પનીર મખ્ખની

આજે આસો વદ એકમ

[મુંબઈ સ્થિત શ્રીમતી ઈલાબેન દેસાઈએ આ વાનગીઓ મોકલાવ્યા બદલ મેઘધનુષ આભારી છે.]

પનીર મખ્ખની

સામગ્રીઃ-

૧] ૨૫૦ ગ્રામ પનીરના ટુકડા
૨] ૧ ચમચી કૉર્ન ફ્લોર
૩] ૧ ચમચી ખાંડ
૪] ૨ ચમચી ક્રીમ
૫] ૧ ચમચો સમારેલી કોથમીર
૬] ૧ ચમચી બટર
૭]  મીઠું સ્વાદાનુસાર

ગ્રેવી વાટવાની સામગ્રીઃ-

૩ ટામેટા, ૨ કાંદા, ૨ લીલા મરચા, આદુનો નાનો ટુકડો, ૧ ચમચી ખસખસ, ૧ ચમચી ચારોળી, ૧ ચમચી મગજતરીના બી, ૫ બદામ, ૫ કાજુ, ૩ થી ૪ કાશ્મીરી મરચાં

રીતઃ-

ઉપરોક્ત વાટવાની સામગ્રીને ૨ ચમચી તેલમાં ૧૦ મિનિટ સાંતળી ઠંડુ પડે મિક્ષ્ચરમાં વાટી લો.
વાટેલી પેસ્ટને બટરમાં સાંતળો. ત્યારબાદ તેમાં ૧ થી ૧૧/૨ કપ પાણી ઉમેરો.
થોડા પાણીમાં ૧ ચમચી કૉર્ન ફ્લોર ઓગાળી તેમા ઉમેરો.
ગ્રેવી ઉકળે ત્યારે તેમાં ૧ ચમચી ખાંડ ઉમેરો અને સ્વાદાનુસાર મીઠુ ઉમેરો.
ત્યારબાદ તેમાં પનીરનાં ટુકડા ઉમેરી ધીમા તાપે ઉકાળો.
૫ મિનિટ બાદ તેને ગેસ પરથી ઉતારી તેને કોથમીર અને ક્રીમથી સજાવી પરોઠા અથવા નાન સાથે લિજ્જત મ્હાલો.

 

ચોકલેટ

સામગ્રીઃ-

૧] એક સ્લેબ કુકીંગ ચોકલેટ
૨] ૬ બદામ અથવા હેઝલનટ અથવા મીક્ષ ડ્રાયફ્રુટ્સ
૩] ૧ ચમચી બટર
૪] ચોકલેટ મોલ્ડ
૫] ચોકલેટ રેપર

રીતઃ-

કુકીંગ ચોકલેટના ટુકડા કરી તેમાં ૧ ચમચી બટર ઉમેરી તેને માઈક્રોવેવમાં ૪૦ સેકન્ડ ગરમ કરવું. ત્યારબાદ તેને હલાવી ફરીથી ૪૦ સેકન્ડ ગરમ કરવું.
બદામ અથવા હેઝલનટ અથવા મીક્ષ ડ્રાયફ્રુટ્સને ૪૦ સેકેન્ડ માઈક્રોવેવમાં ગરમ કરી અધકચરો વાટી ઉપરોક્ત ગરમ કરેલા ચોકલેટ મીક્ષમાં ઉમેરી ઉમેરી હલાવો.
ઉપરોક્ત ચોકલેટ મીક્ષ્ચરને ચોકલેટ મોલ્ડમાં નાખી થોડું ઠપકારવું જેથી અંદર રહેલા પરપોટા નીકળી જાય.
ત્યારબાદ ઠંડુ પડે તેને ૧/૨ કલાક ફ્રીજમાં રાખવું. ત્યારબાદ ચોકલેટ મોલ્ડમાંથી કાઢીને રેપરમાં રેપ કરો.

ચોકલેટ કેવી લાગી તે જરૂરથી જણાવશો.

                                                                                     ૐ નમઃ શિવાય

1 comments on “પનીર મખ્ખની

  1. પ્રિય સ્વજન નીલાબેન,

    મને આનંદ થયો ચે કે મને તમારા દ્વારા મેઘધનુષમાં આવવાની તક મળી છે. મારી વાનગી મેઘધનુષમાં મુકવા બદલ આભાર. કુદરતના મેઘધનુષનાં રંગોની જેમ તમારું મેઘધનુષ પણ અમર બને એવી પ્રભુને પ્રાર્થના અને સદાય ઝરમર વરસતુ રહે. એ ઝરમર વરસાદમાં પલળેલા પગનાં પગલાં એ મેઘધનુષમાં સદાય પડતાં રહે. મેઘધનુષ તમારા વિના અધુરું છે. તમે મેઘધનુષ વિના અધુરા છો. મેઘધનુષ એના રંગોની જેમ હંમેશા નિખરતું રહે.

    શ્રીજીબાવા મેઘધનુષ ઉપર અમીઝરણા વરસાવતા રહે.

    ઈલાના જૈજૈ શ્રી ગોકુલેશ.

    Like

Leave a comment