આજે શ્રાવણી એકાદશી, પવિત્રા એકાદશી,પુત્રદા એકાદશી
કૈલાસવાસી સુખરાશિસર્વ પ્રશાંત તેજસ્વી સુ-સૌમ્ય.રુદ્ર !
પ્રકાશ આપો, સહુને સુખાર્થ, પુણ્યદા, મંગલધામ, દેવ !! [રૂદ્રાષ્ટાધ્યાયી]
આજનો સુવિચાર:- દરેક વ્યક્તિએ પોતાનો વિકાસ માટે સમય કાઢવો જોઈયે. પોતાનાથી વધુ જાણકાર અથવા વધુ જ્ઞાની અથવા વધુ અનુભવી વ્યક્તિને અવારનવાર મળવાથી જ્ઞાનમાં વધારો થશે.
મેઘધનુષ નાં આ વિભાગને મેં મંથન નામ આપ્યું છે. સમુદ્ર મંથનથી જેમ રત્નો, મણી, અમૃત, વિષ, લક્ષ્મીજી, વગેરે પ્રાપ્ત થયાં હતાં તેમ જો સદવિચારોનું મંથન થાય તો જ શિસ્તરૂપી રત્નો પ્રાપ્ત થશે.
એકાદશી એટલે પ્રભુનાં સાનિધ્યમાં વધુ ને વધુ રહેવાનો દિવસ. આ દિવસે લોકો ફળાહાર કરવાનું પસંદ કરતાં હોય છે જેથી પ્રભુભક્તિમાં વધુ ધ્યાનમગ્ન થઈ શકાય. એની સાથે આ વાત પણ સમજવી આવશ્યક છે.
‘હું વ્રત, એકટાણાં ઉપવાસ કરું અને મારા મનમાંથી ગુસ્સો ઈર્ષા ડંખ નિર્મૂળ ન થાય,
તો મારું એ તપ મિથ્યા છે.
હું મંદિરમાં જાઉં, ફૂલ ચઢાવુ, માળા ગણું અને મારાં કર્મમાંથી સ્વાર્થ લોભ મોહ નિર્મૂળ ન થાય,
તો મારી પૂજા મિથ્યા છે.
હું જપ કરૂં, સત્સંગ કરૂં, ધ્યાન કરૂં, અને મારા ચિત્તમાંથી અહંકાર અભિમાન મોટાઈનો ભાવ નિર્મૂળ ન થાય,
તો મારી ઉપાસના મિથ્યા છે.
હું એકાંતમાં જાઉં, વૈરાગ્ય ગ્રહું, મૌન પાળું અને મારી ઈચ્છાઓ વૃત્તિઓનું શમન ન થાય મારો દેહભાવ ઢીલો ન પડે
તો મારી એ સાધના મિથ્યા છે.
હે, પરમાત્મા, હું પ્રાર્થના કરું ને તમારું નામ લઉં અને મારા જીવનમાં પ્રેમ કરૂણા મૈત્રી આનંદ પ્રગટ ન થાય,
તો મારો તમારી સાથેનો સંબધ મિથ્યા છે.
’સંત ‘પુનિત’ મહારાજ કહે છે કે
‘વિષયોમાં ભટકે એ તો અંતે ગોથાં ખાય,
દુઃખોનાં ડુંગરિયામાં, જાતેથી અથડાય,
એ તો અંતે ગોથાં ખાય……!’
ૐ નમઃ શિવાય
[સૌજન્ય:- જનકલ્યાણ]
પિંગબેક: એ તપ મિથ્યા છે.. « હૂ પલ્લવી.
પિંગબેક: મિથ્યા છે – કુન્દનિકા કાપડીઆ | Damania Soni Samaj Blog