આજે કારતક સુદ નોમ, સરદાર પટેલ જયંતી
આજનો સુવિચાર:- મુસીબતો આવે ને જાય પણ જે મક્કમ બનીને વળગી રહે છે એ સફળતાને પામે છે.
સરદાર વલ્લભભાઈ પટેલ ભારતનાં લોખંડી પુરુષ ગણાતા. સરદાર વલ્લભભાઈ પટેલ એટલે સરળતા અને અભય – સંકલ્પની મૂર્તિ. બ્રિટીશ મ્યુઝિયમમાં એકી બેઠકે સત્તર સત્તર કલાક બેસીને કાયદાનાં ગ્રંથો ઉથલાવતા. ચંપારણ્યમાં ગાંધીજીની પડખે ઉભા રહેલા. જમીન મહેસૂલ વિરૂદ્ધ બારડોલીને ઉભું કરી દીધું હતું. સ્વતંત્રતા પછી 600 દેશી રજવાડામાં વહેંચાયેલા ભારતને એક બનાવી દેવામાં તેમનો સૌથી ફાળો છે.આમ અનેક વ્યક્તિત્વથી ભરપૂર એવા સરદાર પટેલનો જન્મદિવસ આજે ભારતવાસીઓ ઉજવી રહ્યાં છે. તા.31-10-1875માં તેમનો જન્મ કરમસદમાં થયો હતો. પ્રાથમિક શિક્ષણ ગામડામાં લીધુ હતું પણ ત્યારબાદ વિલાયત જઈ તેઓ વકીલ થયાં હતાં. નીડરતા, સંગઠન,વ્યવસ્થાશક્તિ, વ્યુહસંચાલન, સ્નેહવાત્સલ્ય, ત્વરિત નિર્ણયશક્તિ, આત્મશક્તિ જેવાં બધા જ ગુણો સરદાર પટેલમાં હતાં. તેમના આવા વ્યક્તિત્વને કારણે યુવાનોને તેમની સાથે જોડાવવાનું પસંદ કરતાં. તા.15-12-1950 એમની મરણતિથી છે.
શું એવુ નથી લાગતું કે ‘ગાંધીગીરી’ની જેમ ‘સરદાર પટેલગીરી’ની ભારતને જરૂરત છે???????
ભારતની બીજી લોખંડી પ્રતિભા શ્રીમતી ઈંદિરા ગાંધી , જેમની આજે મરણતિથી છે. ઈ.સ. 1977માં તેમની હત્યા થઈ હતી.
આજે ગુજરાતનાં સંત શ્રી રંગઅવધૂત મહારાજનો જન્મ ઈ.સ. 1898માં કારતક સુદ નોમને દિવસે થયો હતો. કૉલેજની પરીક્ષા વખતે ગાંધીજીની અસહકાર ચળવળમાં જોડાયા હતા. નર્મદાકિનારે દત્ત પારાયણની અખંડ ધૂન પારાયણ જગાવ્યાં હતાં અને ત્યારબાદ શ્રી રંગઅવધૂત તરીકે ઓળખાયા.
કહેવાય છે કે સતયુગનો પ્રારંભ કારતક સુદ નોમથી થયો હતો
ૐ નમઃ શિવાય