ત્રણ માછલીઓ

                             આજે પોષ સુદ પૂનમ

આજનો સુવિચાર:- મોટી અને દિલદરિયાવ નિષ્ફળતાઓ દ્વારા માણસ પ્રગતિ કરતો હોય છે.

હેલ્થ ટીપ્સ:- બે ચમચા ઘઉંના લોટમાં દૂધ ભેળવી ચહેરા પર રગડી ઠંડા પાણીથી ચહેરો ધોવાથી નિસ્તેજ બનેલો ચહેરો નીખરી ઊઠશે.

                                              ત્રણ માછલીઓ

એક સરોવર હતું.
તેમાં ત્રણ માછલીઓ રહેતી હતી.

આ ત્રણ માછલીઓમાં એક માછલી ચતુર હતી.
બીજી માછલી ભોળી હતી.
અને ત્રીજી માછલી આળસુ હતી.

એક દિવસ ચતુર માછલીને એક વિચાર આવ્યો કે
આ સરોવરના કિનારે માછીમારો આવે છે
અને કોને ખબર છે કે આ માછીમારો ક્યારે જાળ નાખી અમને પકડી લેશે.
માટે તેણે બીજી બે માછલીઓને કહ્યું કે,
‘ ચાલો બહેનો આપણે આ સરોવર છોડી બીજે જતાં રહીએ.

ભોળી માછલી કહે,’ માછીમારો મારી નાખશે?
આવશે ત્યારે જોયું જશે.
આવા વિચારે આપણે શા માટે
આપણું સરોવર છોડી નાસી જવું?’

આળસુ માછલી કહે,’ હું તો ક્યાંય નથી જવાની જે થવું હોય તે થાય.’

આમ ચતુર માછલી તો પહેલેથી જ દૂર દૂર જતી રહી.

માછીમારોએ જાળ નાખી.
આ જોઈને ભોળી માછલી ઝડપથી નાસવા લાગી.
એટલે તે બચી ગઈ.
પણ આળસુ માછલી તો ત્યાં જ પડી રહી.
છેવટે તે માછીમારોની જાળમાં ફસાઈ ગઈ.

બોધ: આળસુનો અંત વહેલો આવે છે.
નવો બોધ: આળસુ લોકોએ ચતુર લોકોની સલાહ માનવામાં આળસ ન કરવી.

                                                    સૌજન્ય:- રીડીફ ગુજરાતી

                                           ૐ નમઃ શિવાય