થોડું અજમાવી જુઓ

થોડું અજમાવી જુઓ

 

*      મૂળાનું શાક બનાવતાં પહેલાં મસાલો ન નાખવો. શાકને પહેલાં વઘારીને થોડીવાર ચઢવા દઈ મસાલો નાખવાથી શાકનો સ્વાદ અને રંગ સરસ   લાગશે.

*     ચણાની દાળ બનાવતી વખતે તેમાં દૂધીની છાલ ઉમેરવાથી તેની સુગંધ તેમજ સ્વાદ વધી જશે.

*     મગની દાળનાં વડા બનાવતી વખતે તેમાં થોડોક ઘઉંનો લોટ અથવા ચણાનો લોટ ઉમેરવાથી વડા ફૂલી પોચા થશે.

*     લીંબુ, મોસંબી કે પાકી કેરી જેવાં ફળોનો રસ કાઢતાં પહેલાં પાણીમાં પલાડી રાખવાથી તેમાંથી રસ વધારે નીકળશે.

*     બટાટાના પાપડ બનાવતી વખતે તેમાં ચપટી ખાવાના સોડા ભેળવવાથી પાપડ પોચા અને ક્રીસ્પી બનશે.

*     પાપડની બન્ને બાજુ પર ઘી કે તેલ ચોપડી શેકવાથી પાપડનો સ્વાદ તળેલા પાપડ જેવો લાગશે.

*     દૂધ ઉકાળતી વખતે તપેલીની કિનારી પર માખણ લગાડવાથી દૂધ ઉભરાશે નહીં.

*      વાસી માખણમાંની આવતી વાસને દૂર કરવા તેને ખાવાના સોડાવાળા પાણીમાં થોડીવાર સુધી રાખી મુકો.

*      ઘી તેલ મસાલાયુક્ત ભોજન બાદ એલચીનું સેવન ફાયદાકારક નીવડે છે.

*     બ્રેડ કાપવાની છરીને સહેજ ભીની કરવાથી બ્રેડ સરળતાથી કપાય છે.

*     ભાતની સોડમ વધારવા ભાત બની ગયા બાદ તેમાં એક ચમચો શુદ્ધ ઘી ભેળવવું.

*     દાળમાં વધુ મીઠું પડી ગયું હોય તો તેમાં બે બટાટા મૂકવાથી વધારાનું મીઠું ચૂસાઈ જશે.

 

 

ૐ નમઃ શિવાય

મુંબઈ નજીકનાં ગ્રેટ આઉટડૉર્સ

મુંબઈ નજીક્નાં ગ્રેટ આઉટડૉર્સ

peth fort

 

પેઠ ફૉર્ટ

 

કર્જત નજીક આવેલો પેઠ ફૉર્ટ કોઠાલી ગઢ તરીકે પણ ઓળખાય છે. આ ફોર્ટનો આકાર નાનકડી સબમરીન જેવો છે. ટ્રેકિંગમાં નવોદિત માટે આ એક આદર્શ સ્થળ છે. સંભાજી રાજાના સમયે આ કિલ્લાનો ઉપયોગ સંરક્ષણ મથક તરીકે થતો હતો. આ ગઢ ભીમાશંકર, પદરગઢ તેમજ સિદ્ધગઢ જેવા કિલ્લાઓથી ઘેરાયેલો છે.
કિલ્લાની તળેટી રમણીય પેઠ ગામ આવેલું છે. ફોર્ટ પર પહોંચતા ભૈરોબાની ગુફા આવે છે. તેમાં ભૈરવનાથની મૂર્તિ હોવાને કારણે તેનું નામ ભૈરોબાની ગુફા એવું નામ પડ્યું છે. કર્જતના ઈશાને ૨૧ કિ.મી.ની દૂરે આવેલા આ સ્થળે પહોંચવા કર્જત સ્ટેશનથી બસ અથવા છકડો રિક્ષા મળે છે. પેઠ ફોર્ટ પહોંચતા દોઢ કલાક લાગે છે.

naneghat

 

naneghat 1

 

 

naneghat 2

 

નાનેઘાટ ટ્રેક

કલ્યાણ નજીક કોંકણપટ્ટી નજીક આવેલા પહાડી પ્રદેશમાં આવેલો આ એક નાનકડો ઘાટ છે. લગભગ ૩૫૦ વર્ષ પહેલાં આ પ્રદેશમાં રાજ કરનારા સાતવાહન વંશ દ્વારા આ ઘાટ બાંધવામાં આવ્યો હતો. આ ઘાટ અનેક રીતે ઐતિહાસિક મહત્વ ધરાવે છે. અહીં શિલાલેખો તેમજ પર્વતમાં કોતરેલાં ઘરો પણ છે. અહીંની ગુફાઓ રમણીય છે. અહીંની દિવાલ પરથી સહ્યાદ્રિ પર્વતમાળાનું અદભૂત દૃશ્ય નિરખી શકાય છે. આ પહાડનો ત્રણ કલાકનો ટ્રેક ખૂબજ આનંદદાયક છે.
કલ્યાણ સ્ટેશનથી માલસેજ ઘાટ જતી બસ પકડી ટોકવડે ગામના સ્ટોપ પર ઉતરી જવું. અહીંથી ત્રણ ચાર કલાક ટ્રેકિંગ કરી ટોચ પર પહોંચી શકાય છે. માલસેજથી મુરબાડ જતા રોડ પર આવેલા વૈશાખેરે ગામથી પણ ટ્રેક ચાલુ કરી શકાય છે.

 

rajmachi-fort-picture-03

 

રાજમાચી ફૉર્ટ

 

લોનાવલા નજીકનો આ ફોર્ટ નવોદિતોનો પ્રિય છે. અહીંનું કુદરતી સૌંદર્ય નયનરમ્ય છે. અહીં હાઈકિંગ કરતી વખતે અલ્લડ ઉલ્હાસ નદીનું નયનરમ્ય સૌંદર્ય આંખોને ઠારે છે. અહીં નજીકમાં શ્રીવર્ધન અને મનરંજન ફોર્ટ જોવાલાયક છે.
કર્જત સ્ટેશન ઊતરી કોંદીવડી ગામથી રાજમાચી જઈ શકાય છે. લોનાવલાથી મોટર માર્ગે બે કલાકમાં અહીં પહોંચી શકાય છે. રાજમાચી ફૉર્ટ લોનાવલાથી ૧૮ કિ.મી. દૂર છે.

 

bhandaradara fort

 

ભંડારદરા

 

નાસિક નજીક આવેલો ભંડાદરાનું સૌંદર્ય બેનમુન છે. મહારાષ્ટ્રનું આ અવ્વલ નંબરનું હિલ સ્ટેશન છે. જળધોધ સાથે વાદળોનું પણ સાનિધ્ય મ્હાલી શકાય છે. મહારાષ્ટ્રના સૌથી ઊંચા શિખર કળસુબાઈને નિહાળી શકો છો. રંધા ફોલ્સ અને પ્રખ્યાત વિલ્સન ડેમ પણ અહીં જ છે.
તો ક્યારે પધારો છો નિહાળવા??????????
ઈગતપૂરીથી લગભગ ૩૫ કિ.મી.ને અંતરે આવેલ ભંડાદરા પહોંચવા બસ તથા અન્ય વાહનો મળી રહે છે. મુંબઈથી અંદાજે ચાર કલાકમાં ડ્રાઈવ કરી પહોંચી શકાય છે.

                                                                                               – સૌજન્ય — જન્મભૂમિ
                                                                                                                              — સંકલિત

 

ૐ નમઃ શિવાય

મલાડના વૈષ્ણોદેવી

આજે દશેરા – આસો સુદ દસમ

આપ સૌને દશેરાની શુભેચ્છાઓ.

vaishnodevi at malad

કટરામાં બિરાજતા વૈષ્ણોદેવીથી તો આપ સહુ પરિચિત છો પરંતુ આપ જાણો છો કે મુંબઈના મલાડ નામના ઉપનગરમાં પણ કટરાના વૈષ્ણોદેવી બિરાજમાન છે. મલાડ [પૂર્વ]માં દફ્તરી રોડ આવેલું વૈષ્ણોદેવી મંદિર કટરાના વૈષ્ણોદેવી મંદિરની પ્રતિકૃતિ છે.

આજથી ૧૩ વર્ષ પહેલા ૭મી ફેબ્રુઆરી, ૨૦૦૦ના રોજ આ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી.

જમ્મુ શહેરથી ૪૫ કિ.મી. દૂર અને સમુદ્ર સપાટીથી ૨૫૦૦ ફૂટની ઊંચાઈએ આવેલા કટરા નામના ગામથી વૈષ્ણોદેવીની યાત્રાનો પ્રારંભ થાય છે. સમુદ્ર સપાટીથી ૬૨૩૦ ફૂટની ઊંચાઈએ આવેલા ત્રિકૂટ પર્વતસ્થિત ખીણ પ્રદેશની ગુફામાં મહાકાલી, મહાલક્ષ્મી તેમ જ મહાસરસ્વતી માતા ભવ્ય પિંડી રૂપમાં બિરાજમાન છે. આ યાત્રા કરતાં ઘણી કઠિનાઈઓનો સામનો કરવો પડે છે. વયોવૃદ્ધ, અપંગ તેમ જ આર્થિક રીતે નબળા ભાવિકો આ યાત્રા કરી નથી શકતા.

આ વાતનો વિચાર પાંચ મિતોએ મળીને કર્યો અને માતાજીના આશીર્વાદથી માતા વૈષ્ણોદેવીના મંદિર મુંબઈના  મલાડ નામના ઉપનગરમાં બનાવવાનો વિચાર કર્યો. ત્રિકૂટ પર્વતની જેમ જ ડુંગરમા પીંડી સ્વરૂપે સ્થાપના કરવાની યોજના કરી.

મંદિરની સ્થાપના કરવા દરેક મિત્રે આર્થિક રીતે મદદ કરી. એક મિત્રે પોતાની જ્ગ્યાનું દાન કર્યું, જ્યારે બીજા મિત્રે પાયો નાખી વૈદિક મંત્રોચ્ચારોણ દ્વારા વિધી પૂર્ણ કરી. ત્રીજા મિત્રના અથાગ પ્રયત્નથી ધાગેન્દ્ર ગામના પથ્થરો વડે લોખંડ કે કોઈપણ સ્લેબ અથવા બીમ વગર નવ મહિનાના સમયગાળામાં મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું. વૈષ્ણોદેવીના મંદિરથી આણેલી અખંડ જ્યોતિ આ મંદિરમાં લાવવામાં આવેલી છે.

મંદિરમાં પ્રવેશતાં શીતળતાનો અનુભવ થાય છે. માતાજીનાં દર્શન, જ્યોતિનાં દર્શન તેમ જ ત્રણ પિંડીનાં દર્શનથી મન પ્રફુલ્લિત થઈ જાય છે.

મંદિરમાં ભોળાનાથના પરિવાર, નાકોડાજી તેમજ ભૈરવનાથજી અને હનુમાનજીનાં મંદિર છે. ગુરુનો દરબાર અને નવદુર્ગાનાં પણ મંદિરોનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે. ચૈત્રી નવરાત્રી તેમજ આસો માસની નવરાત્રીમાં લાખો શ્રદ્ધાળુ લોકો દર્શન કરી માનતા માને છે.

— સંકલિત

                                                                            ૐ નમઃ શિવાય

માતાજીનું સ્તવન

imagesCAA2BGPL
એક જ્યોત જલે છે અંતરમાં તારી શ્રદ્ધાની મા અંબે
તુ રક્ષક છે માડી મારી વાત્સલ્યમયી મા જગદંબે
                                     –એક જ્યોત જલે…..
હું બાળક  છું તુ માતા છે હું યાચક છું તુ દાતા છે
મુજ યોગક્ષેત્ર કરનારી સદા [૨] વાત્સલ્યમયી મા જગદંબે
                                          –એક જ્યોત જલે……..
તુ જગજનની તુ મહાલક્ષ્મી તુ કુંડલિની તુ સુખકંદા
તુ દુઃખહરણી તુ સુખકરણી [૨] વાત્સલ્યમયી મા જગદંબે
                                              –એક જ્યોત જલે…….
તુ નિર્ભય ને નિશ્રિત સદા તુજ ચરણોમાં છું મા અંબે
તુ જે કરશે તે મુજ હીતનું [૨] વાત્સલ્યમયી મા જગદંબે
                                                    –એક જ્યોત જલે….
તે માટે તુ શક્તિ દેજે હૃદયે માની ભક્તિ દેજે
અંતે મુક્તિ પણ તુ દેજે [૨] વાત્સલ્યમયી મા જગદંબે
                                         –એક જ્યોત જલે……..
તારે દ્વારે આવી ઊભો આ બાળક તુજને પોકારે
મા દર્શન દે [૫] વાત્સલ્યમયી મા જગદંબે
                             — એક જ્યોત જલે…..
લેખિકાઃ- કલ્પના પરીખ
ૐ નમઃ શિવાય