે. તે શિવગણ અને ભૂત-પ્રેતાદિના અધિપતિ છે. કારતક વદ સાતમ ભૈરવજયંતી તરીકે મનાય છે.

       પૌરાણિક કથા મુજબ દેવતાઓની સભામાં બ્રહ્માજી અને ક્રતુ વચ્ચે વાદવિવાદ યુદ્ધમાં પરિણ્યમો. પરિણામે દેવતાગણો ભોલેનાથ શિવજીની પ્રાર્થના કરવા લાગ્યા અને આ યુદ્ધ અટકાવવા વિનંતી કરવા લાગ્યા. શિવજીએ દેવતાગનની વિનંતી સ્વીકારીને આ યુદ્ધ રોકવા અગ્નિસ્તંભનું રૂપ ધારણ કર્યુ. પરંતુ બ્રહ્માએ હંસનું રૂપ ધારણ કર્યું અને ક્રતુએ સુવરનું રૂપ ધારણ કરી સ્તંભમાપન માટે આગળ વધ્યા. આથી પ્રભુએ પોતાનું ત્રીજું નેત્ર ખોલીને તેમના અંશાવતાર બાળસ્વરૂપ બટુક ભૈરવને ઉત્પન્ન કર્યા. ક્રતુ તો શિવજીને પગે પડી ગયા પરંતુ બ્રહ્માજીનું પાંચમું મુખ ક્રોધાયમાન થઈને શિવનિંદા કરવા લાગ્યું ત્યારે ભગવાન ભૈરવે દંડરૂપે બ્રહ્માજીનું પાંચમું મુખ અલગ કરી દીધુ. ભગવાન ભૈરવને બ્રહ્મહત્યાનું પાપ લાગતા તેના નિવારન માટે બ્રહ્માજીના કપાયેલા મુખને લઈને કાશી પહોંચ્યા. ત્યાં બ્રહ્માજીનું મુખ આપોઆપ ભૈરવજીનાં હાથમા6થી સરકી જતા તે સ્થળનું નામ કપાળમોચન પડ્યું. આમ એમનું બ્રહ્મહત્યાના પાપનું નિવારન આવ્યું. શિવજીએ ભૈરવજીને કાશીના કોતવાલ તરીકે નીમ્યા.

      ભૈરવજીનાં બાર સ્વરુપોમાંથી આઠ સ્વરૂપો રૌદ્ર, ભયંકર અને ક્રોદ્ધયુક્ત છે. તેમનાં ત્રણ અક્ષરીનામથી તેમના વર્ણ, આસન અને શસ્ત્રનો ઉલ્લેખ થાય છે. ઉપાસકો તેમના ત્રણ સ્વરૂપને પૂજે છે. બટુક અથવા બાળભૈરવ સ્વરૂપ, સ્વર્ણાકર્ષક ભૈરવ અને કાલભૈરવની ઉપાસના કરે છે અને મનોકામના પૂર્ણ કરે છે. આમ ભૈરવજી ઉપાસના ઉપાસકનું પરમ કલ્યાણ કરી જીવનપથ સુવાસિત કરે છે.

                                           ૐ નમઃ શિવાય

જાણ ખાતર

                        આજે કારતક સુદ દસમ

 

આજનો સુવિચાર:- આનંદ પોતાનામાં જ છે છતાં મનુષ્ય આનંદ બહાર શોધે છે. –શ્રી ડોંગરે મહારાજ

હેલ્થ ટીપ:- વજન ઉતારવું છે? સવારના જમતા પહેલા બે ગ્લાસ છાશ પીઓ અને સાંજના ભોજનમાં સૂપ અને વરાળમાં   બાફેલા શાકભાજી ખાઓ.

0511-0703-2014-24571

                                            જાણ ખાતર

 

•   પ્રાચીન વિશ્વનાં સ્થળનાં નામમાં સૌથી પ્રાચીન નામ ઉર છે જે હાલના ઈરાકમાં સુમેરુ સંસંસ્કૃતિનાં લોકોએ વર્તમાન પૂર્વે   5600માં આ સ્થલની સ્થાપના કરી હતી.

•   ગુજરાતમાં પાટનગરનું સૌથી પ્રાચીનૅ નામ કુશસ્થલી છે. વર્તમાન પૂર્વે 6000ના સમયગાળામાં વૈવસ્વત મનુના પ્રપુત્ર આનર્તે દરિયાકિનારે વસાવ્યું હતું. પાછલથી ભગવાન શ્રી કૃષ્ણે તેને વિકસાવી દ્વારિકા નામ આપ્યું જે વિશ્વનું સૌથી પ્રાચીન વિદ્યમાન નગર છે.

•   વિશ્વમાં ટુંકા નામની અને લાંબા નામની બોલબાલાછે. ફ્રાંસમાં ‘ઈ’ નામનું ગામ છે. પ્રશાંત મહાસાગરમાં કેરોલિન બેટ પર ‘ઉ’ નામનું ગામ આવેલું છે. જાપાનમાં ‘ઓ’ નામનું ગામ છે. સ્વિડન, નોર્વે અને ડેનમાર્કમાં ‘ઑ’ નામનાં ગામ છે.

•   ભારતના ઓરિસ્સામાં ‘ઈબ’ નામનું એક રેલ્વે સ્ટેશન છે.

•   સ્વિડનના મજૂર મહાજનના પ્રમુખનું નામ સૌથી લાંબુ છે. ‘સેગ વર્કસઈંડ સ્પિય બિટાર બિફોર બંડસોર્ડ ફોરાનડિબોસ્ટાડન’

•   યુ.એસ.એ.ના શેરમન સ્થિત એક ઝરણાનું નામ ‘નારોમિયોકનાવહુસુંકાટાંકશંક’ છે.

•   ભારતના આંધ્રપ્રદેશમાં આવેલા એક સ્ટેશનનું નામ ‘શ્રી વેંકટનરસિંહરાજુવારિપેટા’ છે.

•   લડાખમાં વિશ્વનો સૌથી ઊંચો વેલી બ્રિજ છે, જે ભારતીય સેનાએ બાંધ્યો છે.

•  મુંબઈ ભારતનું પ્રવેશદ્વાર કહેવાય છે
    કોરિયા પ્રભાતની શાંતિવાળો દેશ કહેવાય છે.
    થાઈલૅંડ સફેદ હાથીઓવાળો દેશ કહેવાય છે.
    સ્કોટલેંડ કેકનો દેશ કહેવાય છે.
    આફ્રિકા અંધ મહાદ્વીપ કહેવાય છે.
    મ્યાનમાર [બર્મા] પેગોડાનો દેશ કહેવાય છે.
    જયપુર ગુલાબી શહેર તરીકે જાણીતું છે.
    કોચીન અરબ સાગરની રાણી તરીકે પ્રખ્યાત છે.
    બેલગ્રેડ સફેદ શહેર તરીકે પ્રખ્યાત છે.

 

                                                ૐ નમઃ શિવાય

એવું જ માગું મોત [શ્રી આદિલ મનસુરીજી]

                આજે કારતક સુદ નવમી [રંગનાથ જયંતી]  
      

આજનો સુવિચાર:- એ જ હાથોમાં છે મારી જિંદગી
                       સાચવી જે ના શક્યા મેંદીનો રંગ. –શ્રી આદિલ મંસુરી

હેલ્થ ટીપ:- વજન વધારવું છે? તો રાતના સૂતી વખતે હુંફાળા દૂધમાં એક ચમચી મધ ભેળવીને પીઓ.

આદરણીય શ્રી આદિલ મનસુરીજી

આદરણીય શ્રી આદિલ મનસુરીજી

     શ્રી આદિલ મનસુરીજી હવે આપણી વચ્ચે રહ્યા નથી, ગુજરાતી સાહિત્ય જગતને ન પૂરાય તેવી ખોટ પડી છે. આપની ગણના ઉત્તમ ગુજરાતી ગઝલકારોમાં થાય છે. આપની રચનાઓએ ગુજરાતી ગઝલને ઉંચાઈ અર્પી છે. આપે જૂની પરંપરા તોડી ગુજરાતી સાહિત્યને નવી કેડી કંડારી આપી છે. આપે ગુજરાતી સાહિત્યને અનેક સુંદર અને પ્રસિદ્ધ ગઝલો અર્પી છે. આપને ‘વલી ગુજરાતી એવોર્ડ’થી સન્માનવામાં આવ્યા હતા. 1985માં કોમી રમખાણને કારણે આપે માદરે વતન છોડ્યું. અમેરિકાના ન્યુ જર્સી ખાતે 72 વર્ષની વયે હૃદયના હુમલાથી આપનું અવસાન થયું. આપના અવસાનના સમાચારથી ગુજરાતી સાહિત્યજગત ભારે શોકમાં ડૂબી ગયું છે.

     શોકમાં ડૂબેલા આપના પરિવારને આ દુઃખદ ઘટના સહન કરવા શક્તિ અર્પે.

 

એવું જ માગું મોત

એવું માગું મોત
હરિ, હું તો એવું માગું !
આ થયું હોત ને તે થયું હોત ને

જો પેલું થયું હોત….
અંત સમે એવાં ઓતરડાની
હોય ન ગોતાગોત !—હરિ

કાયાને કણી કણીથી પ્રગટે
એક જ શાંત સરોદ;
જોજે રખે પડે પાતળું કદીએ
આતમ કેરું પોત ! – હરિ

અંતિમ શ્વાસ લગી આતમની
અવિરત ચલવું ગોત :
ઓતપ્રોત હોઉં આપ મહીં
જ્યારે ઊડે પ્રાણ કપોત ! – હરિ

ધનધન વીંધતાં,
ગિરિગણ ચઢતાં,
તરતાં સરિતા-સ્તોત્ર,
સન્મુખ સાથી જનમજનમનો
અંતર ઝળહળ જ્યોત ! – હરિ

    શ્રી કરસનદાસ માણેક

                                                ૐ નમઃ શિવાય