ચિત્તોડગઢ

[આ લેખ મોકલનારનો મેઘધનુષ આભારી છે. મોકલનાર પોતાનું નામ મોકલાવી શકે છે.]

 

chitod

 

                                           ચિત્તોડગઢ

સમુદ્ર સપાટીથી ઊંચાઇ ઉપર સમતલ પર્વત પર બનેલા આઠ ચોરસ માઇલના ઘેરાવાળા વિશાળ કિલ્લામાં છે. આ કિલ્લો મૌયવંશી રાજા ચિત્રાંગદ દ્વારા નિર્મિત હોવાથી આને ચિત્રકુટ કિલ્લો પણ કહેવાય છે. ચિત્તોડનો આ કિલ્લો ભારતભરમાં વિખ્યાત છે. કહેવાય છે કે ` ગઢ તો ચિત્તોડગઢ , બાકી સબ ગઢૈયા ‘ આટલો વિશાળ અને ભવ્ય કિલ્લો બીજે ક્યાંય નથી.

મહારાણા પ્રતાપનો આ કિલ્લા સાથે સંબંધ હતો. વિ.સં. 1587 માં શ્રી શેત્રુંજયનો જિર્ણોદ્ધાર કરાવનાર મંત્રી શ્રી કર્મચંદ્ર બચ્છાવત અહીંના નિવાસી હતા. મહારાણા પ્રતાપ જ્યારે અકબરની સેના સામે હારી ગયા અને તેઓ દેશ છોડી જવા લાગ્યા ત્યારે દાનવીર ભામાશાહે પોતાનું સર્વધન એમને અર્પણ કર્યું. એમની સહાયતાથી મહારાણા પ્રતાપએ ફરીથી સેના એકત્ર કરી અકબરના સામનો કર્યો.

વિ.સં. 800 માં ગોહિલવંશી રાજા બાપ્પા રાવળે મૌર્યવંશી રાજા માનને હરાવી આ કિલ્લો જીત્યો હતો. બારમી સદીમાં સિદ્ધરાજ જયસિંહે રાજ કરેલ છે. સંવતની પહેલી શતાબ્દીમાં આચાર્ય શ્રી સિદ્ધસેન દિવાકર અહીં વિદ્યા સાધન માટે આવ્યા હતા. મહારાણા મોકલના મંત્રી ભદનપાલ એ

અહીંયા ઘણા જિનમંદિર બનાવ્યા છે. અહીંયા ઋષભદેવ ભગવાનનું બાવન જિનાલય , શ્રી પાર્શ્વનાથ ભગવાનનું મંદિર , શ્રી શાંતિનાથ ભગવાન તથા શ્રી મહાવીર ભગવાનના પ્રમુખ મંદિર છે. આમાંથી મુખ્ય અને સૌથી મોટું શ્રી ઋષભદેવ ભગવાનનું દેરાસર છે. બાવન દેવકુલિકાઓથી વીંટળાયેલા આ મંદિરનું સ્થળ ` સત્તાવીસ દેવરી ‘ ના નામે ઓળખાય છે. ચૌદમી સદીમાં નિર્માણ થયેલા સાત માળના જૈન કીર્તિસ્તંભમાં શ્રી આદિનાથ ભગવાન અને અનેક જિનપ્રતિમાઓ ઉત્કીર્ણ છે અહીં જૈન કીર્તિસ્તંભ ઉપરાંત રાજા જયસિંહનો મહેલ (ખંડેર) , રાણી પદ્મીનીનો મહેલ , વિજય કીર્તિસ્તંભ વગેરે દર્શનીય છે. આમ , ચિત્તોડ એક મહાન ભૂમિ ગણાય છે. જ્યાં અનેક શૂરવીર રાજાઓ અને જૈન મંત્રીઓએ સમયે સમયે અનેક મહાન કાર્યો કરેલ છે. આ સ્થાન ધાર્મિક અને ઐતિહાસિક રીતે ખૂબ જ ભવ્ય સુંદર છે , જૂના પ્રાચીન તીર્થયાત્રાનાં ગ્રંથોમાં ચિત્તોડ (ચિત્રકૂટ)નો ઉલ્લેખ છે. અહીં રહેવાની , ભોજનશાળા , આયંબિલની સુવિધા ઉપલબ્ધ છે.

 

 ૐ નમઃ શિવાય

માણેકજી શેઠ અગિયારી [મુંબઈનાં હેરીટેજ-૧]

                                                      મુંબઈનાં હેરીટેજ – ૧

250px-Maneckji_Seth_Agiary,_Mumbai

                                                                                    માણેકજી અગિયારી

India Parsi New Year

                            પારસીબાનુ માણેકજી શેઠ અગિયારી નજીક

માણેકજી અગિયારી -પારસી પ્રજાના ભૂતકાળની સાક્ષી

એકલા ભારતમાં નહીં પણ સમગ્ર વિશ્વમાંથી પારસી પ્રજા પાંખી થતી જાય છે. ઈ.સ. ૧૮૧૩માં એકલા ફોર્ટ વિસ્તારમાં ૧૦,૮૦૧ની વસ્તિમાં ૫,૩૬૪ જેટલા પારસી હતા. મુંબઈનું પ્રથમ ચર્ચ, પ્રથમ દેરાસર અને પ્રથમ અગિયારી પણ ફોર્ટ વિસ્તારમાં જ બન્યા હતા.

મુંબઈની સૌથી બીજા નંબરની જૂની હયાત પારસી અગિયારી એટલે પેરિન નરિમાન સ્ટ્રીટ પરની માણેકજી નવરોજી શેઠ શેનાઈ અગિયારી. આ અગિયારી ૧૭૩૦માં બનાવવામાં આવી હતી. એ સમય પારસીઓનો વિકાસ કાળ હતો. ૧૯૬૩માં પ્રકાશિત થયેલા ‘હાઈલાઈટ્સ ઑફ પારસી હિસ્ટ્રી’માં પી.પી.બલસારાએ નોંધ્યું છે કે મુંબઈમાં પારસીઓ ૧૫૩૮થી વસેલા હતા. ૧૬૬૫માં પારસી સદગૃહસ્થ ખુરશેદજી પોચાજી પાંડેએ પૉર્ટુગીઝોને ‘બોમ બાહિયા’ના અર્થાત સારું બંદરના રક્ષણ માટે કિલ્લો ચણવા જરૂરી સામાન અને માણસો પૂરા પાડ્યા હતા. જોકે આ કિલ્લો પાછળથી કૅસલ એન્ડ ધ ફૉર્ટ ડિસ્ટ્રિક્ટ ઑફ બૉમ્બે તરીકે પ્રખ્યાત થયો.

૧૭૦૯માં બનાજી લીમજીએ ફૉર્ટે વિસ્તાર્માં અગિયારી બંધાવી હતી જે હજી પણ અડિખમ ઊભી છે. ત્યારબાદ ૧૭૩૩માં માણેકજી નવરોજી શેઠે અગિયારી બંધાવી હતી. માણેકજી નવરોજી સુરતથી મંબઈ આવ્યા બાદ જમીનનો એક મોટો ટુકડો ખરીદ્યો. જેની ઉપર તેમણે પ્રથમ અગિયારી બાંધવાનું કાર્ય કર્યું અને વધેલા ટુકડા પર પારસી કૉલોની બંધાવી.

પારસી માન્યતા મુજબ અગિયારીનું મુખ્ય કાર્ય પવિત્ર અગ્નિને રાખવાનું છે નહીં કે ઈમારતની મહિમા વધારવા ઈમારતની શોભા વધારવાની.
આ કારણોસર પારસીઓની અગિયારીઓ બહારથી ક્યારેય ભવ્ય જોવા નહી મળે. બિનપારસીઓને અગિયારીમાં પ્રવેશ ન હોવાને કારણે અગિયારી અંદરથી કેવી હોય છે તેનું વર્ણન અશક્ય છે. પરંતુ ઉપલબ્ધ માહિતી મુજબ જ્યાં પવિત્ર અગ્નિ મુકાયો હોય છે એ જગ્યા ‘આતશગાહ’ કહેવાય છે. અગિયારીમાં મહદઅંશે કુદરતી જળનો સ્તોત્ર હોય છે.

પેરિન નરિમાન સ્ટ્રીટ ખાતેની આ અગિયારીને જોતાં એ સમજાય છે કે પારસીની જાહોજલાલીની ચરમસીમાના કાળમાં બંધાઈ હશે. આ અગિયારીના નામમાં આવતો શેનશાઈ શબ્દ, પારસીઓ દ્વારા વપરાતા કેલેન્ડરનું નામ છે. અગામી ૧૯મી જૂને આ અગિયારીને ૨૮૦ વર્ષ પૂરાં થશે.

                                                                            ૐ નમઃ શિવાય

KEEP SMILING

આ આર્ટિકલ મુંબઈથી મિત્રાબેન ચોક્સીએ ઈ મેલ દ્વારા ફોરવર્ડ કર્યા બદલ મેઘધનુષ આભરી છે.

KEEP  SMILING

 

 

image01

 

NEVER share your secrets with ANYONE…
This can be self-destructive.
NEVER tell your problems to ANYONE…
20% don’t care, and
80% are glad that you have them !!

image02

Life is similar to Boxing game..
Defeat is NOT declared when you fall down;
It is declared when you refuse to ‘Get Up’!

Sometimes WRONG persons teach RIGHT LESSONS

image03

Everything is valuable only at 2 times:
1. Before getting it; and
2. After losing it !!

image04

Two things bring happiness & success in life:
1. The way you MANAGE when you have nothing, and
2. The way you BEHAVE when you have everything !

image05

Two places are MOST VALUABLE in the world:
1. The NICEST place is to be in someone’s Thoughts, and
2. The SAFEST place is to be in someone’s Prayers.

image06

One of the greatest victories you can gain over someone
is to beat him at politeness.

Keep your face to the Sun,
And you will not see the shadow!

image07

A Deaf child says: “For all of you, I am deaf;
But for me, all of you are dumb…”
Moral: Life differs in each perspective. Live the way you want to.

image058

Attitude at its best:
My BACK is not a VOICE MAIL..
Kindly say on my FACE.

image059

Ego is the only requirement to destroy any relationship.
Be a bigger person; skip the “E”, and let it “go”..!!

One good thing about Egoists:

They don’t talk about other people!

image060

Do you know why God didn’t give us the gift to read
others’ minds?
So that,
We could have the chance to “TRUST”,
And privilege to be “TRUSTED”!

As long as we don’t forgive people who have hurt us,
They occupy a RENT-FREE SPACE IN OUR MIND

image061

We have solutions to all the problems,
When they are not ours !!!

I asked God: “If everything is already written in
Destiny, then WHY should I pray?”
God smiled and said: “I have also written- CONDITIONS APPLY…”!!!

Empty pockets teach millions of things in life…
But full pockets spoil us in million ways !!!

image062

Getting angry is punishing yourself for the mistakes of others!

Trust is like a STICKER.
Once it is removed, it may stick again,
But NOT as strong as it holds when you first applied it..!
Always take care of relations.

image063

Everything about the future is uncertain,
But one thing is sure:
God has already arranged all our tomorrows…
We just have to TRUST HIM TODAY !!

image064

NEVER win people with Arguments, rather defeat with your Smile!
Because people who always wish to Argue with you,
cannot bear your Silence !!!

The search for happiness is one of the main source of
unhappiness.

image065

Diplomacy is an art of telling people to go to hell in
such a way that
they tend to ask you for directions..!!

image066

If a drop of water falls on a Lake, its identity is lost;
If it falls on Lotus leaf, it shines like a Pearl.
Drop is the same; but the company matters.

image067

Our HOPES should be like Hair & Nails.
No matter how many times they get cut,
But they never stop growing.

image068

If you walk the way guided by humans, you will find hopeless end;
& if you walk the way guided by God, you will find endless hope.

image069

Memories are always special…
Sometimes we laugh by remembering the days we cried;
And we cry by remembering the days we laughed…!!!
That’s Life!

image070

Sea is common for all…
Some take pearls,
Some take fishes,
Some come out just with just wet legs!
World is common to all; what we get, is whet we try for!

image071

Life is very complicated…
When you have standards, people call it ATTITUDE;
When you are simple, people try to CHEAT you; &
When you cheat others, people call you SMART!

image072

To smile without condition,
To walk without intention,
To give without reason, &
To care without expectation,
Are the beauties of any Relation!

image073

All communication problems are because
We don’t listen to understand;
We listen to reply…!!!

image074

‘There are many languages on earth, Smile speaks them all.’ Keep Smiling
Someone who Cares you to Smile.

OM  NAMAH  SHIVAY

કુંભમેળો

કુંભમેળો

 

Kumbh-Mela-300x216

 

પૌરાણિક કથાઓ મુજબ દેવતાઓ અને દાનવો હંમેશા કોઈપણ કારણોસર એકબીજા સાથે લડતા હતા. અમૃતની શોધ માટે દેવ દાનવ બંન્ને સાથે મળીને ક્ષીરસાગરનું મંથન કરવા એકબીજા સાથે સંમત થયા હતા. અમૃત પ્રાપ્ત થયે બે હિસ્સામાં વેંચણી કરી લેવી એમ નક્કી કરવામાં આવ્યું.
આમ મંદાર પર્વતને વલોણું બનાવી વાસુકી નાગને દોરી બનાવી ક્ષીરસાગરનું મંથન શરૂ થયું. દેવતાઓએ નાગરાજની પૂંછ પકડી જ્યારે દાનવોને ભાગે નાગરાજ વાસુકીનું મુખ આવ્યું.

સમુદ્રમંથન દરમિયાન સૌ પ્રથમ હળાહળ વિષ નીકળ્યુ. આ હળાહળ વિષ દેવોના દેવ મહાદેવે પીધું. આ વિષ પીતા થોડાક છાંટા પૃથ્વી પર પડ્યાં જેને કારણે ઝેરીલા પ્રાણીઓની ઉપત્તિ થઈ. સમુદ્રમંથન દરમિયાન મંદાર પર્વત નીચે ગરકવા માંડ્યો ત્યારે ભગવાન વિષ્ણુએ કછપ અવતાર લઈ મંદાર પર્વતને પોતાની ઢાલ જેવી પીઠ પર ઝીલી લીધો. ત્યારબાદ ૧૦૦૦ વર્ષ બાદ ભગવાન ધનવંતરી પોતાના હાથમાં અમતનો કુંભ પકડી પ્રગટ થયા. દાનવોથી ચિંતિત દેવતાઓએ અમૃતકુંભ ધનવંતરીના હાથમાંથી લઈ બૃહસ્પતિ, સૂર્ય,શનિ અને ચંદ્રને સોંપી દીધો.

દાનવોને આ વાતનું જ્ઞાન થતાં તેઓ ૧૨ દિવસ અને ૧૨ રાત સુધી દેવતાઓનો પીછો કર્યો. આ દરમિયાન અમૃત ભરેલા કુંભમાંથી અમૃતના થોડાંક ટીપાં ચાર સ્થાન પર પડ્યાં. અલ્હાબાદ, હરિદ્વાર,ઉજ્જૈન અને નાસિક. પૌરાણિક કથાઓ મુજબ દેવતાઓના ૧૨ દિવસ માનવ માટે ૧૨ વર્ષ ગણાય છે. આથી આ ચાર ધામ પવિત્ર ગણાય છે. તેથી આ દરેક ધામમાં દર ૧૨ વર્ષે કુંભ મેળો ભરાય છે.

નાસિકમાં ગોદાવરીને કિનારે, ઉજ્જૈનમાં ક્ષીપ્રા નદીને કિનારે, હરિદ્ગંવારમાં ગંગા નદીને કિનારે, અલ્હાબાદમાં ગંગા, યમુના અને સરસ્વતી નદીઓનાં ત્રિવેણી સંગમને કિનારે કુંભમેળો ભરાય છે અહીં આ દિવસો દરમિયાન લાખો ભક્તો પવિત્ર સ્નાનનો લ્હાવો લે છે. કહેવાય છે કે આ પવિત્ર સ્નાનથી જન્મોજનમનાં પાપ ધોવાય છે. ભાગ્યશાળીઓને આવા સ્નાનનો લ્હાવો મળે છે.

 

 

 ૐ નમઃ શિવાય

મકર સંક્રાંતિ

 

 

kite

 

 

મકર સંક્રાંતિની શુભેચ્છાઓ

આજથી અલ્હાબાદમાં કુંભમેળાની શુભશરૂઆ

 

Kumbh_Mela

 

 

૧૪/૧૫ જાન્યુઆરી  -૨૦૧૩  િ                      મકર સંક્રાંતિ સ્નાન

૨૭    જાન્યુઆરી  -૨૦૧૩                               પોષી પૂનમ સ્નાન

૬       ફેબ્રુઆરી  -૨૦૧૩                                   એકાદશી સ્નાન

૧૦     ફેબ્રુઆરી  -૨૦૧૩                                   મૌની અમાસ સ્નાન

૧૫     ફેબ્રુઆરી   -૨૦૧૩                                   વસંત પંચમી સ્નાન

૧૭      ફેબ્રુઆરી   -૨૦૧૩                                 રથ સપ્તમી સ્નાન

૧૮      ફેબ્રુઆરી    -૨૦૧૩                                ભીષ્મ એકાદશી સ્નાન

૨૫      ફેબ્રુઆરી    -૨૦૧૩                                માઘી પૂનમ સ્નાન

૧૦      માર્ચ      -૨૦૧૩                                     મહાશિવરાત્રિ સ્નાન 

 

ૐ નમઃ શિવાય

HAPPY MEN’S DAY

હેપી મેન’સ ડે

[આ લેખ યુ.એસ.થી શ્રીમતી અજિતાબેન શાહે ઈ મેલ દ્વારા ફોરવર્ડ કર્યા બદલ મેઘધનુષ આભારી છે.]

Funny:!!!

For the 1st time something on a MAN, Do read it

Who is a MAN?

A man is the most beautiful part of God’s creation who starts compromising at a very tender age.

He sacrifices his chocolates 4 his sister.

He sacrifices his dreams 4 just a smile on his parents face.

He spends his entire pocket money on buyng gifts 4 the girl he loves just 2 see her smiling

He sacrifices his full youth 4 his wife & children by working late @ night without any complain.

He builds their future by takng loans from banks & repayng them 4 lifetime.

He struggles a lot & still has 2 bear scolding from his mother, wife & boss.

His mother, wife & boss all try 2 control him.

His life finally ends up only by compromising 4 others happiness.

Respect every male in your life.
U will never know what he has sacrificed 4U.

Worth sending 2 every man 2 make him smile & every woman 2 make her realize his worth!!

बेचारा मर्द……!?

अगर औरत पर हाथ उठाये तो बेशर्म,

औरतसे मार खाये तो बुझदिल,

औेरतको किसी के साथ देखकर लडाई करें तो जेलस

चुप रहें तो डरपोक

घरसे बहार रहे तो आवारा

घरमें रहे तो नौकर

बच्चोंको डाँटे तो जालिम

ना डाँटे तो लापरवाह

औरतको नौकरी करनेसे रोके तो शक करनेवाला

ना रोके तो बीवीकी कमाई खानेवाला

मा की सुने तो चमचा

बीवीकी सुने तो जोरुका गुलाम

ना जाने कब आयेगा

“HAPPY MEN’S DAY”

 

ૐ નમઃ શિવાય

નિસર્ગને ખોળે

  નિસર્ગને ખોળે

 

મુંબઈ નજીકનાં કેટલાંક નૈસર્ગિક મનોરમ્ય ટ્રેકિંગના સ્થળો છે. તેમાંના……………….
tamni

 

તામણી ઘાટઃ-

 

મુંબઈ-ગોવા માર્ગ પર કોલાડ ગામની ડાબી બાજુનો રસ્તો તામણી ઘાટ તરફ જાય છે. કોલાડ ગામથી૨૦ કિ.મી. દૂર આવેલા આ ઘાટનો લીલોછમ પરિસર આંખોને ઠંડક આપે છે. ઘાટની થોડીડાબી બાજુએ વળતાં જ એક વિશાળ ધોધ જોવા મળશે તેમજ વધુ આગળ જતાં નાનાં નાનાં ઝરણાં અને હરિયાળી જોવા મળશે. ઘાટ પસાર કર્યા બાદ ૧૦ કિ.મી. પછી એક કાચા રસ્તાની ડાબી બાજુએ પડતો માર્ગ ઘનગડ, તૈબબેલા કિલ્લા તેમજ એમ્બીવેલીના કોરીગડ કિલ્લાથી લોનાવલા તરફ જાય છે. રસ્તાનાં વાંકાચૂકા વળાંકો અને ક્યાંક ક્યાંક ટેકરીઓમાંથી વહેતાં ઝરણાંઓ અદ્ભૂત લાગે છે.

 

varadayini fall

વરદાયનીનો ધોધઃ-

 

કોલાડ અને પાલી જવા માટેના વાંકાચૂકા રસ્તા વચ્ચે વળાંકવાળા ફાંટા પર એક નાનકડો ઘાટ છે. આ ઘાટની ડાબી બાજુ જતાં તામ્રવર્ણીય ધોધ દેખાશે. આ એ જ વરદાયીની ધોધજેનો તામ્રરંગ તેની માટીને કારણે થયો છે.

 

Sankashi waterfall

 

સાંકશી કિલ્લોઃ-

 

પનવેલ-પેણ જવાના રસ્તે પનવેલથી ૧૮ કિ.મી. દૂર બળવલી ગામ આવેલું છે. તેનાથી ૫ કિ.મી. દૂર સાંકશીનો કિલ્લો આવેલો છે. કિલ્લામાં ૧ કલાકનાં સરળ ચઢાણ બાદ નયનરમ્ય લીલી ચાદર જોવા મળશે. વરસાદની ઋતુમાં ચઢાણ પૂરું કર્યા બાદ હરિયાળો ધોધ જોવા મળશે. એક કિલ્લો સર કર્યાનો ગર્વ અનુભવાશે.

તેની નજીકમાં પાતાળગંગા, રસાયણી ગામથી થોડે દૂર માણેકગઢ કિલ્લો આવેલો છે. ત્યાંના ઝરણાંઓ નયનરમ્ય છે.

 

sondai fort

 

સોનડાઈ કિલ્લોઃ-

કર્જત-ચોક જતાં રસ્તામાં બોરગામ નજીક સોનવડાઈ વાડી પાસે સોનડાઈ કિલ્લો આવેલો છે. આ કિલ્લો સર કરવાની મજા અનોખી છે. ત્યાંથી દેખાતા મોરબે ડેમનો પરિસર જોઈને હૃદય ધબકારો ચૂકી જશે.

 

Peb fort

 

પેબ કિલ્લોઃ-

 

નેરળમાં માથેરાન નજીક પેબ કિલ્લામાં જતાં એક મોટા ઝરણાને પાર કરી તેમાં ઉદ્ભવ સ્થાનની તળેટી પર જવાનો રસ્તો છે.

 

mahuli fort

 

માહુલી કિલ્લોઃ-

શાહપુર-આસનગાંવ નજીક માહુલી કિલ્લો આવેલો છે. ૬ કિ.મી. આગળ જતાં તળેટીમાં શિવજીનું મંદિર આવેલું છે. ત્યાંથી પૂર્વમાં જતાં મનોહર ધોધ જોવા મળે છે.

 

rajmachi-fort-picture-03

 

રાજમાચી કિલ્લોઃ-

 

ખંડાલાથી લોનાવલા તરફ જતાં કાચા રસ્તે ૧૬ કિ.મી. દૂર રાજમાચી કિલ્લો આવેલો છે. રસ્તામાં પહાડ, ઝરણાં અને તડકા-છાયાંની સાથે સંતાકૂકડી રમતાં વાદળોને જોવાની મજા અનોખી છે.

 

કોહોજ, ટકમક, અશેરીગઢ, અર્નાળા, કેળવે, કાળદુર્ગવાડા, મોખાડા, વિક્રમગઢ જેવા કિલ્લા પણ થાણે જિલ્લામાં આવેલા છે. તેમનું બંધારણ નબળું પડી ગયું છે પણ ત્યાના નજારા જોવાલાયક છે.

 

આપણી ગવર્મેંટે આ બાબત માટે વિચારણા કરવી જોઈએ જેથી સહેલાણીઓ માટે અનેક રસ્તાઓ ખૂલી શકશે.

 

— સંકલિત

 

 ૐ નમઃ શિવાય

અજમાવી જુઓ

                                                                  અજમાવી જુઓ

 

(૧) ઘરમાં પડી રહેલી વધારાની દવાની ગોળી વાસણ માંજવાના પાઉડરમાં ભેળવવાથી વાસણ ચકચકીત થાય છે.

(૨) અઠવાડીયામાં એક વખત ખાટી છાસથી માથું ધોવાથી શેમ્પુની જરુર પડતી નથી.

(૩) તાજી દ્રાક્ષનો રસ મશીનથી કાઢવા કરતાં સહેજ પાણી નાખી મીક્ષ્ચરમાં વાટી નીચોવી કે ગળણીથી ગાળી લેવાથી વધુ રસ નીકળે છે.

(૪) બારીમાં તુલસીનાં કુંડાં મુકવાથી ઘરમાં મચ્છર આવતા નથી.

(૫) દહીં બહુ ખાટું હોય તો કપડામાં બાંધી લટકાવી પાણી નીતારી મસ્કો કાઢી લો પછી તેમાં થોડું દુધ અને મલાઈ ઉમેરો દહીંની ખટાશ દુર થઈ જશે.

(૬) દહીંની લસ્સી બનાવતી વખતે દહીમાં પાણીને બદલે દુધ-મલાઈ નાંખવાથી સ્વાદીષ્ટ અને ઘટ્ટ બનશે.

(૭) હળદર અને ધાળાજીરુ ભરેલી બરણીઓમાં આખી હીંગના થોડા ટુકડા મુકી રાખવાથી તેમાં જીવાત નહીં પડે.

(૮) ઘઉં અને ચોખાના ડબ્બામાં થોડી ખાલી થયેલી દીવાસળીની પેટીઓ મુકી દેવાથી ઘઉં, ચોખા, બગડશે નહીં અને જીવાત પણ નહીં પડે.

(૯) નાળિયેરને ખમણીને હવાચુસ્ત ડબ્બામાં ભરી ફ્રીઝરમાં રાખવાથી લાંબા સમય સુધી બગડશે નહીં.

(૧૦) બીસ્કીટ, પાપડ હવાઈ ગયાં હોય તો તેને હવા-ચુસ્ત ડબ્બામાં ભરી ફ્રીઝમાં ૩ કલાક માટે મુકી દો. કડક થઈ જશે.

(૧૧) બદામના ડબ્બામાં ૩- ૪ ચમચા સાકરના ટુકડા નાંખવાથી તે લાંબા સમય સુધી તાજી રહેશે. ખોરી નહીં થાય.

(૧૨) નાળિયેરને તોડતી વખતે તેને ચારેબાજુથી દસ્તાથી થોડું ટીપીને પછી તોડવામાં આવે તો નાળિયેર કાચલીમાંથી એકસરખી રીતે અને ઝડપથી છુટું પડશે.

(૧૩) કેક ડેકોરેશન માટે આઇસીંગ સુગર ન હોય તો કેક ઉપર મધ લગાવીને બદામની કતરી આખી કેક ઉપર ભભરાવવાથી કેક દેખાવમાં સુંદર લાગશે અને સ્વાદિષ્ટ પણ લાગશે.

(૧૪) ભજીયાના ખીરામાં ૨૫% ચોખાનો લોટ ઉમેરવાથી ભજીયા કુરકુરા બનશે.

(૧૫) બટાકાની ચીપ્સ તળતાં પહેલાં તેના પર થોડો ચણાનો લોટ ભભરાવી દેવાથી ચીપ્સ ફરસી થશે.

(૧૬) ઢોકળાની દરેક થાળી ઉતારતી વખતે ૧-૨ ચમચી તેલ પાણી અને ખારો મીક્સ કરવાથી ઢોકળાં પોચાં અને જાળીવાળાં થશે.

(૧૭) ચોખા તથા કઠોળમાં મીઠાના આખા ગાંગડા નાંખવાથી જીવાત પડતી નથી.

(૧૮) છોલે-ભટુરાના ભટુરે બનાવતી વખતે મેદામાં બાફેલા બટકાનો માવો ઉમેરવાથી ભટુરા સ્વાદિષ્ટ બનશે.

(૧૯) બ્રેડ સૂકાઈ ગઈ હોય તો દૂધમાં બોળી ઓવનમાં ગરમ કરો તો બ્રેડ પહેલા જેવા કુરકુરા થઈ જશે.

(૨૦) તળતી વખતે તેલમાં ચપટી મીઠું નાંખવાથી તેલ ઓછુ વપરાશે.

(૨૧) શુદ્ધ ઘીમાં નાગરવેલનું પાન રાખવાથી લાંબા સમય સુધી ઘી સારું રહે છે.

(૨૨) પાકાં કેળાંને કાગળમાં લપેટીને ફ્રીઝમાં મુકી રાખવાથી લાંબા સમય સુધી એવાં ને એવાં જ રહે છે.

(૨૩) ડુંગળીનાં કુરકુરા ભજીયા કરવા માટે કાપેલી ડુંગળીમાં મીઠું ભેળવી ૨૦ મીનીટ રહેવા દો પછી પાણી નીચોવી ડુંગળીનો ઉપયોગ કરવો.

(૨૪) પહેલાં રોટલી-પરાઠાને કાચાં-પાકાં શેકી સફેદ જાડાં કપડાંમાં વીંટાળીને મુકી દો. જમાડતી વખતે આ રોટલી- પરાઠાને ફરીથી તવા પર શેકી- ગેસ પર ફુલાવી કે તળીને પીરસો.

(૨૫) ખીર બનાવતી વખતે દુધમાં થોડો કસ્ટર્ડ પાવડર અથવા કોર્નફ્લોર ભેળવવાથી ખીર ઘટ્ટ અને સ્વાદિષ્ટ બનશે.

(૨૬) પૂરી બનાવતી વખતે લોટમાં થોડો રવો તથા એકાદ-બે ચમચી સાકર નાંખવાથી પૂરી કરકરી થશે અને ફૂલશે.

(૨૭) કોથમીર કે ફુદીનાની ચટણી બનાવતી વખતે પહેલાં લીંબુનો રસ ઉમેરી પછી વાટવાથી ચટણીનો લીલો રંગ અને સુગંધ જળવાઈ રહેશે.

 

[ગાંડાભાઈ વલ્લભના આરોગ્ય અને અન્ય વિષયો પર આધારિત]

 

ૐ નમઃ શિવાય