થોડું અજમાવી જુઓ
* મૂળાનું શાક બનાવતાં પહેલાં મસાલો ન નાખવો. શાકને પહેલાં વઘારીને થોડીવાર ચઢવા દઈ મસાલો નાખવાથી શાકનો સ્વાદ અને રંગ સરસ લાગશે.
* ચણાની દાળ બનાવતી વખતે તેમાં દૂધીની છાલ ઉમેરવાથી તેની સુગંધ તેમજ સ્વાદ વધી જશે.
* મગની દાળનાં વડા બનાવતી વખતે તેમાં થોડોક ઘઉંનો લોટ અથવા ચણાનો લોટ ઉમેરવાથી વડા ફૂલી પોચા થશે.
* લીંબુ, મોસંબી કે પાકી કેરી જેવાં ફળોનો રસ કાઢતાં પહેલાં પાણીમાં પલાડી રાખવાથી તેમાંથી રસ વધારે નીકળશે.
* બટાટાના પાપડ બનાવતી વખતે તેમાં ચપટી ખાવાના સોડા ભેળવવાથી પાપડ પોચા અને ક્રીસ્પી બનશે.
* પાપડની બન્ને બાજુ પર ઘી કે તેલ ચોપડી શેકવાથી પાપડનો સ્વાદ તળેલા પાપડ જેવો લાગશે.
* દૂધ ઉકાળતી વખતે તપેલીની કિનારી પર માખણ લગાડવાથી દૂધ ઉભરાશે નહીં.
* વાસી માખણમાંની આવતી વાસને દૂર કરવા તેને ખાવાના સોડાવાળા પાણીમાં થોડીવાર સુધી રાખી મુકો.
* ઘી તેલ મસાલાયુક્ત ભોજન બાદ એલચીનું સેવન ફાયદાકારક નીવડે છે.
* બ્રેડ કાપવાની છરીને સહેજ ભીની કરવાથી બ્રેડ સરળતાથી કપાય છે.
* ભાતની સોડમ વધારવા ભાત બની ગયા બાદ તેમાં એક ચમચો શુદ્ધ ઘી ભેળવવું.
* દાળમાં વધુ મીઠું પડી ગયું હોય તો તેમાં બે બટાટા મૂકવાથી વધારાનું મીઠું ચૂસાઈ જશે.
ૐ નમઃ શિવાય