સુવિચાર

સુવિચાર

 

*    માણસ પૈસાને બચાવે તે જરૂરી છે પણ બચાવેલા પૈસાથી માણસ માણસને બચાવે તે વધારે જરૂરી છે.

*    માણસને ગુસ્સો આવે એ MARD ની નિશાની છે
પણ
એ ગુસ્સાને પી જવો એ MARRIED ની નિશાની છે.

*    એટલું મીઠું ના બોલો કે લોકો તમને ગળી જાય
એટલું કડવું પણ ના બોલો લોકો તમને થૂંકી દે

*    “મને કોઇની જરૂર નથી” એમ માને તે સ્વાર્થી
“સહુને મારી જરૂર છે” એમ માને તે પરકારીન
“સહુ મારા માટે જરૂરી છે” એમ માને તે નમ્ર

*    જિંદગી જીવવાની બે રીત છે…. કાંતો કોઈ એક ખૂણે રડી લેવું અથવા તો
વિશ્વના તમામ ખૂણે લડી લેવું……

*    દુનિયામાં નોખાની નહી પણ અનોખાની બોલબાલા છે.

*    જે વિ્ચારો તે બધું બોલો નહિ
અને
જે બોલો તે બધું વિચારીને બોલો.

*    બીજા સાથે એવી જ ઉદારતા રાખો જેવી ઈશ્વરે તમારી સાથે રાખી છે.

 

 

ૐ નમઃ શિવાય

Leave a comment