આજે શ્રાવણ સુદ બીજ
આજનો સુવિચાર:- મશીનને કાટ ખાઈ ન જાય એટલે વારંવાર તેલ લગાડવું પડે. આપણું મન એ પણ મશીન છે. સદવિચારોના મનનરૂપી તેલ સતત લગાડતા જાવ, નહિ તો દુર્વિચારોનો કાટ તેને ખાઈ જશે.
પુષ્ટિગોષ્ઠી
સાજવસ્ત્ર:- કેસરી રંગની સફેદ ધારવાળી પીછવાઈ
વસ્ત્રો- સુઘના પટુકા
ઠાડું વસ્ત્ર- શ્યામ રંગનું
શ્રૃંગાર:- છોટો કમર સુધીનો, શ્રીમસ્તકે કેસરીફેંટો, શિરપેચ મોરશિખા, દોહરા કતરા, શિશફૂલ,
શ્રી નિલેશભાઈ મુખ્યાજી, દ્વારિકાધીશ મંદિર, મુંબઈ
**************************************************************
શરણાગતિ
[મુંબઈ સ્થિત શ્રી કિશોરભાઈ કણિયાએ સ્વરચિત રચના મોકલાવ્યા બદલ આભાર]
પ્રભુ તારા ચરણોમાં, મુજ શિષ નમાવ્યું એમ
છુટે દુનિયાના પ્રપંચો, બસ પામું તારી રહેમ
લોભ-ક્રોધ ને મોહ-મત્સર મહી
મીચી આંખો વિતાવી આખી જિંદગી
પાછલી ઉંમરે જરા ખુલી આંખ
ભાળ્યો જમ ને યાદ આવી બંદગી
માર તાર, યા તો ઉદ્ધાર કર, તુજને ગમે તેમ
— પ્રભુ તારા ચરણોમાં……..
તવ મુખે ઉપદેશ પામવાની
પાર્થશી પાત્રતા જાણું નથી મારી
છાંડી અહમ તેથી જ મેં લીધી
પ્રથમથી જ શરણાગતિ સ્વીકારી
હવે તું જ મારો સાહિલ, સંભાળ મારૂં યોગક્ષેમ
— પ્રભુ તારાં ચરણોમાં………
ૐ નમઃ શિવાય
જીવનમાં ભગવાનની શરણાગતિ અને તે દ્વારા થનારી ભગવાનની કૃપા પછી
આનંદ, સુખ, શાંતિ…
LikeLike
આજનો સુવિચાર…khub j saras..
ane bhajan pan sundar che..
LikeLike
saras.
LikeLike